ચક્રવર્તી સમ્રાટ ભૌવન વિશ્વકર્મા
ચક્રવર્તી સમ્રાટ ભૌવન વિશ્વકર્મા ભારતીય સનાતન ઇતિહાસના પૃષ્ઠોમાં એવા અનેક મહાપુરુષો થયા છે જેમણે પોતાના શૌર્યથી પૃથ્વી જીતી, પરંતુ ભગવાન વિશ્વકર્માના પુત્ર ભૌવન વિશ્વકર્મા નું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત છે. તેઓ માત્ર એક અજેય યોદ્ધા જ નહોતા, પરંતુ સમસ્ત પૃથ્વીનું દાન કરનારા અદ્વિતીય દાનવીર અને આદર્શ રાજ્ય પ્રણાલીના સ્થાપક હતા. દેવશિલ્પી વિશ્વકર્મા સર્જનહાર છે, જ્યારે તેમના પુત્ર ભૌવન વિશ્વકર્માએ પૃથ્વી પર શાસન કરીને રાજ્ય પ્રણાલી સ્થાપી હતી. ભૌવન એટલે ભુવનનો પુત્ર. શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્માનું એક નામ ભુવન પણ છે. ભૌવન વિશ્વકર્મા માત્ર દાનવીર નહોતા, પણ તેમણે રાજ્ય પ્રણાલી ના પાયા નાખ્યા હતા. તેમણે કલા, કૌશલ્ય અને વહીવટનો સમન્વય કર્યો હતો. તેમના સમયમાં વિશ્વકર્મા માત્ર એક નામ નહીં પણ એક પદવી અને પરંપરા બની હતી જેણે સમાજને સ્થાપત્ય અને વ્યવસ્થાના સૂત્રો આપ્યા. નિરુક્ત (વૈદિક વ્યાકરણનો ગ્રંથ) - યાસ્ક મુનિ - સૌથી પ્રાચીન પ્રમાણ યાસ્ક મુનિના નિરુક્ત માં મળે છે, જે વેદોના અર્થ સમજવા માટેનો પાયાનો ગ્રંથ છે. ત્યાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે: "વિશ્વકર્મા ભૌવનઃ" (અર્થાત્: વિશ્...