ગદાધર વિષ્ણુ મંદિર શામળાજી
ગદાધર વિષ્ણુ મંદિર શામળાજી લેખ સંકલન - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા) સમયના અનંત પ્રવાહમાં કેટલાય સામ્રાજ્યો ઉદય પામ્યા અને વિખેરાઈ ગયા, પરંતુ અરવલ્લીની પ્રાચીન ગિરિમાળાઓના હૃદયમાં પથરાયેલું ' ગદાધર ક્ષેત્ર ' આજે પણ પોતાની દિવ્યતા અને ભવ્યતાની સાક્ષી પૂરે છે. મેશ્વો નદીના ખળખળ વહેતા નીર અને વનરાજીની શીતળતા વચ્ચે ઉભેલું શામળાજીનું આ વિષ્ણુ મંદિર માત્ર પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા, સંસ્કૃતિ અને કલાની પરાકાષ્ઠાનો જીવંત દસ્તાવેજ છે. જ્યારે શિલ્પીની છીણી અને હથોડી પથ્થર સાથે સંવાદ કરે છે, ત્યારે કેવું અદભૂત સર્જન થઈ શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આ પરિસરમાં જોવા મળે છે. પુરાતત્વીય દ્રષ્ટિએ 'દેવની મોરી'ના બૌદ્ધ સ્તૂપોથી માંડીને વૈષ્ણવ સંપ્રદાયના ભવ્ય મંદિરો સુધીનો ઈતિહાસ અહીંની માટીમાં દબાયેલો છે. લોકજીવનમાં જેને 'કાળિયો ઠાકોર' કહીને હૃદયમાં સ્થાન આપ્યું છે, તેવા ભગવાન શામળિયાનું આ ધામ ભક્તિ અને ઈતિહાસના સંગમતીર્થ તરીકે સદીઓથી ભારતના સાંસ્કૃતિક નકશા પર ઝળહળી રહ્યું છે. આ લેખ દ્વારા હું લેખક મયુરકુમાર મિસ્ત્રી સચોટ માહિતી સાથે આપણે આ પ્રાચીન તીર્થના ઈતિહાસની...