રશ્મિ સુથાર બ્લોગ
(1) નસીબનું લખેલું બધુજ સહન કરવું પડે કારણકે મુશ્કેલી વેચી શકાતી નથી અને શાંતિ ખરીદી શકાતી નથી. એના સામે કોઈનું ચાલે નહીં. એની મુશ્કેલીનો સામનો કરવો પડે. કોઈને દોષ આપી શકતા નથી (2) વિચારો માં પરિવર્તનથી પણ પરિવર્તનથી પૂર્ણ જન્મ થાય છે (3) દુનિયામાં ચાર સ્થાન એવા છે કે કદી ભરાતા નથી. માણસ નું મન , ઈચ્છાઓ, સમુદ્ર અને સ્મશાન ઈચ્છાઓ નો ઘડો...... (4) જેના હાથમાં સૃષ્ટિનું સર્જન કરવાની કળા છે, તેણે પોતાની ઉર્જા વધારવા માટે બહાર જોવાની જરૂર નથી, બસ પોતાની ભીતર રહેલા 'વિશ્વકર્મા' ને જગાડવાની જરૂર છે. (5) ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત કુટુંબના વિશેષ મહત્વનું છે કુટુંબના માધ્યમથી પરિવારના બધા જ સભ્યો પરસ્પર સહયોગ થી આનંદીત જીવન સંભવ છે . (6) જે કરે એ કરે અને જે કરાવે તે કરાવે તો તું કેમ ચિંતા કરે, એક શ્વાસ આપણા વશમાં નથી તો, એ જગાવે છે ને એ સુવડાવે છે ને એ જ કરાવે. જય વિશ્વકર્મા દાદા (7) લાગણીઓમાં હંમેશા ભીનાશ જ હોય છે પણ જ્યારે તેને ગણિત સ્પર્શે એટલે એને બાષ્પીભવન થવાની પ્રક્રિયા શરૂઆત થઈ જાય છે. (8) જ્યારે આપણા નસીબ રૂપી કપડાના ખિસ્સા ફાટેલા હોય ને સાહેબ.. ત્યારે જ આપણને ખબર પડે ...