Posts

Showing posts from September, 2025

લોખંડી મિત્રતા

Image
લોખંડી મિત્રતા લોખંડી ઈરાદાવાળો લોહાર અને લાકડા જેવો કોમળ સ્વભાવવાળો સુથાર, આ બંને હતાં રામજી અને શામજી. બંનેની મિત્રતા ગામમાં ચર્ચાનો વિષય હતી. રામજી, જેનું કામ લોખંડને હથોડાના ઘા મારીને આકાર આપવાનું હતું, તેનો સ્વભાવ તેના કામ જેવો જ મજબૂત અને સ્પષ્ટ હતો. ક્રોધમાં તે જલદી ગરમ થઈ જતો, પણ તેનો ગુસ્સો લોખંડની જેમ જ થોડી વારમાં ઠંડો પણ પડી જતો. બીજી બાજુ, શામજી સુથાર, જે લાકડાને હૃદયપૂર્વક ઘસીને સુંદર આકૃતિઓ બનાવતો, તે સ્વભાવે શાંત અને વિનમ્ર હતો. તેની વાણીમાં લાકડાની જેમ જ નરમાશ અને મધુરતા હતી. બંનેના સ્વભાવ ભલે અલગ હોય, પણ તેમની દોસ્તી એક મજબૂત અને અટૂટ કડી જેવી હતી, જે ક્યારેય તૂટી ન શકે. બંને કારીગરો હતા, પણ તેમની કારીગરી માત્ર વસ્તુઓ બનાવવાની નહોતી, તે સમાજનું નિર્માણ અને સામાજિક સેવા ઓ પણ કરતા હતા. તેઓ નાના કારીગરોને મદદ કરતા, તેમને નવા ઓજારો બનાવતાં અને કામ શીખવતાં. ગામમાં કોઈને પણ જરૂર પડે, તો રામજી અને શામજી હંમેશાં આગળ હાજર રહેતા. તેમને માટે તેમનું કામ માત્ર પેટ ભરવા માટે નહોતું, પણ સમાજની સેવા અને વિશ્વકર્મા દાદાની ભક્તિ હતી. બંને વિશ્વકર્મા દાદાના પરમ ભ...

કિષ્કિન્ધા નગરી :વિશ્વકર્મા નું યોગદાન

કિષ્કિન્ધા નગરી :વિશ્વકર્મા નું યોગદાન કિષ્કિંધા કાંડ એ વાલ્મીકિ રામાયણનું ચોથું અને એક અત્યંત મહત્ત્વપૂર્ણ કાંડ છે, જે ભગવાન રામના જીવનમાં એક નવો વળાંક દર્શાવે છે. આ કાંડમાં મિત્રતાની સ્થાપના, અદમ્ય શક્તિનું પ્રદર્શન, અને ધર્મપાલનનો સંદેશ સ્પષ્ટ થાય છે. અહીં રામ, હનુમાન અને સુગ્રીવના મિલનથી લઈને સીતાની શોધ અને ભગવાન વિશ્વકર્મા દ્વારા કિષ્કિન્ધા નગરી નિર્માણ માટેના મહત્ત્વપૂર્ણ પ્રયાસોનું વર્ણન છે.  રામ અને હનુમાનનું મિલન લંકાપતિ રાવણ દ્વારા સીતાનું અપહરણ થયા બાદ શોકગ્રસ્ત રામ અને તેમના ભાઈ લક્ષ્મણ સીતાની શોધમાં ફરતા ફરતા ઋષ્યમૂક પર્વત પર પહોંચે છે. આ પર્વત પર વાનરરાજ સુગ્રીવ પોતાના શક્તિશાળી ભાઈ વાલીના ભયથી સંતાઈને રહેતો હતો. સુગ્રીવને આ બે વીરો પર શંકા જાય છે કે ક્યાંક આ વાલીના મિત્રો તો નથી. આથી, તે હનુમાનને તેમનો પરિચય મેળવવા મોકલે છે. હનુમાન એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને રામ-લક્ષ્મણ પાસે જાય છે અને અત્યંત નમ્રતાપૂર્વક તેમની પૂછપરછ કરે છે. જ્યારે તેમને ખાતરી થાય છે કે આ સાક્ષાત શ્રી રામ છે, ત્યારે તેઓ પોતાના વાનર સ્વરૂપમાં આવીને રામના ચરણોમાં નમન કરે છે. આ પ્રસંગ રામાયણના સૌથી ...

સૃષ્ટિ રચના અને સાંખ્ય દર્શન

સૃષ્ટિ રચના અને સાંખ્ય દર્શન કપિલમુનિ રચિત સાંખ્યદર્શનના પ્રથમ અધ્યાયમાં સૃષ્ટિ રચનાની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. આમાંથી સૃષ્ટિ રચના પ્રક્રિયા અંગેના અગત્યના સૂત્રો અને તેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. સાંખ્યદર્શન અધ્યાય - ૧ સત્ત્વરજસ્તમસાં સામ્યાવસ્યા પ્રકૃતિ: પ્રકૃતેમહાન્, મહતોડઅહંકારોઽહંકારાત્ પંચતન્માત્રાણ્યુભયમિન્દ્રિયં, તન્માત્રેયઃ સ્પુથૂલભૂતાનિ પુરુષ ઈતિ પંચવિંશતિર્ગણઃ || ૬૧ || સૂત્રાર્થ: (સત્ત્વ રજસ્ - તમસો) સત્ત્વ, રજસ્ અને તમસની (સામ્યાવસ્થા પ્રકૃતિ:) સામ્યાવસ્થા પ્રકૃતિ છે. (પ્રકૃતે: મહાન) પ્રકૃતિથી મહત્ત્વ (મહત: અહંકાર:) મહત્ત્વથી અહંકાર (અહંકારાત્ પંચતન્માત્રાણિ ઉભયમિન્દ્રિયમ્) અહંકારથી પાંચ તન્માત્રા અને બંને પ્રકારની ઇન્દ્રિયો (તન્માત્રાત: સ્થૂલભૂતાનિ) તન્માત્રાથી સ્થૂળભૂત (પુરુષ) અને આના સિવાય પુરુષ (ઈતિ પંચવિંશતિઃ ગણઃ) આમ પચ્ચીસનો સમુદાય છે. ભાવાર્થ: સત્ત્વ, રજસ્ અને તમસ્ આ ત્રણ પ્રકારનાં ગુણોનો સમૂહ છે. જેમની સામ્યાવસ્થાનું નામ પ્રકૃતિ છે. બધાં કાર્યની કારણરૂપ અવસ્થાનું નામ પ્રકૃતિ છે. મૂળ તત્ત્વ ત્રણ વર્ગમાં વિભક્ત છે અને સંખ્યામાં અનંત છે. જ્યારે ચેતનથી પ્રેરણાથી ત...

વિશ્વકર્મા નિબંધ સ્પર્ધા - 2025

(1) નિબંધનું શીર્ષક: વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાન ની ઉપાસના નુ મહત્વ  નામ:- વર્ષા જઈભાઈ  રાઠોડ  નંબર:- 7874069179 ઈમેલ:- rvj0281@gmail.com એડ્રેસ:- સેલવાસ યોગી મિલન સોસાયટી ઉતન ફળિયા દાદર નગર હવેલી વાપી ગુજરાત વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. Ex ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો. મહાભારત પ્રમાણે તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ‘ત્વષ્ટા’ તરીકે પણ ઓળખાયા. આમ વિરાટ(નરનારાયણ)થી વિશ્વકર્માના દસ અવતારો પણ થયા હોવાનું મનાય છે. વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ દેવોના સ્થપતિ હતા. દેવ-સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાન્તરમાં બીજા બે વિશ્વકર્મા થયા, જે વાસ્તુવિદ્યાના આચાર...