વિશ્વકર્મા નિબંધ સ્પર્ધા - 2025
(1)
નિબંધનું શીર્ષક: વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાન ની ઉપાસના નુ મહત્વ
નામ:- વર્ષા જઈભાઈ રાઠોડ
નંબર:- 7874069179
ઈમેલ:- rvj0281@gmail.com
એડ્રેસ:- સેલવાસ યોગી મિલન સોસાયટી ઉતન ફળિયા દાદર નગર હવેલી વાપી ગુજરાત
વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. Ex ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી વિશ્વકર્મા પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હતો. મહાભારત પ્રમાણે તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા. વિશ્વકર્મા દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ ‘ત્વષ્ટા’ તરીકે પણ ઓળખાયા. આમ વિરાટ(નરનારાયણ)થી વિશ્વકર્માના દસ અવતારો પણ થયા હોવાનું મનાય છે.
વિશ્વકર્માએ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. તેઓ દેવોના સ્થપતિ હતા. દેવ-સ્થપતિ વિશ્વકર્મા ઉપરાંત કાલાન્તરમાં બીજા બે વિશ્વકર્મા થયા, જે વાસ્તુવિદ્યાના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. આ બે પૈકી એક ઉત્તરાપથના અને બીજા દક્ષિણાપથના હતા. ‘વિશ્વકર્મા પ્રકાશ’ ઉત્તરાપથની વાસ્તુવિદ્યાનું વર્ણન કરે છે, જ્યારે ‘વિશ્વકર્મીય શિલ્પ’ દક્ષિણાપથની વાસ્તુવિદ્યાનું નિરૂપણ કરે છે.
સૃદૃષ્ટિના આદિ ભગવાન તરીકે પણ શ્રી વિશ્વકર્મા ઓળખાય છે. વિશ્વકર્માના પિતા આઠમા વસુપ્રભાસ ઋષિ હતા; જ્યારે તેમની માતા દેવગુરુ બૃહસ્પતિની બહેન યોગસિદ્ધિ હતી. એ રીતે વિશ્વકર્મા એ બૃહસ્પતિના ભાણેજ પણ ખરા.
વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્રના કર્તા તરીકે જાણીતા છે જ, ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલાના સર્જનહાર પ્રજાપતિ છે. સર્વ દેવોના આચાર્ય અને આઠ પ્રકારની સિદ્ધિઓના પ્રજાપતિ પણ વિશ્વકર્મા છે : શિલ્પ-સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદનિર્માણ વગેરે કલાઓના જન્મદાતા પણ તેઓ છે. તેમણે દેવો માટે વિવિધ સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે. આ ઉપરાંત ઇન્દ્ર, યમ, વરુણ વગેરેની વિશાળ સભાઓ તેમજ પાંડવોની ઇન્દ્રપ્રસ્થ સભાનું નિર્માણ પણ તેમણે કરેલું.
વિશ્વકર્માએ શિવની કૈલાસપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા તથા કાશીપુરી વગેરેનું પણ સર્જન કરેલું. પુષ્પક વિમાન પણ તેમનું સર્જન હતું. વિશ્વકર્માએ શ્રીકૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ-નીલે રામેશ્વરનો સેતુબંધ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે શ્રી વિશ્વકર્મા.
સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માએ વિવિધ પ્રકારનાં અસ્ત્ર-શસ્ત્ર, શક્તિ, સુદર્શનચક્ર, ધનુષબાણ, ત્રિશૂળ, વજ્ર વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્મા દેવોના પુરોહિત છે તેથી પ્રતિમાવિધાનની દૃષ્ટિએ તેમના મસ્તક પર મુગટ, જટાજૂટ અને સોહામણી શ્વેત દાઢી છે. ચતુર્ભુજ સ્વરૂપના વિશ્વકર્માના એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર (દોરી), ત્રીજામાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. તેમનું વાહન હંસ છે.
વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન(રચના)દેવી હતું. તેઓ પ્રહ્લાદનાં પુત્રી હતાં. વિરોચનદેવીવિશ્વકર્મા દ્વારા જગતના કલ્યાણ અર્થે પાંચ પુત્રરત્નો ઉત્પન્ન થયેલા; જેમાં (1) મનુ – લુહાર (2) મય – સુથાર (3) ત્વષ્ટા – કંસારા કામ કરનાર (4) શિલ્પી – કડિયાકામ કરનાર અને (5) દેવજ્ઞ – સોની. વળી ‘વાસ્તુ’ તેમનો દત્તક પુત્ર હતો. વિશ્વકર્માએ ‘વાસ્તુ’ દ્વારા ‘શ્રી વિશ્વકર્મા પ્રકાશ’, ‘સ્થાપત્ય દેવ’ જેવા મહામૂલ્ય ગ્રંથોની રચના કરાવી હતી.
વિશ્વકર્માએ માનવજીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ, સરોવરો, તળાવ, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી હતી. વળી લુહારીકામ, સુથારીકામ, માટીકામ, ધાતુકામ, કડિયાકામ વગેરે ઉદ્યોગો અને ઉદ્યમો આમજનતાને શીખવ્યા હતા, વળી વિવિધ ઓજારો કેવી રીતે બનાવવાં અને કેવી રીતે વાપરવાં તે પણ તેમણે શીખવ્યું હતું.
ગુજરાતમાં વિશ્વકર્માનો મહિમા વિશેષ છે. માઘ સુદ-13ના રોજ વિશ્વકર્મા જયંતી ઊજવાય છે. વિશ્વકર્માનું વિશાળ મંદિર ઓગણજના રસ્તે આવેલું છે. દર અમાસે અમાસવ્રતધારી અમાસ ભરવા અહીં આવતા હોય છે. આ ઉપરાંત વિશ્વકર્માની વિશાળ પ્રતિમા ઇલોરા ગુફા નં. 10માં આવેલી છે. શિલ્પીઓ અને સલાટોનું તે તીર્થસ્થળ છે.
વર્ષા રાઠોડ
સેલવાસ વાપી
(2)
નિબંધનું શીર્ષક : વિશ્વીકરણના યુગમાં વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ
નામ : દીપા પંચાલ (પિત્રોડા)
શબ્દ સંખ્યા : 700-1000
મોબાઈલ નંબર : 9179203288
ઈમેલ એડ્રેસ : panchaldeepa31@gmail.com
આથી હું દીપા પંચાલ આપને જણાવું છું. કે આપે યોજેલ સ્પર્ધાનાં તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું દીપા પંચાલ પોતે આપને બાંહેધરી આપું છું.
આપનો વિશ્વાસુ
દિપા પંચાલ
નામ - દીપા પંચાલ
એજ- ૨૬
પિતાજી નું નામ - શ્રી દિનેશ પંચાલ
Contact -9179203288
Address - ગુજરાતી ગલી, સ્ટેશન રોડ, રાચગઢ,( છત્તિસગઢ )૪૯૬૦૦૧
વૈશ્વીકરણના યુગમાં વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિ
વિશ્વકર્મા ભગવાનને શ્રદ્ધાપૂર્વક માનીને જતાં વિશ્વકર્મા સમાજે સદીઓથી હસ્તકલા, શિલ્પકલા, ઔદ્યોગિક કૌશલ્ય અને નિર્માણ ક્ષેત્રે પોતાની અનોખી છાપ છોડી છે. આજે જ્યારે વિશ્વિકરણનો યુકાળ છે, ત્યારે વિશ્વકર્મા સમાજની સામાજિક અને આર્થિક સ્થિતિમાં પણ નોંધપાત્ર ફેરફારો દેખાઈ રહ્યા છે.
વિશ્વીકરણ એટલે કે વિશ્વ એક નાનકડી બસ્તી બની ગયો છે, એ વાત સચોટ છે. ટેકનોલોજીના વિકાસ, નવા ઉદ્યોગો, આંતરરાષ્ટ્રીય વેપાર અને નવી જીવનશૈલીના કારણે દરેક સમાજને નવા અવસરો અને પડકારો બંનેનો સામનો કરવો પડી રહ્યો છે. દુનિયાની હદો હવે વણમાટી થઈ ગઈ છે અને એક ગામડાનો કારીગર પણ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની હસ્તકલા વેચી શકે છે.
વિશ્વકર્મા સમાજ મૂળથી કારીગરીના ઉસ્તાદ તરીકે ઓળખાય છે — ચારે તરફ સ્થાપત્યકલા, લોખંડકામ અને મશીનરી ક્ષેત્રે તેમની મહારત જગવિખ્યાત છે. આજના વૈશ્વિક યુગમાં આ કુશળતાનો વધતો માગ વધારાના અવસરો ઊભા કરી રહી છે. ખાસ કરીને વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાઓ અને વૃદ્ધિ પામતા શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ટેક્નિકલ સર્વિસિસ માટે વિશ્વકર્મા સમાજના લોકો માટે ઊંડા અવસરો સર્જાયા છે.
પરંતુ, સાથે-સાથે કેટલીક પડકારો પણ છે. વિશ્વીકરણના દબાણ હેઠળ પરંપરાગત હસ્તકલા અને જાતકામોની માંગ ઘટી ગઈ છે. મશીન દ્વારા ત્વરિત ઉત્પાદન થવાના કારણે હસ્તકલા પર આધારિત જીવિકા જોખમમાં પડી છે. અનેક વખત સ્થાનિક કારીગરો આંતરરાષ્ટ્રીય કંપનીઓના મોટા ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શકતા નથી. પરિણામે, ઘણા સભ્યોએ પરંપરાગત વ્યવસાય છોડીને નોકરીઓ અથવા નવનવા વ્યવસાય તરફ ઝુકાવ કરવાનો નિર્ણય લીધો છે.
આજના યુગમાં શિક્ષણ અને ટેક્નોલોજીની ભૂમિકા સૌથી મહત્વની બની છે. વિશ્વકર્મા સમાજના યુવાનો એ સમજ્યા છે કે માત્ર પરંપરાગત કુશળતાથી પૂરતું નહીં ચાલે, પણ નવી ટેક્નિકલ જ્ઞાન અને વ્યવસાયિક અભ્યાસ પણ જરૂરી છે. તેથી ઘણા યુવાનો એન્જિનિયરિંગ, આર્કિટેક્ચર, મશીન ડિઝાઇન, અને આઈટી જેવા ક્ષેત્રોમાં આગળ વધતા જોવા મળે છે.
વિશ્વકર્મા સમાજના અનેક સગાંઓએ નાના ઉદ્યોગો સ્થાપી અને આજના વૈશ્વિક બજારના માગ અનુસાર પોતાની સેવાઓને આધુનિક બનાવી છે. કેટલાક સગાંઓએ ઈ-કોમર્સ દ્વારા પોતાનું વેચાણ વધાર્યું છે અને પોતાની હસ્તકલા વિશ્વભરમાં પહોંચાડી છે. આ એક મોટી સિદ્ધિ છે કે જે સમગ્ર સમાજની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે.
સામાજિક દ્રષ્ટિએ જોવાં જાય તો, વિશ્વીકરણના કારણેઓ ખુલા સંચાર મળવાને લીધે, સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. પહેલા કેવળ પારંપરિક રીતિ-રિવાજો પર આધાર રાખતો સમાજ હવે વૈજ્ઞાનિક અને આધુનિક વિચારસરણી તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ સાથે સાથે જીવન મૂલ્યો, સંસ્કાર અને પરંપરાનું જતન રાખવાની ભૂમિકા પણ ખુબ અગત્યની બની છે.
વિશ્વકર્મા સમાજના મંદિરો અને સમુહ મંડળીઓ દ્વારા શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય વિકાસ જેવા ક્ષેત્રોમાં ઘણી યોજનાઓ હાથ ધરાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં સ્કોલરશિપ્સ, કુશળતા વિકાસ કેન્દ્રો અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો શરૂ થયા છે, જેના કારણે યુવાનો માટે નવી દિશાઓ ખુલી રહી છે.
હવે સમય આવી ગયો છે કે, વૈશ્વિક અવસરોનો સંપૂર્ણ ઉપયોગ કરી, પોતાની પરંપરાગત કુશળતાને આધુનિક તાલીમ અને ટેક્નોલોજી સાથે જોડીને વિશ્વકર્મા સમાજ વધુ ઉંચા શિખરો સુધી પહોંચે. આજના યુગમાં માત્ર શારીરિક મહેનત પૂરતી નથી, પણ સ્માર્ટ વર્ક, નેટવર્કિંગ અને વૈશ્વિક દ્રષ્ટિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સમાપન તરીકે કહી શકાય કે, વૈશ્વિકરણના યુગમાં વિશ્વકર્મા સમાજે આપેલ પડકારોને તકમાં ફેરવીને પોતાનું વિશિષ્ટ સ્થાન ઊભું કર્યું છે. જો સમૂહ રીતે શિક્ષણ, વ્યવસાયિક કુશળતા અને પરંપરાગત મૂલ્યો વચ્ચે સંતુલન સાધવામાં આવે, તો વિશ્વકર્મા સમાજ ભવિષ્યમાં એક સમૃદ્ધ અને મજબૂત સમાજ રૂપે ઊભો રહી શકે છે.
જય વિશ્વકર્મા!
(3)
વિષય:-ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ: પડકારો અને તકો
પૂર્વભૂમિકા
વિશ્વકર્મા સમાજ એ ભારતીય સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે,જે પરંપરાગત રીતે લુહારીકામ, સુથારીકામ, સોનીકામ, બાંધકામ અને કડિયાકામ તેમજ હસ્તકલા અને કારીગરી સાથે સંકળાયેલો છે. વિશ્વકર્મા સમાજ ભગવાન વિશ્વકર્માને પોતાના આરાધ્ય દેવ માને છે. પ્રાચીન ગ્રંથોમાં વિશ્વકર્માને સૃષ્ટિના રચયિતા અને દેવોના શિલ્પી તરીકે વર્ણવવામાં આવ્યા છે. વિશ્વકર્મા સમાજનું ભારતીય કલા અને સ્થાપત્યમાં મહત્વનું યોગદાન રહ્યું છે. મંદિરો, મહેલો અને ઐતિહાસિક ઇમારતોના નિર્માણમાં નોંધપાત્ર ફાળો રહ્યો છે. આધુનિક સમયમાં વિશ્વકર્મા સમાજના લોકોએ એન્જિનિયરિંગ, આર્કિટેકચર અને ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં સફળતા મેળવી છે.પોતાની મૂળ કુશળતા અને જ્ઞાનને નવા સંદર્ભમાં ઉપયોગમાં લીધું છે.વિશ્વકર્મા સમાજના લોકો પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. અશોક પંચાલ "નાજુક" દ્વારા લિખિત એક સુંદર પંક્તિમાં વિશ્વકર્મા સમાજનું આદિકાળથી આધુનિક સમૃદ્ધ યુગનું વર્ણન આબેહૂબ રીતે કરવામાં આવ્યું છે *. "હથોડી હાથમાં લઈને ઘડ્યા છે ઘાટ જીવનના, અમે ભઠ્ઠી માંહી ફેંક્યા બધા ઉચાટ જીવનના, પિતામહ વિશ્વકર્માતાતની નાજુક કૃપા વરસી, ક્ષણોમાં ભોંય ભેગા થઈ ગયા કકળાટ જીવનના".* ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ એક પરિવર્તનશીલ અને ગતિશીલ સમુદાય હશે. વિશ્વકર્મા સમાજ જે પોતાની કલા, કારીગરી, કૌશલ્ય અને સર્જનાત્મકતા માટે ઓળખાય છે, તે એક એવા ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે જે પડકારો અને તકોથી ભરપૂર છે. પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખવાની સાથે સાથે આધુનિક ટેકનોલોજી અને બદલાતા સમય સાથે તાલ મિલાવીને વિશ્વકર્મા સમાજ નવી ઉંચાઈઓ સર કરવા તરફ આગળ વધી રહ્યો છે. આજે બદલાતા સમયની સાથે તકનિકી અને સામાજિક પરિવર્તનો આવી રહ્યા છે,ત્યારે વિશ્વકર્મા સમાજે પણ પોતાની જાતને આ બદલાવ સાથે અનુકુલીત કરવી પડશે.
~~*પડકારો:*~~ માનવ જીવન આજે દરેક ક્ષેત્રે અને તબક્કે જટિલ બન્યું છે ત્યારે પડકાર શબ્દ સર્વ સામાન્ય બની ગયો છે. કહેવાય છે કે *"મુશ્કેલીમાં પણ મુકામ શોધે એ વિશ્વકર્મા સમાજ."* આવો જોઈએ કે વિશ્વકર્મા સમાજ કેવા કેવા પડકારોનો સામનો કરીને પોતાના અસ્તિત્વને ટકાવવા વૈશ્વિક બજારમાં આગળ વધી રહ્યો છે.
*૧)પરંપરાગત વ્યવસાય અને આધુનિક ટેકનોલોજી વચ્ચેનું અસંતુલન એક પડકાર:-* ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના આગમનથી ઘણા પરંપરાગત કારીગરીના કામો ઓછા થઈ શકે છે. આ સમાજના લોકો માટે નવા કૌશલ્યો શીખવા અને ટેકનોલોજી સાથે તાલ મિલાવવો એક મોટો પડકાર બની શકે છે. ટેકનોલોજીમાં ઝડપી પરિવર્તન આવી રહ્યું છે જેના કારણે આજે ઉત્પાદન અને કૌશલ્યના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવું જરૂરી બની ગયું છે. પ્રતિદિન પરંપરાગત કૌશલ્યોની માંગ ઘટી રહી છે. કારીગરોને હવે નવી ટેકનોલોજી શીખવાની અને પોતાની કામ કરવાની પદ્ધતિમાં બદલાવ લાવવાની જરૂર છે. જે લોકો આ પરિવર્તનને સ્વીકારવામાં પાછળ રહેશે, તેઓ સ્પર્ધામાં ટકી શકશે નહીં.
*૨)ઓટો મેશન અને રોબોટિક્સના યુગમાં નવીન કૌશલ્યોનું પ્રશિક્ષણ એક પડકાર:-* ભવિષ્યમાં મોટાભાગના કાર્યો ઓટોમેશન અને રોબોટિક્સ દ્વારા થવાથી માનવકાર્યના બદલે યંત્રો દ્વારા કાર્યો થશે જેના કારણે કારીગરોની સ્થિતિ જટિલ બનશે જેના કારણે સર્જનાત્મકતા તરફ વધુ ને વધુ આગળ વધવું પડશે. *૩)માળખાકીય સુવિધાઓનો અભાવ:-* ઘણા કારીગરોને કામ કરવા માટે યોગ્ય જગ્યા, સાધનો અને અન્ય જરૂરી માળખાકીય સુવિધાઓ મળતી નથી. જેના કારણે તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પર અસર પડે છે.વિશ્વકર્મા સમાજના કારીગરો ભારતીય અર્થતંત્ર અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. તેમના દ્વારા કરવામાં આવતું કૌશલ્યપૂર્ણ કાર્ય માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ધરોહરને જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આ પડકારોનો સામનો કરવા માટે તેમને યોગ્ય સમર્થન, તાલીમ અને તકો પૂરી પાડવાની જરૂર છે, જેથી તેઓ આધુનિક સમયમાં પણ પોતાની ઓળખ અને મહત્વ જાળવી રાખે. *૪)સ્થાનિક બજારના સ્થાને વૈશ્વિક બજાર એક પડકાર:-* વૈશ્વિકીકરણના કારણે બજારમાં તીવ્ર સ્પર્ધા જોવા મળી રહી છે. પહેલાંના સમયમાં કાર્યક્ષેત્ર ફક્ત ઘર અને ગામ સુધી સીમિત હતું. વૈશ્વિકરણના યુગમાં મોટા ઉદ્યોગો અને આધુનિક ઉત્પાદન પદ્ધતિઓ સામે ટકી રહેવા માટે વિશ્વકર્મા સમાજના કારીગરોને નવી વ્યૂહરચનાઓ અપનાવવાની જરૂર પડશે.
*૫)નવા નવા કૌશલ્ય અને વિકાસની જરૂરિયાત એક પડકાર:-* ઘણા યુવાનો પાસે ઉચ્ચ શિક્ષણ અને આધુનિક કૌશલ્યો પ્રાપ્ત કરવા માટે પૂરતા સંસાધનો નથી. આના કારણે તેઓ સારી નોકરીઓ અને વિકાસની તકોથી વંચિત રહી જાય છે. સમાજે આ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે અને યુવાનો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમો શરૂ કરવા જોઈએ.સમયની માંગ અનુસાર નવી નવી ડિઝાઇન,નવી સામગ્રી અને નવી ટેકનિકો શીખવી પડશે. યુવા પેઢીને આધુનિક કૌશલ્યોથી પરિચિત કરાવવા અને તેમને તાલીમ આપવી એ એક મોટો પડકાર છે.
*૬)પરંપરાગત કળા અને વિસરાતી જતી સંસ્કૃતિને જાળવવી એક પડકાર:-* આધુનિકતાની દોડમાં પોતાની ઓળખ અને પરંપરાગત કળાને જાળવી રાખવી પણ એક મહત્વપૂર્ણ પડકાર છે. યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ અને વારસાથી જોડવી જરૂરી છે.
*૭)સંગઠન અને સહકારનો અભાવ એક પડકાર:-* વિશ્વકર્મા સમાજ ભલે મોટો હોય, પરંતુ તેમાં એકતા અને સંગઠનના અભાવને કારણે ઘણીવાર પોતાના હકો માટે અવાજ ઉઠાવવામાં મુશ્કેલી પડે છે. સમાજે રાજકીય, સામાજિક અને આર્થિક સ્તરે એક મજબૂત સંગઠન બનાવવાની જરૂર છે, જે પોતાના સભ્યોના હિતોનું રક્ષણ કરી શકે અને તેમને આગળ વધવામાં મદદ કરી શકે. નાના કારીગરો અને વ્યવસાયોને મોટા પાયે સફળ થવા માટે સંગઠન અને સહકારની જરૂર છે. આજે વિશ્વકર્મા સમાજમાં કાર્ય પધ્ધતિ અંગેની સર્વ સામાન્ય કોઈ વ્યૂહરચના અને સંગઠન નથી જેથી સંગઠનલક્ષી કાર્ય કરવાની દિશામાં હજુ ઘણું કામ કરવાની જરૂર છે. *૮)બદલાતી માંગ અને સ્પર્ધા:-* ગ્રાહકોની પસંદગીઓ અને જરૂરિયાતો સતત બદલાઈ રહી છે. કારીગરો માટે આ નવી માંગને પહોંચી વળવું મુશ્કેલ બની શકે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી સ્પર્ધા કારીગરો માટે પોતાના ઉત્પાદનોને વેચવાનું મુશ્કેલ બનાવે છે. આ પડકારો વિશ્વકર્મા સમાજના કારીગરોની કળા અને તેમના જીવનધોરણ પર ગંભીર અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં, તેમને ટેકો આપવા, નવી તાલીમ આપવા અને બજાર સાથે જોડવા માટે નક્કર પગલાં લેવાની તારી જરૂર ઊભી થાય છે. *૯)ઓછો પગાર અને આવકની અસ્થિરતા:-* ઘણા કારીગરોને તેમના કામ પ્રમાણે પૂરતો પગાર મળતો નથી. બાંધકામ જેવા ક્ષેત્રોમાં કામની અનિયમિતતાને કારણે આવકની અસ્થિરતા રહે છે. વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ વધવાથી કારીગરો માટે પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે.અર્થતંત્રમાં મંદી આવે છે ત્યારે બાંધકામ અને ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં કામ ઓછું થઈ જાય છે, જેના કારણે કારીગરો બેરોજગાર બની શકે છે.
*૧૦)સુરક્ષા અને સ્વાસ્થ્યની સમસ્યાઓ એક ગંભીર પડકાર:-* ઘણા કારીગરો જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે, જેના કારણે તેઓને ઈજાઓ થવાનું અથવા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ રહે છે. તેમને ઘણીવાર પૂરતી સુરક્ષા સાધનો અને તબીબી સુવિધાઓ મળતી નથી.સામાજિક સુરક્ષાનો અભાવ જોવા મળે છે જેમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કારીગરોને પેન્શન,વીમો અને અન્ય સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી, જેના કારણે તેઓ ભવિષ્યને લઈને ચિંતિત રહે છે.
~~**તકો:-*~~ આધુનિક બજાર એક વૈશ્વિક બજાર બની ગયું છે. આજે દરેક ઉત્પાદકે માર્કેટમાં ટકી રહેવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં કદમથી કદમ મિલાવીને ચાલવું પડે છે. એક નવી આશા અને ઉત્સાહ સાથે જો નવી તકોનું સર્જન કરવામાં આવે તો અનેક પડકારોને પહોંચી શકાય છે.
*૧)નવી ટેકનોલોજીનો ઉપયોગ:-* CAD/CAM, 3D પ્રિન્ટિંગ અને અન્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વકર્મા સમાજના કારીગરો પોતાની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા વધારી શકે છે. તેઓ નવી અને આધુનિક ડિઝાઇન બનાવી શકે છે.
*૨)ઈન્ટરનેટ અને ઈ-કોમર્સ:-* ઓનલાઈન પ્લેટફોર્મ અને ઈ-કોમર્સ દ્વારા કારીગરો પોતાના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચી શકે છે. આનાથી તેમને નવા બજારો અને ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે.
*૩)કસ્ટમાઇઝેશન, સ્ટાર્ટઅપ્સ અને વિશિષ્ટ ઉત્પાદનો:-* આજકાલ લોકો પોતાની જરૂરિયાત અને પસંદગી અનુસાર કસ્ટમાઇઝ્ડ ઉત્પાદનોની માંગ કરી રહ્યા છે. વિશ્વકર્મા સમાજના કારીગરો પોતાની કુશળતાનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને કલાત્મક ઉત્પાદનો બનાવીને એક વિશિષ્ટ સ્થાન બનાવી શકે છે. યુવાનો પોતાના ટેકનોલોજીકલ અને ડિઝાઇન કૌશલ્યોનો ઉપયોગ કરીને નવા સ્ટાર્ટઅપ્સ દ્વારા રોજગારીનું સર્જન કરશે.
*૪)સરકારની સહાય અને યોજનાઓ:-* સરકાર દ્વારા કારીગરો અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાઓનો લાભ લઈને સમાજના લોકો પોતાનો વિકાસ સાધી શકે છે. *૫)સહયોગ અને ભાગીદારી:-* અન્ય ઉદ્યોગો અને નિષ્ણાતો સાથે સહયોગ કરીને વિશ્વકર્મા સમાજના લોકો નવી તકો ઊભી કરી શકે છે. ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ અને માર્કેટિંગ નિષ્ણાતો સાથે ભાગીદારી કરવાથી નવા વિચારો અને બજાર સુધી પહોંચવામાં મદદ મળી શકે છે. *૬)પર્યાવરણને અનુકૂળ અભિગમ:-* ભવિષ્યમાં ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી બહુ જ અગત્યની બની રહેશે. વિશ્વકર્મા સમાજના કારીગરો પણ ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને ઉત્પાદન પદ્ધતિઓ અપનાવશે તો વિપુલ તકોનું સર્જન કરી શકશે. *૭)વૈશ્વિક ઓળખ:-* વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાના કારણે વૈશ્વિક ઓળખ ઊભી કરવી વધુ સરળ બની છે. યુવા પેઢીને પરંપરાગત અને આધુનિક કૌશલ્યોથી પરિચિત કરાવીને વૈશ્વિક ફલક પર અનેક રોજગારીની તકો સર્જવામાં વિશ્વકર્મા સમાજ પાયાની ભૂમિકા અદા કરશે. *૮)કૌશલ્ય આધારિત વ્યવસાયોમાં અવિરત માંગ:-* આજે પણ સુથારીકામ, લુહારીકામ, સોનીકામ, અને મૂર્તિકળા જેવા પરંપરાગત કૌશલ્યોની માંગ યથાવત છે,જે લોકો પાસે આ કૌશલ્યો છે તેઓ પોતાના વ્યવસાય દ્વારા સારી આવક મેળવી શકે છે.
*૯)બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તકો:-* દેશના વિકાસ સાથે બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સતત વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્રે વિશ્વકર્મા સમાજના લોકો માટે કડિયાકામ, ફિટિંગ, વેલ્ડિંગ જેવા કામોમાં રોજગારીની ઘણી તકો ઉપલબ્ધ છે. *૧૦)નાના પાયાના ઉદ્યોગો દ્વારા રોજગારીનું સર્જન:-* સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વિશ્વકર્મા સમાજના લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરીને નાના વર્કશોપ અથવા ઉત્પાદન એકમો શરૂ કરી શકે છે. ~~*નિષ્કર્ષ :-*~~ સમગ્ર ચર્ચાને અંતે કહી શકાય કે આવનારો સમય વિશ્વકર્મા સમાજનો હશે. દેશ અને દુનિયાના વિકાસમાં વિશ્વકર્મા સમાજની ભૂમિકા મહત્વની રહેશે. ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ ટેકનોલોજી, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક સમરસતાના આધારે સમસ્ત વિશ્વને સાથે લઈને એક નવી ઉંચાઈ પ્રાપ્ત કરશે. પોતાની સર્જનશક્તિ અને કઠોર પરિશ્રમથી આ સમાજ માત્ર પોતાનો જ નહિ, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. બસ જરૂર છે માત્ર સમય સાથે બદલાવાની અને નવી તકોને ઓળખીને તેનો વધુને વધુ લાભ લેવાની. કલા અને કૌશલ્યના બળે વિશ્વકર્મા સમાજ ભવિષ્યમાં પણ પોતાની આગવી ઓળખ જાળવી રાખશે. *લેખક:-ડૉ. કુંતલ એમ.પંચાલ (પ્લોટ નંબર ૮, કૃષ્ણનગર સોસાયટી, રાજકોટ રોડ, સિહોર જી.ભાવનગર મો.૯૦૩૩૬૧૮૬૬૫)*
લેખન કરનારનું નામ : ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ
સરનામું :પ્લોટ નંબર ૮, કૃષ્ણનગર સોસાયટી, રાજકોટ રોડ, સિહોર પિન: ૩૬૪૨૪૦
શહેરનું નામ:સિહોર
તાલુકા: સિહોર
જિલ્લો : ભાવનગર
મો.નં.૯૦૩૩૬૧૮૬૬૫
બાંહેધરી પત્ર
નામ : ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ
નિબંધનું શીર્ષક :ભવિષ્યનો વિશ્વકર્મા સમાજ: પડકારો અને તકો
મોબાઈલ નંબર: ૯૦૩૩૬૧૮૬૬૫
ઉંમર : ૩૭
આથી હું ડૉ. કુંતલ મહેશભાઈ પંચાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રીની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ડૉ.કુંતલ એમ.પંચાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
આખુ નામ: ડો. કુંતલ મહેશભાઈ પંચાલ
(4)
"સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
વિશ્વકર્મા સમાજ પૌરાણિક કાળથી જ વિશ્વના શ્રેષ્ઠ શિલ્પકારો અને નિર્માણકર્તાઓ તરીકે ઓળખાયો છે. મંદિરો, મહેલો, શિલ્પો અને વિવિધ ઐતિહાસિક સ્થાપત્યોમાં તેમના કાર્યની ઝાંખી જોવા મળે છે આ વિશ્વકર્મા સમાજ એટલે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો જેમના નામ મનુ,મય,ત્વસ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ છે તેમના દ્વારા રચાયેલો સમાજ.જે ભારતનો એક મહત્ત્વપૂર્ણ શ્રમજીવી અને સર્જનાત્મક સમાજ છે, વિશ્વકર્મા સમાજ હંમેશા શ્રમ, કુશળતા અને નિર્માણના પ્રતીક તરીકે ઓળખાયો છે. જે વર્ષોથી શ્રમ નિપુણતા અને કલામાં આગળ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસમાં વિશ્વકર્મા સમાજનો વિશિષ્ટ અવકાશ રહ્યો છે. વિશ્વમાં ભલેને ગમે ત્યાં પણ જઈએ, આપણું મૂળ આપણું ગૌરવ છે ને આવા શ્રેષ્ઠ વારસાની માલિકી ધરાવતા સમાજ માટે અનિવાર્ય છે કે આ વારસાનું જતન થાય પરંતુ સાથે સાથે બદલાતા જતાં સમયની સાથે સમાજને પણ બદલાવાની જરૂર પડે છે. વિશ્વકર્મા સમાજ, આજે નવી દિશામાં આગળ વધવા માટે તૈયાર છે અને આવા પરિવર્તન માટે સૌથી વધુ જવાબદારી સમાજની યુવા પેઢી પર હોય છે. યુવાનોની ઊર્જા, નવા વિચારો અને કર્મઠતા સમાજ સુધારણા અને વિકાસ માટે મજબૂત આધારસ્તંભ બની શકે છે.યુવાનોમાં પોતાને સાબિત કરવાની તાકાત છે. તેઓ મુશ્કેલીઓ સામે લડી શકે છે અને નવી દિશાઓ શોધી શકે છે. યુવાનો એ સમાજનું ભવિષ્ય છે અને તેઓના વિચારો અને કાર્યોથી જ સમાજની ગતિ અને દિશા નિર્ધારિત થાય છે.અને આપણી યુવા પેઢીની જવાબદારી છે કે તેઓ આપણી સંસ્કૃતિનું જતન કરે, વતનના વારસાને જીવંત રાખે અને નવો વિશ્વાસ જગાવે. સમાજના યુવાનો જ છે જે આધુનિક જગતની માંગ પ્રમાણે સમાજને નવી દિશા આપી શકે છે. સમાજના વિકાસ અને સુધારણા માટે, વિશેષરૂપે યુવા પેઢીની ભૂમિકા અનન્ય અને અત્યંત મહત્વપૂર્ણ બની છે. આજે વિશ્વકર્મા સમાજ માટે પણ સમયની માંગ છે કે તેની યુવા પેઢી આગળ આવે, સુધારણા લાવે અને વિકાસના નવા મોડલ રચે. આજના સમયમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સમાજ સુધારણા અને વિકાસમાં એક દીવો બની શકે તેમ છે, જે પોતાની સકારાત્મક વિચારધારા, મહેનત અને નવીનતા દ્વારા સમાજને નવી ઊંચાઈઓએ લઈ જઈ શકે છે. જેના માટે જરૂરી છે કે તેઓ સંકલ્પબદ્ધ બને અને સક્રિય ભૂમિકા ભજવે અને આજે, જયારે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, ત્યારે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે પણ એક અનોખી તક છે –સમાજમાં સુધારણા કરવાની અને વિકાસના નવા દરવાજા ખોલવાની….
વિશ્વકર્મા સમાજે માત્ર ભૌતિક માળખાં જ બનાવ્યાં નથી, પણ સમાજના મૂલ્યો અને સંસ્કૃતિનું નિર્માણ પણ કર્યું છે. સમાજના લોકોએ પોતાની મહેનત, પ્રામાણિકતા અને શિસ્તને જીવનમુલ્યરૂપે સ્વીકાર્યા છે. આજે જ્યારે સમગ્ર વિશ્વમાં ટેક્નોલોજી અને નવીનતાની દહાડો સંભળાઈ રહી છે, ત્યારે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે પણ અપૂર્વ તકો છે. વિશ્વકર્મા સમાજના યુવાનો આજે શિક્ષણ ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ, ટેક્નિકલ સ્કિલ્સ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે તેઓ સમાજમાં જાગૃતિ અને ઉન્નતિ લાવી શકે છે. સુશિક્ષિત યુવાનો સમાજમાં સુધારણા માટે કાર્ય કરી શકે છે અને અન્ય લોકોને પણ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી શકે છે. વિશ્વકર્મા સમાજની યુવા પેઢી પાસે આજે શિક્ષણ, તકનીક જેવા સાધનો ઉપલબ્ધ છે જેનો તેઓ યોગ્ય દિશામાં ઉપયોગ કરીને સાથે કેટલીક જવાબદારીઓનું વહન કરીને સમાજ સુધારણા અને વિકાસમાં પોતાની ઐતિહાસિક ભૂમિકા ભજવી શકે છે.
હવે વાત જવાબદારીની આવે તો તમને લાગશે એવી કઈ જવાબદારીઓ હશે વળી, હા કોઈ પણ કામ નાનું હોય કે મોટું એમાં જવાબદારીઓ તો ચોક્કસપણે રહેલી છે. હવે આ જવાબદારીઓ એટલે શિક્ષણ અને જ્ઞાનનું સમાજના છેવાડાના માનવી સુધી પ્રસારણ, સમાજના નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન, અવનવી ટેક્નોલોજીનું જ્ઞાન અને તેનો ઉપયોગ,સામાજિક જવાબદારી ની સાથે સેવાકાર્ય, નેતૃત્વ અને સંગઠન: પોતે પણ આગળ વધો, રસ્તો બનાવો અને સમાજના લોકો ને પણ આગળ લાવવા નો પ્રયત્ન કરતા રહો....આમ ઉપરોક્ત તમામ જવાબદારીઓ વિષે વિગતે વાત કરું તો સમાજના યુવાનો માટે સૌપ્રથમ અને મહત્વપૂર્ણ જવાબદારી છે - શિક્ષણ હાંસલ કરવું અને તેને સમાજના અન્ય યુવા સુધી પહોંચાડવું. સમાજનો દરેક યુવા શિક્ષિત બને તથા કોઈ પણ વ્યક્તિ શિક્ષણ થી વંચિત ન રહી જાય તે બાબતે સમાજમાં જાગરૂકતા લાવવી. સમાજનાં યુવાનો ને જો શિક્ષણ લેવા બાબતે કોઈ મુશકેલી પડતી હોય તો આ માટે આર્થિક અને સામાજિક રીતે જે પણ સહયોગ આપી શકાય તે માટે હંમેશા તૈયારી રાખવી અને તેઓને મદદ પૂરી પાડવી. સમાજનો દરેક યુવાન ઉચ્ચ અભ્યાસ મેળવી શકે , ઉચ્ચ શિક્ષા દ્વારા તેઓ સમાજમાં જાગૃતિ લાવી શકે છે. અને આ રીતે સમાજમાં જ્ઞાનના પ્રકાશની રોશની ફેલાવી શકાય છે. ટેક્નિકલ કૌશલ્ય અને નવી ટેક્નોલોજીનો પ્રભાવશાળી ઉપયોગ કરી શકે તેવી સપોર્ટ સીસ્ટમ ઉભી કરી શકાય. નવાઅભ્યાસક્રમો, ટેક્નોલોજી અને વ્યાવસાયિક કુશળતામાં આગળ વધીને સમાજ માટે એક આદર્શ ઉદાહરણ રચી શકે છે. આજનો યુગ ડિજિટલ યુગ છે. વિશ્વકર્મા સમાજના યુવાનો માટે જરૂરી છે કે તેઓ IT, AI, Robotics, 3D Printing જેવી નવી ટેક્નોલોજી આત્મસાત કરે અને પોતાના વ્યવસાયોમાં તેનો સશક્ત ઉપયોગ કરે અને આજની આ આધુનિકતા અને વૈશ્વિકીકરણ વચ્ચે પણ પોતાની ઓળખ જાળવી રાખે તે જરૂરી છે સાથે સાથે યુવાનોએ પોતાના પરંપરાગત મૂલ્યો જેમ કે મહેનત, પ્રામાણિકતા, નમ્રતા અને સહ્યોગિતાનું પણ પાલન કરે અને સમાજમાં આ મૂલ્યોનું સંવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે.યુવાનો માત્ર પોતાના જીવન માટે નહીં, પણ સમગ્ર સમાજ માટે જવાબદાર છે. આરોગ્ય કેમ્પ, શિક્ષણ સહાયતા, સ્વચ્છતા અભિયાન, વૃદ્ધાશ્રમોમાં સેવાકાર્ય, વગેરેના માધ્યમથી તેઓ સમાજમાં પોઝિટિવ બદલાવ લાવી શકે છે.
જો સમાજને યોગ્ય દિશા આપવી છે, તો સૌ પ્રથમ સમાજના યુવાનોને સંગઠિત થવું પડશે. આજે એકતા, સહકાર અને સંગઠનશક્તિની સમાજમાં લોકો વચ્ચે જરૂર છે. વિશ્વકર્મા સમાજના યુવાનો યુથ ફોરમ, એજ્યુકેશનલ ટ્રસ્ટ અને સમાજસેવી સંગઠનોમાં જોડાઈ નેતૃત્વનો ભાર ઉઠાવી શકે છે. સામૂહિક પ્રયાસો તથા સેવાકાર્યો દ્વારા તેઓ પોતાના તથા સમાજના હક અને હિત માટે અવાજ ઉઠાવી શકે છે અને સમાજમાં નવી દિશા આપી શકે છે.. યુવા મંચો, દ્વારા સમગ્ર સમાજને સશક્ત બનાવવાની જવાબદારી આપણા ઉપર છે. અને તેના થકી સમાજ માટે નવી દિશા નિર્ધારિત કરી શકાય છે. વિવિધ યુવા મંચો, સામાજિક સંગઠનો અને સેવા પ્રવૃત્તિઓ દ્વારા તેઓ સમાજના તમામ વર્ગો સાથે જોડાઈ વિકાસના કાર્યો કરી શકે છે. વિશ્વકર્મા સમાજમાં પણ ઘણા એવા મહાનુભાવો થયા છે જેમણે પોતાના કાર્યથી સમાજને પ્રેરણા આપી છે. આજના યુવાનોએ એવા પ્રેરણાદાયી વ્યક્તિઓના જીવનમાંથી કંઇક શીખવું જોઈએ. શિક્ષણક્ષેત્ર, ઉદ્યોગજગત કે સમાજસેવામાં સિદ્ધિ મેળવેલા સમાજના પૂર્વજોના પગલાંઓનું અનુસરણ કરીને તેઓ પોતાનું આગવું સ્થાન બનાવી શકે છે. હા પણ આજના યુગમાં યુવાનો સામે માત્ર તકો જ નહિ તકો ની સાથે પડકારો પણ રહેલા છે. આ પડકારો એટલે રોજગારીની અછત,ટેક્નોલોજીના સતત બદલાતા ટ્રેન્ડસ,સામાજિક અને આર્થિક અસમાનતા,પરંપરાગત વ્યવસાયોના અવસાનનો ખતરો. આવા પડકારો સામે યુવાનોએ અનુકૂલન કરવાની, નવી રીતોને વિચારવાની અને સતત પોતાનું કૌશલ્ય વધારવાની જરૂર છે. જો તેઓ આ પડકારોને અવસર તરીકે જોઈ શકશે, તો તેઓના પોતાના વિકાસનો માર્ગ સરળ થશે સાથે સાથે સમાજના વિકાસ માટે પણ યોગ્ય રાહ ચિંધી શકશે. આમ સમાજના યુવાનો માટે ઘણા એવા ક્ષેત્રો છે જ્યાં તેઓ પોતાની પ્રતિભા અને શક્તિનો સારો ઉપયોગ કરી શકે છે. જેમ કે, નવો વ્યવસાય શરૂ કરી રોજગારીનું સર્જન કરવું જે માટે યુવાનો પોતના સ્ટાર્ટઅપ્સ ખોલીને, લઘુ ઉદ્યોગોને ટેકો આપી, પોતાના હાથમાં મશાલ લઇ શકે છે સમાજના યુવાનો પોતાની કુશળ હસ્તકલા અને કૌશલ્યનો ઉપયોગ કરી નવા વ્યવસાય શરુ કરી શકે છે, પોતાનાં વ્યવસાયમાં નવા આયામ ઉમેરી શકે છે જેનાથી ન માત્ર પોતાનું પરંતુ સમગ્ર સમાજનું આર્થિક સ્તર ઉંચું ઉઠી શકે છે જે અન્ય યુવાનો માટે પણ પ્રેરણાસ્ત્રોત બની શકે છે.શિક્ષણ ક્ષેત્ર શિક્ષક, પ્રોફેસર, ટ્રેનર બની આગળની પેઢીને તૈયાર કરવી.સાંસ્કૃતિક સંવર્ધન: લોકકલા, શિલ્પકલા, અને સ્થાપત્યના ક્ષેત્રે નવું સર્જન કરવું.ટેક્નોલોજી ક્ષેત્ર: નવા સોફ્ટવેર, એપ્લિકેશન અને ટેકનોલોજિકલ ઇનોવેશનમાં જોડાવું.સેવામાં: NGO, સેવાભાવી સંસ્થાઓ અને સમાજસેવામાં પોતાનું યોગદાન આપવું.જાહેર સેવા : અભ્યાસમાં સ્નાતકની પદવી મેળવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવી સરકારશ્રીમાં વિવિધ વિભાગોમાં ઉચ્ચપદ પ્રાપ્ત કરી દેશ ,રાજ્યની સાથે સમાજની સેવા કરવી.આમ .આ રીતે સમાજનો યુવાવર્ગ સમાજના વિકાસમાં પોતાનો અમૂલ્ય ફાળો અને યોગદાન આપી શકે છે.
છેલ્લે એટલું જ કહીશ કે વિશ્વકર્મા સમાજના યુવાનોમાં અમર્યાદિત શક્તિ અને ક્ષમતા છે. યોગ્ય દિશામાં અને શ્રેષ્ઠ આશય સાથે કામ કરતાં તેઓ સમાજને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે.અને આજે સમયની માંગ પણ છે કે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સંકલ્પબદ્ધ બને, શિક્ષણ, આધુનિકતા અને સંસ્કારનો સમન્વય સાધે અને વિશ્વકર્મા સમાજને આધુનિક ભારતના વિકાસમાં ગૌરવપૂર્ણ સ્થાન અપાવે ને આ માટે એક પ્રેરણાદાયી સંદેશ થકી એટલું જ કહીશ કે વિશ્વકર્મા સમાજના દરેક યુવાને યાદ રાખવું જોઈએ - "જ્યાં ઇચ્છા હોય, ત્યાં જ માર્ગ મળે છે" જ્યાં ઉત્સાહ હોય, ત્યાં વિજય નક્કી જ છે. અમે વિશ્વકર્મા સમાજના યુવાનો છીએ - સમાજ માટે પરિવર્તનના દૂત…..
"યુવા જગશે, વિશ્વકર્મા સમાજ બદલાશે!"
જય વિશ્વકર્મા!
લેખન : સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
સરનામું : ઇ-૪૦૨ ,શ્રી અંબિકા રેશીડેન્શી ,ગુડા ગાર્ડનની સામે ,હોટેલ બેલેન વાળી ગલી ,ન્યું વાવોલ ,
ગાંધીનગર, પીન -૩૮૨૦૧૬
મો.નં ૯૭૨૪૦૨૮૬૪૦
બાંહેધરી પત્ર
નામ : સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
નિબંધનું શીર્ષક : "સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
શબ્દ સંખ્યા : આશરે ૧૨૦૦ શબ્દો
મોબાઈલ નંબર : ૯૭૨૪૦૨૮૬૪૦
ઈમેઈલ એડ્રેસ : udmevada@gmail.com
આથી હું સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છું. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
સુથાર ઉમાકાન્ત દિલીપભાઇ
(5)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સંબંધ
"શ્રમ અને સર્જનનો મહિમા ઘણો મોટો,
કારીગરોના કૌશલ્યનો શ્રમ થકી ખીલે ગલગોટો
કાર્ય તણી મહેક ફેલાતી આ સૃષ્ટિ મહીં,
દાદા અને કારીગરોના સંબંધનો અતૂટ જોટો."
ભારત અતિ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. જ્યાં ભારત એટલે કે વિશ્વરૂપી મહેલમાં ભગવાનના પૂજન માટેની નક્કી કરેલી જગ્યા એટલે કે વિશ્વમંદિર. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં શ્રમ, શ્રદ્ધા અને ભક્તિનું અદકેરું મહત્વ છે. શ્રમ અને સર્જનશક્તિના પિતામહ સ્વરૂપ એટલે વિશ્વકર્મા ભગવાન અને વિશ્વકર્મા વંશજો એટલે કે કારીગરોના આરાધ્ય દેવ.
વિશ્વકર્મા ભગવાનની ઓળખ ભારતના પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. વિશ્વકર્મા એટલે સૃષ્ટિકર્તા કે જેઓ શિલ્પકલામાં નિપુણ અને શિલ્પકલાના પ્રથમ પ્રણેતા હતા. મહાભારત, રામાયણ, સ્કંદપુરાણ અને અન્ય પૌરાણિક સાહિત્યમાં તેમને બ્રહ્મા દ્વારા સર્જાયેલા શિલ્પશાસ્ત્રના જાણકાર તરીકે ઓળખવામાં આવ્યા છે. ફક્ત શિલ્પોનું જ નિર્માણ નહિ પરંતુ સમગ્ર બ્રહ્માંડના બંધારણના સર્જનહાર દાદા છે.
શિલ્પકલા, સ્થાપત્યકલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓના જન્મદાતા એટલે વિશ્વકર્મા દાદા. વિશ્વકર્મા દાદાએ ઇન્દ્રની અમરાવતી નગરી, શિવની કૈલાશપુરી, પાંડવોની ઇન્દ્રપ્રસ્થ નગરી, કુબેરની અલકાવતી, કૃષ્ણની દ્વારકા, રાવણની લંકા જેવી વૈભવી નગરોનું નિર્માણ પણ તેમણે જ કરેલું છે.
તેમણે દેવો માટે વિવિધ કલાત્મક સુંદર આભૂષણો તથા દિવ્ય વિમાનોનું પણ સર્જન કર્યું છે ઇન્દ્ર, યમ, વરુણ વગેરેના વિશાલ સભાખંડોનું નિર્માણ પણ તેમણે કરેલું છે.
સ્થાપત્ય ઉપરાંત વિશ્વકર્માદાદાએ વિવિધ પ્રકારના શસ્ત્ર-શાસ્ત્ર, સુદર્શન ચક્ર, ધનુષબાણ, ત્રિશૂલ, વજ્ર વગેરેની રચના કરી છે, આથી જ તેમને બ્રહ્માંડના પ્રથમ ઈજનેર અને શ્રેષ્ઠ નિર્માતા તરીકેની માન્યતા આપવામાં આવી છે
વાસ્તુશાસ્ત્ર તેમજ માનવજીવન ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. તેમ જ આર્ય વાસ્તુ પરંપરાના પ્રથમ આચાર્ય શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. વિશ્વકલ્યાણના અર્થે દાદાએ અનેક અવતાર ધારણ કરેલ છે. નરનારાયણના અવતાર તરીકે પણ તેમની ગણના થાય છે. દેવોને તુષ્ટ કરવા પ્રગટ થયા હોવાથી તેઓ 'ત્વષ્ટા' તરીકે પણ ઓળખાય છે.
વિશ્વકર્મદાદાના પિતાશ્રી વસુપ્રભાસ ઋષિ અને તેમના માતા બૃહસ્પતિના બહેન યોગસિદ્ધિ(અંગીરસી), વિશ્વકર્માની પત્નીનું નામ વિરોચન દેવી એટલે કે રચનાદેવી કે જેઓ કૃતિદેવી તરીકે પણ ઓળખાય છે. દાદા દેવોના પુરોહિત છે, તેમના મસ્તક પર મુગટ, મુખ પર સોહામણી શ્વેત દાઢી છે. એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળપાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે. તેમનું વાહન હંસ છે જે સ્વચ્છતા અને પવિત્રતાનું પ્રતીક છે.
આ સૃષ્ટિ જે ક્ષણે સર્જાઈ એ ક્ષણથી શ્રમ અને સર્જન એકબીજાના પૂરક બની ગયા છે. જે સૃષ્ટિના સ્થાપનારા વિશ્વકર્માદાદા શ્રમ અને કલ્પનાના પૂજારી છે. દાદાએ માનવજીવનનો પ્રકૃતિ સાથે સુભગ સમન્વય કરીને પૃથ્વી પર નદીઓ, સરોવરો, પર્વતો, વૃક્ષો વગેરેની પણ રચના કરી. દાદા મનુષ્યના ચાર લક્ષણો જેવા કે પુરુષાર્થ, ધર્મ, અર્થ અને મોક્ષની સિદ્ધિ કરાવે છે.
કારીગરો અને વિશ્વકર્મદાદાનો સંબંધ અતૂટ સંબંધ છે. કારીગરો પોતાના શ્રમ થકી સમાજમાં નવી કૃતિઓ રચે છે.એમાં એમની પાછળ દાદાના આશીર્વાદ અને શીખ રહેલા છે. દાદા અને કારીગરો વચ્ચેનો સંબંધ માત્ર ધાર્મિક શ્રદ્ધાનો નહિ, પરંતુ શ્રમ, સર્જન, કલ્પના અને સાધનાનો જીવંત સંબંધ છે. કારીગરોની મહેનત, શ્રમ અને સર્જનના મૂળમાં સ્વયંમ દાદાનું તત્વ પ્રગટ થતું જોવા મળે છે. દાદાના આશીર્વાદ તેમ જ સંકલ્પના માર્ગદર્શન રૂપે દ્રશ્યમાન થાય છે.
શ્રમ અને સર્જનના દેવ તરીકે દાદાની પૂજા થાય છે. કારીગરો અને શ્રમજીવીઓ માટે પૂજનીય તો છે જ સાથોસાથ શ્રમ અને સર્જનતાના વરદાતા પણ છે. મહેનત, શ્રમ, શ્રદ્ધા અને કુશળતાથી જ વિકાસ અને સમૃદ્ધિ શક્ય છે. વિશ્વકર્મા વંશજોને કલા સર્જનના પિતામહ તરફથી દરેક કાર્યમાં શ્રદ્ધા, નિષ્ઠા અને કુનેહ જેવા ગુણો વારસામાં મળેલ છે. દાદાએ પોતાના પુત્રોને લુહારકામ, સુથારીકામ, કડીયાકામ, શિલ્પકામ વગેરે ઉદ્યોગો માટેનું જ્ઞાન પ્રદાન કર્યું છે, વળી વિવિધ ઉદ્યોગો માટેના ઓજારોનો ઉપયોગ કેવી રીતે કરવો? ક્યાં કરવો? અને એની જાળવણી કઈ રીતે કરવી? એની પણ સમજ આપી. તેઓએ માત્ર સ્થાપત્ય નહિ પણ સામાજિક રચના માટે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. દાદાએ પોતાના પુત્રોને સાત સૂત્રો આપ્યા છે, જે દ્રષ્ટિ, ગજ, દોરી, અવલંબ, કાટખૂણો, સાંધણી, ધ્રુવકમટી આ સાત સૂત્રો એ જ દાદાના આપેલ પરમ આશીર્વાદ રૂપ છે. જે આજ સુધી જીવંત છે એથી જ વિશ્વકર્મા વંશજો(દાદાના સંતાનો) હંમેશા શ્રમ અને કાર્યક્ષમતાને વધુ મહત્વ આપે છે. કારીગરો એક એવા કૌશલ્યવાન શ્રમિકો છે જે હસ્તકલા, શિલ્પકલા, કાષ્ઠકલા અને મશીનરી ક્ષેત્રે નિષ્ણાંત છે. સમાજની ભૌતિક અને સાંસ્કૃતિકયાત્રામાં તેઓનો મહત્વપૂર્ણ અને અમૂલ્ય ફાળો રહેલ છે.
કારીગરો પોતાના કૌશલ્યથી સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપતા રહ્યા છે. તેઓ સુથારીકામ, લુહારીકામ, કડીયાકામ, સોનીકામ, શિલ્પકામ એવા વિવિધ ઉદ્યોગો સાથે સંકડાયેલા છે. એ પોતાના કર્તવ્ય થકી વિશ્વની પ્રગતિમાં ભાગીદારો રહ્યા છે. દાદાના આ સંતાનો વિના સમાજની સંરચના અધૂરી છે.
આજથી હજારો વર્ષ પહેલા પણ જ્યારે આધુનિક મશીનરી ઉપલબ્ધ નહોતી ત્યારે પણ કારીગરો પોતાની આગવી હૈયાસૂઝ દાદાના આશીર્વાદ, મહેનત તેમ જ પોતાના કૌશલ્ય દ્વારા વૈભવી મહેલ, મંદિર, શિલ્પસ્થાપત્ય અને નગરોનું નિર્માણ કરતા હતા. તેઓ માત્ર કારીગર તરીકે નહિ પરંતુ કલા માટેના જીવંત ઉદાહરણો હતા.
દાદાના પૌરાણિક પ્રસંગો પુરાણો અને કથાઓમાં આલેખાયેલા છે. વિશ્વકર્મા વંશજો માટે આ કથાઓ ફક્ત કથાઓ નથી પણ શ્રમમાં શ્રદ્ધા અને સિદ્ધિ માટેની પ્રેરણા છે. આ વિશ્વકર્મા વંશજોના કારીગરો દાદાને પરિપૂર્ણ દેવ તરીકે પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરે છે. કારીગરો રોજિંદા જીવનમાં પણ દાદાનું સ્મરણ કરે છે. કારીગરો એ દાદાના વંશજો છે, સંતાનો છે, દાદાના ક્લાશિક્ષણના ખરા વારસદાર છે.
તેઓ કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં સાધનો અને મશીનરીઓ, ઓજારોની પૂજા કરે છે, એટલે કે દાદાને તો પૂજ્ય માને છે, પણ કલાકારીગરીમાં વપરાતા સાધનો પણ કારીગરો માટે પૂજ્ય છે. કારીગરો સદાય એવું માનતા આવ્યા છે કે જે સાધનો થકી આપણાં કામમાં સફળતા મળે છે, માટે આપણા માટે તે પણ પૂજ્ય ગણાય. જો સાધનો જ ન હોય તો કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. સાધનો છે તો કાર્યમાં સફળતા છે. એથી જ કાર્યમાં વપરાતા સાધનોને સાફ-સુથરા રાખે છે, સજાવે છે અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા-અર્ચના કરે છે. મંદિરો અથવા કાર્યક્ષેત્ર પર વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ કે તસ્વીર પ્રસ્થાપિત કરીને નિયમિત પૂજાપાઠ કરીને કામની શરૂઆત કરે છે.
મહાસુદ તેરસને દિવસે કારીગરો પોતાના ઓજારોની વિશેષ પૂજા કરે છે. ખરેખર! આ કારીગરોની સરાહનીય પ્રથા છે. તેઓ એવું વિચારે છે કે ઓજારો થકી આપણને નામ, કામ, અને દામ મળે છે, જો ઓજારો જ ન હોત તો કોઈ પણ કલાકૃતિનું સર્જન અશક્ય જ બનત! આ દિવસે દરેક કારીગરના હ્ર્દયમાં એક નવી આશા અને નવી ઉર્જાનો સંચાર થાય છે અને વિચારે છે કે આપણે પણ દાદાના અનુયાયી છીએ, અમે પણ દાદાની જેમ સર્જનના યજ્ઞમાં પોતાનું યોગદાન આપશે. તેથી તે દાદાની પૂજાની સાથોસાથ ઓજારોની પણ વિધિવત પૂજા કરે છે અને ઓજારો અને મશીનરીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરે છે. મહાસુદ તેરસને દિવસે સંપૂર્ણ પણે કામ બંધ રાખે છે એટલે કે ‘અણોજો’ રાખે છે અને બધા વિશ્વકર્મા વંશજો એટલે કે કારીગરો સ્નેહ મિલન સાથે પ્રીતિ ભોજન કરે છે અને દાદાના ગુણગાન ગાય છે.
આજના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજી અને મશીનરીઓ કારખાનામાં પ્રવેશ કર્યો છે, ત્યારે પણ કારીગરોની ભૂમિકા યથાવત છે. જેમ-જેમ ટેકનોલોજી આગળ વધી છે તેમ-તેમ કારીગરોની કામગીરીનું સ્વરૂપ બદલાયું છે. યાંત્રિક પ્રક્રિયાઓ પાછળ પણ કારીગરના શ્રમ અને નિષ્ણાત કુશળતા હંમેશા જરૂરી રહી છે, ટૂંકમાં જમાના પ્રમાણે ઓજારો બદલાતા રહ્યા અને કારીગરો નવી કાર્ય પ્રણાલીમાં ગોઠવાતા ગયા. વાસ્તવિકતામાં આજે તેઓ જૂની કલાકારી સાથે નવી ટેક્નોલોજીની મજબૂતતા લાવી રહ્યા છે અને સમાજ માટે નવી સર્જનાત્મકતાઓ ઘડી રહ્યા છે.
કારીગરો સમાજના એ અંગો છે, જેના હસ્તકૌશલ્ય અને મહેનતથી સૃષ્ટિની ભવ્યાતિભવ્ય સુવિધાઓ સર્વે મેળવી શક્યા છે. કારીગરો અને વિશ્વકર્મપ્રભુનો સંબંધ અતૂટ અને સદીઓ જૂનો છે. તેઓ વિચારે છે કે આપણે દાદાના અંશ છીએ સંતાનો છીએ તો અમે કલાના પૂજારી થઈશું અને કલાને જીવંત રાખીશું.
જ્યાં સુધી સૃષ્ટિ છે, ત્યાં સુધી વિશ્વકર્મા ભગવાન અને કારીગરો વચ્ચેનો સંબંધ અતૂટ રહેશે. કારણ કે જ્યાં સુધી સર્જન રહેશે ત્યાં સુધી શ્રમ રહેશે. જ્યાં શ્રમ અને સર્જન છે ત્યાં વિશ્વકર્મા ભગવાનનું પ્રાગટય અવશ્ય રહેવાનું જ કારીગરના પ્રત્યેક હથોડાના ધબકમાં વિશ્વકર્મા ભગવાનનો મંત્રોચ્ચાર હોય છે. કોઈપણ સમૃદ્ધ સમાજનો આધાર માત્ર વિચારશક્તિથી નહિ, પણ શ્રમશક્તિ અને કૌશલ્યથી મજબૂત બને છે અને એ કારીગરોના હસ્તકૌશલ્યથી સંભવ બને છે.
વિશ્વકર્મા ભગવાન અને કારીગરોનો અતૂટ સંબંધ શ્રદ્ધાનો, શ્રમનો અને સર્જનનો અવિભાજ્ય તાંતણો છે જ્યારે એક કારીગર પોતાના હસ્તકૌશલ્યથી કંઇક સર્જે છે ત્યારે તે માત્ર સર્જન નથી કરતો પરંતુ તે વિશ્વકર્માના આશીર્વાદને જીવંત બનાવી રહ્યો છે.
ગુજરાતના સુથાર સમાજના કારીગરોએ પારંપારિક કલામાં ઊંડો અભ્યાસ કરી વારસાગત કુશળતા સાથે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આજે તેમના વંશજો પણ આ કલાને નવી ટેકનોલોજી સાથે જોડીને વૈશ્વિક બજાર સુધી લઈ જઈ રહ્યા છે.
"સૃષ્ટિનું અદભુત સર્જન દાદા વિશ્વકર્મા,
શ્રમ થકી સર્જનની કલા ફેલાવી જગતભરમાં.
પાંચ પુત્રોને બક્ષી કલા, ને પોતાના કરી સ્થાપ્યા,
તમારો જયકાર ગુંજે દાદા સચરાચરમાં."
*બાહેંધરી પત્ર*
*નામ:* ભારતી લાલજી વડગામા
C/O અમૃતલાલ સચાણિયા,
ખંભાળિયા રોડ,
મેહુલ સિનેમા પાછળ,
મયુર પાર્ક, પ્લોટ નં. 16
'અમર દિપ'
જામનગર 361006
મો.9974028646
*નિબંધનું શીર્ષક:* વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સંબંધ
*શબ્દ સંખ્યા:* 1273
*મોબાઈલ નંબર:* +91 99740 28646
*ઈમેઈલ એડ્રેસ:* blvadgama@gmail.com
આથી હું ભારતી લાલજી વડગામાં આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છીએ. તેમાં આયોજકશ્રી અને નિર્ણાયકશ્રીની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ભારતી લાલજી વડગામા પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ,
(ભારતી લાલજી વડગામા)
(6)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો :એક અતૂટ સંબંધ
~ હિતેન્દ્ર મેવાડા
વિશ્વમાં બે જ ભગવાન એવા છે જેઓ પુરુષ હોવા છતાંય તેમના નામની પાછળ "માં" શબ્દ લાગે છે.એક બ્રહ્માં અને બીજા વિશ્વકર્મા. કારણ કે આ બે ભગવાનોએ માં બનીને સુષ્ટિનું સર્જન કર્યું છે, તેનું લાલન-પાલન કરીને તેનો ઉછેર કર્યો છે. વિશ્વકર્મા ભગવાન એટલે નિર્માણ અને સર્જનના દેવતા, વાસ્તુશાસ્ત્રના પિતા, દેવતાઓના ઈજનેર.
વિશ્વકર્મા ભગવાનને શિલ્પ,સ્થાપત્ય અને કલાત્મકતાના વિશેષજ્ઞ માનવામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ,ઇંદ્રનું વજ્ર, રાવણનું પુષ્પક વિમાન...જેવા દેવતાઓના શસ્ત્રો અને અનેક કલાત્મક વસ્તુઓ વિશ્વકર્મા ભગવાનના કરકમળની કારીગરી છે.એ ઉપરાંત આભૂષણો,રથ,વિમાન,રમકડા...જેવી હજારો વસ્તુઓનું સર્જન પ્રાચીન યુગમાં વિશ્વકર્મા ભગવાન કરી ચુક્યા છે. સૃષ્ટિનું સર્જન, ઉછેર અને વિધ્વંશ જેમના થકી થાય છે એવા બ્રહ્માં, વિષ્ણુ અને મહેશ માટે રહેઠાણની વ્યવસ્થા કરવાની જ્વાબદારી વિશ્વકર્માએ નિભાવી હતી. બ્રહ્માં માટે બ્રહ્મપૂરી, વિષ્ણુ માટે વૈકુંઠ અને મહેશ માટે કૈલાશપૂરી નું નિર્માણ ભગવાન વિશ્વકર્માના વરદ હસ્તે થયેલું હતું.
કહેવાય છે કે લંકા સુધી પહોંચવા માટે સેતુ બનાવવાનો પ્રસંગ આવ્યો ત્યારે પ્રભુ શ્રીરામે વિશ્વકર્માની સહાયતા માંગી હતી.એ જ રીતે કૃષ્ણ ભગવાન માટે અલૌકિક નગરી દ્વારિકાનું નિર્માણ અને પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરી પણ વિશ્વકર્માનું સર્જન હતું. પ્રાચીન કથા મુજબ મૂળે તો ભગવાન શંકરે પાર્વતીને ભેટ આપવા માટે વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા આપીને સોનાની લંકા બનાવી હતી.જેની ગૃહપ્રવેશની વિધિ કરાવવા માટે બ્રાહ્મણ તરીકે રાવણને બોલાવાયો હતો.પરંતુ સોનાની લંકા ના સ્થાપત્ય નો બેનમૂન નજારો જોઈને રાવણને મનમાં થયું કે આવી અદ્દભુત નગરી તો મારી પાસે જ હોવો જોઈએ.એટલે ગૃહપ્રવેશની વિધિ કરાવ્યા પછી રાવણે કપટ કરીને દક્ષિણામાં લંકા માંગી લીધી હતી. આમ સતયુગમાં જોવા મળતી દરેક અલૌકિક અને બેનમૂન નગરીઑ, મહેલો અને સ્થાપત્યો વિશ્વકર્મા ભગવાનની કળા કારીગરના ઉત્તમ ઉદાહરણ છે.
વિશ્વકર્મા પ્રભુના પાંચ પુત્રો હતા.જેમને પૃથ્વી ઉપર મોકલતા પહેલાં તેઓ પોતાનું ભરણ પોષણ કરી શકે એ માટે અલગ અલગ હુન્નર ની બક્ષિસ આપી હતી. જેમકે પ્રથમ પુત્ર મનુ એટલે લુહારને લોખંડને લગતી કામગીરી, બીજો પૂત્ર મય એટલે સુથાર ને કાષ્ઠને લગતી કામગીરી એટલે કે સુથારી કામ, ત્રીજો પુત્ર ત્વષ્ટા એટલે કંસારાને તાંબાની ધાતુને લગતી કામગીરી, ચોથો પુત્ર શિલ્પી એટલે કુંભારને માટી કામની કામગીરી અને પાંચમો પુત્ર દેવજ્ઞ કે જેને સુવર્ણ ધાતુને લગતી કામગીરી કરવાની કળા આપી હતી.
વિશ્વકર્મા કારીગર વર્ગના આદર્શ અને આરાધ્ય દેવ છે. કોઈપણ કારીગર માટે વિશ્વકર્મા ભગવાન કૌશલ્ય, સર્જનાત્મકતા અને નવીનતાનું પ્રતીક છે.કારીગરને વિશ્વકર્મા પ્રભુના આશિર્વાદ હોય છે,તેના હાથમાં જન્મજાત કસબ હોય છે.તે કોઈપણ કુદરતી વસ્તુને છોલીને, કાપીને, ટીપીને, ઘસીને કે જોડીને તેને એક નવો આકાર આપી શકે છે અને નવીન વસ્તુનું સર્જન કરી શકે છે.જેમકે સુથાર લાકડાને ઘાટ આપીને તેમાંથી ટેબલ. ખુરશી, કબાટ જેવી અનેક વસ્તુઓ બનાવી શકે છે. તે જ પ્રમાણે કુંભાર માટી માંથી, સોની સોના માંથી અને લુહાર લોખંડ માંથી હજારો વસ્તુઓનું નિર્માણ કરવાનું હુન્નર ધરાવે છે. કારીગર વિના દુનિયા કદાચ આટલી રળિયામણી ના હોત.આપણા ઘર,મંદિર,ઓફિસ કે ઇમારતમાં જોવા મળતી વસ્તુઓને ધ્યાનથી જુઓ, એ દરેક વસ્તુ કોઈ ને કોઈ કારીગરના હાથે નિર્માણ પામી હશે, કોઈ કારીગરની કરામતી આંગળીઓ વડે તેનો ઘાટ ઘડાયો હશે, કોઈ કારીગરે તેનામાં લોહી-પરસેવો રેડીને, મનથી કલ્પનાના રંગો પુરીને તે વસ્તુને આકર્ષક અને મનમોહક બનાવી હશે, આપણી જરૂરિયાત મુજબ તેને કાપીને, છોલીને કે જોડીને ધાટ આપ્યો હશે. કારીગર પાસે સામાન્ય વસ્તુઓને પોતાના હાથના કસબ વડે અસામાન્ય કૃતિઓ બનાવવાનું હુન્નર જન્મજાત હોય છે.
કુદરત તરફથી મળતી દરેક ધાતુ કે વસ્તુ જે સ્વરૂપમાં મળે છે તે જ સ્વરૂપમાં ઉપયોગી પણ નથી હોતી કે સુંદર પણ નથી હોતી. જો લાકડું, માટી કે લોખંડ મૂળ સ્વરૂપમાં જ રહે તો કદાચ એટલા અંશે ઉપયોગી નથી બનતું પરંતુ કારીગરના હાથે તેનું ઘડતર થાય છે ત્યારે તે ઉપયોગમાં લઇ શકાય તેવી વસ્તુ બને છે અને તે વસ્તુનું સૌદર્ય, કીંમત અને ઉપયોગીતા વધી જાય છે. જો કારીગર ના હોય તો કુદરત તરફથી મળેલ દરેક વસ્તુ કદાચ અધૂરી, બિન ઉપયોગી અને બદસુરત રહી જાત.એક પથ્થરને ભગવાનની મુર્તિ બનાવવાની કળા અને કૌશલ્ય વિશ્વકર્મા પ્રભુએ તેમના માનસપુત્રોને વારસામાં આપી છે.
દુનિયા ભલે "ડિજિટલ" બની રહી હોય,દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી અને મશીનરીનો દબદબો વધતો જતો હોય પરંતુ કારીગર વિના આજેપણ કોઈ ઇમારતનું બાંધકામ કે વસ્તુનું સર્જન થઈ શકતું નથી. કારીગરના હાથની બનેલી વસ્તુમાં જે ચોકસાઇ, ટકાઉપણું, નવીનતા અને બારીકાઈ આવે છે તે મશીનથી આવતી નથી.દુનિયામાં જેટલી જરૂર ડોક્ટર કે ઇજનેરની હોય છે એટલી જ જરૂર કારીગરની પણ હોય છે.દુનિયામાં બેરોજગારીનો આંક ભલે વધતો જતો હોય પરંતુ કારીગરના દીકરાની પાસે વિશ્વકર્મા ભગવાન દ્વારા આપવામાં આવેલ કુદરતી બક્ષિસ છે.કારીગર નો દીકરો કદી ભૂખે નથી મરતો. તે પોતાના હાથના હુન્નર વડે સરળતાથી રોજી-રોટી કમાઈ શકે છે અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે છે.તે સ્વયંમ આત્મનિર્ભર હોય છે.એટલુ જ નહિ બીજા લોકોને પણ રોજગારી આપવા માટે સક્ષમ હોય છે.
આધુનિક જમાનામાં વર્ણવ્યવસ્થાનું સ્વરૂપ બદલાયું છે. હવે સોનાનો ધંધો ફ્ક્ત સોની કરે અને સુથારી કામ ફ્ક્ત સુથાર જ કરે કે લોખંડનું કામ લુહાર જ કરે એવું રહ્યું નથી.કોઈપણ વ્યક્તિ કોઈપણ ધંધો કરવા માટે મુક્ત છે.પરંતુ અનુભવે જણાયું છે કે સોની નો દીકરો સોનાનું કામ કરે અને કુંભારનો દીકરો માટીકામ કરે, સુથાર નો દીકરો સુથારીકામ કરે તેની બરાબરી બીજો કોઈ માણસ કરી શકતો નથી. કારણ કે વિશ્વકર્મા ભગવાનની તેના ઉપર સાક્ષાત કૃપા છે. “મોર ના ઈંડા ચીતરવા ના પડે” તે જ રીતે પેઢી બદલાય તેની સાથે પરંપરાગત કળા અને કારીગરીનો વારસો એક પેઢી માંથી બીજી પેઢીમાં આપોઆપ ફેરબદલ થાય છે.સુથાર ના દીકરાને સુથારી કામ શીખવા માટે ક્લાસ ભરવા જ્વું પડતું નથી.તે પિતા,ભાઈ કે કાકા ને કામ કરતા જોઈને તે શીખતો જાય છે.
વિશ્વકર્મા પ્રભુએ કારીગર વર્ગને વરદાનરૂપે ત્રણ ગુણ આપ્યા છે : સર્જનાત્મકતા, સ્વનિર્ભરતા અને સ્વશિક્ષણ. આ ત્રણેય ગુણ તેનામાં જ્ન્મજાત છે. એટલે જ સર્જનશક્તિનો જ્યાં વધુ ઉપયોગ થતો હોય ત્યાં કારીગર નો દીકરો બીજાઓ કરતાં વધુ સફળ થાય છે. જેમકે એંજિનિયરિંગ, આર્કિટેકચર કે ઇંટીરિયર ડેકોરેશનના ક્ષેત્રમાં વિશ્વકર્મા સમાજના યુવાનો અન્ય સમાજના યુવાનો કરતાં વધુ સફળ જોવા મળે છે. કારણ કે સર્જનાત્મકતા તેમને લોહીમાં મળી છે. વાસ્તુશાસ્ત્રની સૌથી સારી સમજ વિશ્વકર્મા સમાજના વ્યક્તિ પાસે હોય છે કારણ કે તે વિશ્વકર્મા પ્રભુની ઘરોહર છે, જે વિશ્વકર્મા સમાજના સંતાનને વારસામાં મળેલ છે. કહેવાય છે કે વિશ્વકર્મા સમાજના બાળકો અને યુવાનોના અક્ષર પણ સુંદર અને મરોડદાર હોય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આધુનિક યુગમાં યુવાપેઢી પરંપરાગત વ્યવસાયો થી દૂર થઈ રહી છે અને "વ્હાઇટ કોલર જોબ" તરફ વધુ આકર્ષાઈ રહી છે. વિશ્વકર્મા ભગવાને જે અદ્ભુત વારસો આપ્યો છે તે કામ જરાપણ ઉતરતું કે નિમ્ન નથી.ખરેખર તો આજના જમાનામાં જ્યારે બાંધકામનું પ્રમાણ સતત વધી રહ્યું છે તે જોતાં એક કારીગર પોતાની કુશળતાથી આર્થિક રીતે પગભર બની શકે છે. આવનારા સમયમાં કદાચ એવી પરિસ્થિતિ ઉભી થશે કે અડધી રાત્રે જરૂર પડશે તો ડોક્ટર સરળતાથી મળી જશે પણ કારીગર નહી મળે. દુનિયા આપણા વ્યવસાયનું સન્માન ત્યારે જ કરશે જયારે આપણે આપણા વારસાગત વ્યવસાયનું સન્માન કરીશું.કારણ કે પરંપરાગત વ્યવસાય થકી જ આપણા સમાજનો યુવાવર્ગ બેકારીના ખપ્પરમાં હોમાતો અટકશે અને મસ્તક ઊંચું કરીને આજીવિકા મેળવી શકશે.વિશ્વકર્મા તેરસ ની ઉજવણીની થીમ હોવી જોઈએ : “શ્રમ નો મહિમા”
વિશ્વકર્મા ભગવાન અને કારીગર વર્ગનો સંબંધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને વ્યવસાયિક રીતે ઊંડો અને અનોખો અને અતુટ હોય છે.કારીગર સમાજ અને વિશ્વકર્મા પ્રભુ એક આધ્યાત્મિક અને વ્યવસાયિક બંધનથી જોડાયેલા છે. વિશ્વકર્મા પ્રભુ કારીગર વર્ગ માટે માત્ર આરાધ્ય દેવ નથી, પરંતુ તેમના જીવનનો પ્રેરણાસ્ત્રોત અને આદર્શ છે.પ્રત્યેક કારીગર માટે વિશ્વકર્મા એ ગર્વ અને ગૌરવનું પ્રતિક છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે.વિશ્વમાં કોઈપણ જગ્યાએ વિશ્વકર્મા ની વાત થશે ત્યારે કારીગર વર્ગને ચોક્કસ યાદ કરવામાં આવશે કારણ કે કારીગર વિનાના વિશ્વકર્મા અને વિશ્વકર્મા વિના કારીગરની કલ્પના પણ થઈ શકે નહિ. વિશ્વકર્મા અને કારીગર વર્ગનો સંબંધ વ્યવસાયિક ઓળખ અને ગૌરવનું પ્રતિક છે.એ જોડાણ ગુરુ અને શિષ્ય સમાન અતૂટ અને અમર છે. જય વિશ્વકર્મા.
બાહેંધરી પત્ર
આથી હું હિતેન્દ્ર કાંતિલાલ મેવાડા બાહેંધરી આપું છું કે મારા દ્વારા મોકલવામાં આવેલ નિબંધ તદ્દન મૌલિક છે અને કોઈપણ જગ્યાએ છપાયેલ નથી.
(7)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: અતૂટ સંબંધ
આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા સમાજની વિશ્વકર્મા સમાજની જે આજનો વિશ્વકર્મા સમાજ સસક્ત તો છે. જ પણ આપણી આવતી કાલનો પણ વિશ્વકર્મા સમાજ સસક્ત અને રચનાશીલ હશે. એવુ આપણે સર્વે સ્વપ્ન લઈને બેઠા છીએ.
વિશ્વકર્મા પ્રભુને અઢાર લોકના નિર્માણ કર્તા કહ્યા છે. આજના આ આધુનિક યુગમાં વિશ્વકર્મા સમાજના પુત્રો તરીકેનો ફાળો કેટલો? વિશ્વકર્મા પ્રભુનો અતૂટ સંબંધ કારીગરો સાથે કૅવો છે? એ આવો આપણે પણ જાણીએ વિરાટ વિશ્વકર્મા પ્રભુ વિશે તેના કાર્યો વિશે આપણે જેટલું જાણીએ એટલું રજુ કરીએ.
આ ત્રિલોક જગતની રચના કોણે કરી? અઢાર બ્રહ્માંડ ની રચના કોણે કરી? ધરતી ઉપર નદી, તળાવ, પર્વત, જળ, વાયુ, સમુદ્ર, આકાશ, અને દિશાઓનું નિર્માણ કોણે કર્યું? પૃથ્વીને ડગમગતી સ્થિર કોણે કરી?એ સર્વના રચયિતા કોણ? માતાના ઉદરમાં પશુ, પક્ષી, જડચર, વનચર,અને મનુષ્ય ના ઘાટ કોણે ઘડ્યા? આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉપજે છે! તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળ આ ત્રણ ભુવનરૂપી ત્રણ લોકોનું નિર્માણ વિશ્વકર્મા પ્રભુએ તો કર્યું છે તેથી તે ત્રિભુવનનાથ કહેવાયા ત્રિભુવનનાથના ગુણ ચરિત્ર અનંત છે. તેને વિરાટ વિશ્વકર્મા પ્રભુથી સહુ કોઈ જાણે છે. તે જ સંસારનું સર્જન કરે છે.
ધર્મ શાસ્ત્રના કથન અનુસાર દેવતાઓના સમસ્ત માનવજીવન સમુદાયના શિલ્પકાર ભગવાન શ્રી વિશ્વકર્મા છે. હિન્દુધર્મમાં વિશ્વકર્મા ભગવાનને નિર્માણ તથા સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે. વિશ્વકર્મા અંતર્ગત વિશ્વકર્મા ભગવાન બ્રહ્માજીના પુત્ર ધર્મ સાતમા પુત્ર છે. શ્રી વિશ્વકર્મા જયંતીએ તેમનું પૂજન કરવામાં આવે છે.
સ્થાપત્તિ હિન્દૂ દેવ વિશ્વકર્મા સમર્પિત ઉત્સવ છે. તેમને સ્વયંભુ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે.
પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું જ્યાં કૃષ્ણે શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયાસભા અને દેવતાઓ માટે ઘણા શાસ્ત્રોના નિર્માતા હતાં. તેમને એમ પણ દેવી સુથાર કહેવામાં આવે છે. ઋગ્વેદમાં સ્થાપત્ય વેદ ના જનક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિશ્વકર્મા દાદા અને કારીગરોનો પણ આ રીતે અતૂટ સંબંધ કહેવામાં આવે છે. કેમકે વિશ્વકર્મા દાદાના કાર્યોને અનુસરીને જ રચનાત્મક કાર્યો કરવાની પ્રેરણા મળે છે.
વિશ્વકર્મા દાદા એક મહાન સર્જક હતાં. વિશ્વકર્મા પ્રભુએ શ્રી કૃષ્ણના કહેવાથી વૃંદાવનની પણ રચના કરી હતી. વળી તેમના અંશાવતાર નલ - નીલે રામેશ્વર નો સેતુ બાંધ્યો હતો. એમ કહેવાય છે કે વિશ્વનું પ્રત્યેક કર્મ જે કરે છે તે વિશ્વકર્મા પ્રભુ સ્થાપત્ય ઉપરાંત વિવિધ પ્રકારના અસ્ત્ર - શસ્ત્ર, શક્તિ સુદર્શન ચક્ર, ધનુષબાણ, ત્રિશુળ, વ્રજ, વગેરેની પણ રચના કરી છે. વિશ્વકર્માએ શિવની કૈલાશપુરી, ઇન્દ્રની, અમરાવતી, કુબેરની અલકાવતી, રાવણની લંકા વિશ્વકર્મા એ વાસ્તુવિદ્યા સ્વયં બ્રહ્મા પાસેથી પ્રાપ્ત કરી હતી.
વિશ્વકર્મા દેવોના શિલ્પી અને શિલ્પશાસ્ત્ર ના કર્તા જાણીતા છે. ઉપરાંત ઔદ્યોગિક શિલ્પકલા ના સર્જહાર પ્રજાપતિ છે. શિલ્પ સ્થાપત્ય કલા, ચિત્રકલા, કાષ્ઠકલા, મૂર્તિકલા, પ્રાસાદ નિર્માણ વગેરે કલાઓનો જન્મદાતા પણ તેઓ છે. આ રીતે એક સર્જનહારનો અતૂટ સંબંધ તેના કારીગરો સાથે રહેવાનો જ આદિ અનાદિકાળથી ચાલી આવતી કલા - કારીગરીમાં વિશ્વકર્માદાદાનો તો હાથ છે.
એકવાર વિશ્વકર્માપ્રભુએ રાવણના કહેવાથી તેની લંકનગરીનુ અદભુત નિર્માણ કર્યું. સોનાની પાટોથી હીરા - ઝવેરાત કલા - કૌશલ્યનો અદભુત નમૂરૂપ જાણે જ્યોતિનો પુંજ હોય તેવું લંકા નગરીનું વિશ્વકર્મા એ નિર્માણ કર્યું. દેવતાઓને પણ સ્વર્ગની શોભા ઝાખી લાગી. આટલી સરસ રચના જોઈને રાવણને અભિમાન ચડી ગયું. પોતે વિચારી લીધું કે મારી તાકાત ભયને લીધે વિશ્વકર્માએ આવુ નિર્માણ કર્યું. એથી કરીને વિવેકભાન ન રહયું. તેથી કરીને વાસ્તુપૂજન કે વિશ્વકર્માદાદાનું પૂજન કર્યું નહિ. રાવણના અભિમાન ઉપર પ્રભુને હસવું આવ્યું.
વિશ્વકર્મા પ્રભુ રાવણના આવા વર્તનથી ખોટું લગાડ્યા વગર શિવજીના કાર્ય માટે પહોંચી ગયા. વિશ્વકર્માની રાહ જોઈને બેઠેલા પાંચસો પંચોતેર કારીગરો આવી ગયા. પ્રભુએ સર્વેને કામે લાગી જવા કહ્યું. પાંચસો પંચોતેર કારીગરોને સંપૂર્ણ કામ આપી શિવજીની ઈચ્છા મુજબનું ભવ્ય શિવાલય બાંધ્યું. સોનુ, રત્ન, હીરા, માણેક, જડીને શીખરબંધ અજોડ મંદિર કંડારવામાં આવ્યું. શિવાલય નુ કાર્ય પૂરું થતા. થતા જ શિવજીને બોલવામાં આવ્યા. શિવજી શિવાલય ને જોઈને ખુબજ પ્રસન્ન થયા. શિવજીને વિશ્વકર્મા પ્રભુ પ્રત્યે અતિ પ્રેમ ઉભરાયો ખુબજ ખુશ થયા. હે! વિશ્વકર્મા પ્રભુ આપ ખુબ જ મહાન છો. પ્રભુ તમે એકદમ સરળ હૃદયના છો. હું ખુબજ પ્રસન્ન છું. આપના પર હે! વિશ્વકર્માપ્રભુ હું તમને સાચા હૃદયથી વચન આપું છું કે તમારા વંશજો જગતમાં મહાન સૂત્રધાર કહેવાશે તમારા વંશજો આદિ વિરાટ વિશ્વકર્મા પ્રભુએ રચેલી સર્વ સૃષ્ટિના આશ્રયદાતા બનશે. આ પૃથ્વી રૂપવાન, ગુણવાન તથા સૌંદર્યવાન તમારા થકી જ થાશે.
તમારા વંશજોએ, સુખી થવા માટે જગતમાં માન કીર્તિ મેળવવા શાસ્ત્રોની પુરી મર્યાદા જાળવવી અને વ્યભિચારથી દૂર રહેવું. કારણ કે વિશ્વકર્માવંશનું સઘળું શરીર મન પવિત્ર રહેશે. આ મારું વિશ્વકર્મા વંશજોને વરદાન છે.
વિશ્વકર્મા દાદાના દરેક પુત્રો જેવા કે સુથાર, સલોટ,કડિયા, લુહાર સર્વેને હથિયાર ની વિધિ કરવા સમજાવે છે. અને બાર મહિનામાં પાંચ અણુજા પાડવાનું દાદા સમજાવે છે. અમાશના દિવસે દાદાનું સ્વરૂપ પ્રગટ્યું હોવાથી અમાશના દિવસે અણુજો પાળવો જોઈએ. બીજો અણુજો મહાસુદ પાંચમના દિવસે પાળવો. તે દિવસે દાદાની મૂર્તિનુ સ્થાપન થયું હોય અને ત્રીજો અણુજો દશેરાના દિવસે પાળવો જોઈએ. દશેરાના દિવસ હથિયાર પૂજાનો દિવસ છે. સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને વિશ્વકર્માદાદાનું ધ્યાન ધરવું. અને હથિયાર ના હાથા કાઢીને એક પાત્રમાં મૂકી શુદ્ધ ભાવથી પૂજન કરવું. પછી તે દિવસે ઉત્થાપન કરીને નવા હાથા બેસાડવા. તેની સાથે નવો ગજ કરવો. ખેરવો લેવો. બત્રીસ હાથ લાબું સુતર લેવું. અને તેના ઉપર વીંટી દેવું ગજ સુતર હાથમા રાખી વિશ્વકર્મા પ્રભુની સામે ઉભા રહી મંત્ર બોલી સાષ્ટાન્ગ પ્રણામ કરવા.
" ૐ ત્રિગુણાતમાય વિદમાહે સૃષ્ટિકર્તા
ધીમહી તન્નો વિશ્વ પ્રાચોદયાત ".
અને ચોથો અણુજો મહાસુદ તેરસને દિવસે ને પાંચમો અણુજો શ્રાવણ સુદ એકાદશીને પાળવો.
જગતનું કલ્યાણ કરનાર વિશ્વકર્માના અવતારો છે. તેમાં ખાસ ત્વષ્ટા વિશ્વકર્મા અને પરિવારનો અદભુત ફાળે છે. બીજા દરેક આવતારોના નામ બદલતા રહે પણ વિશ્વકર્મા પ્રભુનું નામ કદી બદલાતું નથી. તેનો વંશ પણ વિશ્વકર્મા થી જ ઓળખાય છે. વિશ્વકર્મા વંશજોનુ અહોભાગ્ય આ ભારતની મહાનતા કલા - કારીગરી ના નમૂના બદલાશે વિજ્ઞાનના સિદ્ધાંતો બદલે પણ તેને બનાવનાર રચના કરનાર વિશ્વકર્મા નામ નહિ બદલાય. તે તેની પરિવારની પરંપરા વિશ્વકર્મા નામ એક જ રહેશે વિશ્વકર્મા ભગવાન અને તેના કારીગરો નો સંબંધ અતૂટ છે. અને રહેશે.
જેમકે વિશ્વકર્મા દાદાનો કારીગરો ઉપર હાથ હોય છે. અને દાદાનું વરદાન છે. કે જ્યાં પોતાની કલા કારીગરી અજમાવે છે. તે સમાજ તેનાથી ખુશ હોય છે. અને તેનું કૌશલ્ય પણ ઉભરતું જ રહે છે. અને વિશ્વકર્મા દાદાના પુત્રોને કોઈ દિવસ હથિયાર લાગે તો ધનુર નથી ઉપડતું કે નથી ઘા પાકવાનો ભય રહેતો.
યુગો- યુગોથી વિશ્વકર્મા દાદાનો અને કારીગરો નો અતૂટ નાતો જોડાયેલો રહે એવુ દાદા ઈચ્છે છે. જુઓ હું આપણને વિશ્વકર્મા દાદાનો સંદેશો એજ છે કે એકબીજા સંપીને કામ કરજો દાદા હંમેશા એના સંતાનોને સુખી જોવા મોભે છે.
સુખ સમૃદ્ધિ ત્યાં આવે જ્યાં સંપ હોય કામમાં ખંત હોય અને કપરો પરિશ્રમ હોય વિવેક હોય ને નીતિ હોય ત્યાં હૃદયમાં હું વસુ છું.
મુજ કાર્ય કરવા ન કરે કોઈ પાછી પાની,
તેને હૈયે હું રાખું હું આશિષ દવ છાની,
છાની આશિષ જો ફળે તો થઇ જય બેડો પાર,
જો દાદાએ ખોળે લીધા તો થઇ જય ભવપાર,
ખુશી ખુશી સહુ રહેતો દાદા બહુ હરખાય,
આપણ સારા કામ કરીએ તો દાદાના પુત્ર લેખાય,
હળીમળીને કામ કરશો તો રહેશો સુખ પામી,
એકબીજા વણ કામ ન થાય થાય તો રહે ખામી,
ત્યાં તમારું પૂજન થાશે માટે સંપ આદરજો,
આવી સહુ શીખ દીધી ત્યારે થયા સહુ રાજી,
સુખી થાજો સુખી થાજો આશિષ દીધી ઝાંઝી,
માનવ કલ્યાણ કાજે પ્રગટ્યા પ્રભુ જગમાય,
શીદને ઠાલો -ઠાલો મનમાં મનમાં તું મૂંઝાય,
વિશ્વકર્માદાદા એટલે આમાં વિશ્વના સર્જનહાર છે. આપણા વિશ્વકર્મા પ્રભુ વિશે અને એમના રચનાત્મક કાર્ય વિશે જેટલી ગાથા જાણીએ એટલી ઓછી.
વિશ્વકર્મા સંતાનો એજ એમના કારીગરો આપણે દાદાના સંતાનો છીએ. એમના બનાવેલા રાહ પર ચાલવાના દાદાના રચનાત્મક કાર્યો જાણીને આપણે દંગ રહી જઈએ.
તો ચાલો સહુ સાથે મળીને વિશ્વકર્મા પ્રભુ ના કાર્યોને અનુસરીએ. આપણે જય વિશ્વકર્મા ના નાદ સાથે સહુ વિચરીએ હર એક ઘરમાં વિશ્વકર્મા દાદાનું પૂજન થવું જોઈએ. દાદાએ તો આપણને એવી જીવાઈ આપેલી છે કે તેના થકી આપણે સુખી છીએ. માન - અકરામ મળે છે. એક દિવસ એવો આવશે કે આપણા સહુના પ્રયત્ન થી વિશ્વકર્મા દાદાને ખૂણે - ખૂણેથી મહિમા ગવાશે.
વિશ્વકર્માદાદાએ માનવજીવન કલ્યાણ અર્થે બહુ સરસ સંદેશ આપ્યો છે.
પ્રાચીન કાળ માં ભગવાન વિશ્વકર્મા એ પોતાની અનંત શક્તિ દ્વારા વરદાન આપીને માનવજીવન ને જીવવાની કળા શીખવી છે. આજે માણસ માર્ગથી ભટકી ગયો છે. આ ભૌતિકવાદના યુગમાં ભગવાન વિશ્વકર્મા ની પૂજા ઉપાસના જરૂરી છે. કારણ કે ભગવાન વિશ્વકર્માનુ નામ લેવાથી માનસિક અશાંતિથી રાહત મળે છે.
" જય વિશ્વકર્મા
( વર્ષા સી મિસ્ત્રી )(અમદાવાદ )
:બાહેંધરી પત્ર :
નામ :વર્ષા સી મિસ્ત્રી.
નિબંધ નુ શીર્ષક :વિશ્વકર્મા ભગવાન કારીગરો :અતૂટ સંબંધ
શબ્દ સંખ્યા :1229
મોબાઈલ નંબર :8140761048
ઈ મેઇલ એડ્રેસ :------
આથી હું વર્ષા બેન સી મિસ્ત્રી આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધા ના તમામ નિયમોને જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો છે નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ મારો મૌલીક નિબંધ છે. અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી.તેમ છતાં કોઈ પણ માધ્યમ માં તે ઉપલબ્ધ હશે તો તેના જવાબદાર અમે પોતે ગણાશું. તેમ તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહિ. આયોજક શ્રી અને નિર્ણાયક દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજુર રહેશે તેમની સામે અમે કોઈપણ પ્રકાર નો વિવાદ કરીશું નહિ તેની હું વર્ષા બેન સી મિસ્ત્રી પોતે આપને બાહેંધરી આપું છું.
આપનો વિશ્વાશુ
વર્ષા સી મિસ્ત્રી.
(8)
વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ :
વિશ્વકર્મા ભગવાન .......
જેમની જરૂર તો સ્વયમ ભગવાનને પણ પડે છે. જ્યારે પણ એમને કોઈ આવાસ બનાવવું હોય... જ્યારે પણ એમને કોઈ સિંહાસન બનાવવું હોય કે પછી કાઈ બીજું બનાવવું હોય... ત્યારે વિશ્વકર્મા ભગવાન જ એમને સહાય કરે છે. આપણે ખુબ જ સૌભાગ્યશાળી છીયે કે આપણે એ વિશ્વકર્મા ભગવાનના અંશ છીએ. ઈશ્વરે બનાવેલી આ સુંદર સૃષ્ટિ આપણે હજી વધારે સુલભ બનાવી શકીએ છીએ.
આપડી માટે આશ્ચર્ય નઈ પણ ગર્વ લેવા જેવી વાત છે કે વિશ્વકર્મા સમાજ ....મહિલા સશક્તિકરણ માટે ઘણું ઘણું વિચારે છે. એ વિરલાઓના તો પોખણા છે જ... જે ભારતની સીમા પર રહીને આપણા ભારતની રક્ષા કરે છે જેના લીધે આપણે ઘરે શાંતિથી સુઈ શકીએ છીએ.
પણ તમે વિશ્વકર્મા સમાજના વીરલા.... જેણે સ્ત્રી ગર્વ થી ઉઠી શકે..અને ગર્વ થી જીવી શકે ..... તમે એ દિશા તરફ પગલાં માંડ્યા છે તમારા પણ એટલા જ પોખણ છે મારા વીરલાઓ.....!
સ્ત્રીને સશક્ત થવા માટે સૌથી પહેલા આર્થિક રીતે આત્મનિર્ભર થવું જોઈએ.... અને થવું જ જોઈએ...! અને આપણે બહુ જ સુંદર યુગમાં જીવી રહ્યા છે .જ્યાં સ્ત્રીને આગળ વધવા માટે ઘણા રસ્તાઓ છે... ઘણી દિશાઓ છે... અને એમાંથી એને ક્યાં જવું છે , એ ...એ...જાતે નક્કી કરી શકે છે. સ્ત્રી માટે સૌથી સુંદર ઘરેણું એનૂ આત્મસન્માન હોવું જોઈએ. હવે સીતા ની જેમ પતિની પાછળ પાછળ પગલાં માડશું... એનાથી નહીં ચાલે.... હવે તો પતિના ખભા ના ખભે મેળાવીને ચાલશું ત્યારે જ કામ થશે.... પછી આર્થિક રીતે હોય .....સામાજિક રીતે હોય.... કે લાગણી ની રીતે હોય.... બધ્ધે જ .
કોઈ બી દીકરીએ પોતાની 25 વર્ષની ઉંમર પહેલા આ ત્રણ વસ્તુ શીખી લેવી જોઈએ..... કોઇબી એક વાહન ચલાવતા શીખી લેવું જોઈએ..... પોતાની કારકિર્દી કઈ દિશામાં લઈ જવી છે એ નક્કી કરી લેવું જોઈએ..... અને કયા પણ એક ઘર બહાર પોતાના નામની નેમ પ્લેટ ફ્યુચરમાં લાગે એ દિશા તરફ ડગલા માંડી લેવા જોઈએ.. .... અને આની માટે શિક્ષણ એક માત્ર રસ્તો છે... જો આપણે શિક્ષિત હશુ તો આપણને નિર્ણયો લેવાની સારી એવી સુજબુજ હશે અને ક્ષમતા પણ....
આ તો શબ્દોની મર્યાદા ના લીધે આટલું લખી શકાય છે બાકી ...પૃથ્વી કેરો કાગળ હોય ...અને સાગર કેરો ખડિયો અને જો હું લખ્યા કરુને તો એ પાર આવે એટલું લખાય........
स्त्री का सबसे सुंदर श्रींगार......
उसका स्वाभिमान है.....
....... जिसका सामान केवल शिक्षा है
.......anita.....
નામ : અનિતા ધર્મેશ ગોહિલ
ઉમર: . 39
નિબંધ શીર્ષક : વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
શબ્દ સંખ્યા: 2244
મોબાઈલ નંબર : 9773596688
ઈમેલ એડ્રેસ : anitagohil929@gmail.com
: બાંહેધારી પત્ર:
આથી હું અનિતા ગોહિલ આપને જણાવું છું છે કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણી ને મેં નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈ બી માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં તે કોઈ પણ માધ્યમમાં ઉપલબ્ધ હશે તો એની જવાબદાર હું પોતે ગણાવું છું. તેની જવાબદારી આયોજક શ્રી કે નિર્ણાયક શ્રી ની રહેશે નહીં. આયોજક શ્રી કે નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશેએ અમને મંજૂર રેહશે. તેમની સામે અમે કોઈ પણ પ્રકારના વિવાદ કરીશું નહીં. તેની હું અનિતા ગોહિલ આપને બહેંધારી આપું છું.
આપની વિશ્વાસુ
અનિતા ગોહિલ
(9)
"સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
વિશ્વકર્મા સમાજ ભારતની શિલ્પકલા, હસ્તકલા, અને ઇજનેરી ક્ષેત્રમાં અનન્ય યોગદાન ધરાવતો સમાજ છે. આ સમાજનું ઇતિહાસથી લઇને આજદિન સુધી ભારતીય સંસ્કૃતિ અને વિકાસમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે. સમાજના વિકાસ અને સુધારણાના કાર્યમાં યુવાનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનોની ઉર્જા, જુસ્સો અને નવીન વિચારો સમાજને નવી દિશામાં આગળ વધારવા માટે મદદરૂપ થાય છે. આ નિબંધમાં આપણે વિશ્લેષણ કરીશું કે વિશ્વકર્મા સમાજની યુવા પેઢી કેવી રીતે સમાજ સુધારણા અને વિકાસમાં યોગદાન આપી શકે છે.
*શિક્ષણનું મહત્વ અને તેના પ્રસારણમાં યુવાનોની ભૂમિકા*
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનું પ્રસારણ યુવા પેઢી માટે એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જો યુવાનો શિક્ષિત થાય તો તેઓ સમાજમાં જાગૃતિ લાવી શકે છે. પરંપરાગત વ્યવસાયો સાથે આધુનિક ટેકનોલોજીનો સમન્વય કરીને તેઓ નવી ઉન્નતિ તરફ મોખરે રહે છે. STEM (સાયન્સ, ટેકનોલોજી, ઇજનેરી, અને મેથ્સ) ક્ષેત્રમાં યુવાનો પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને સમાજને ટેકો આપી શકે છે.
"કર તમન્ના આકાશને પાથરવાની, વિશ્વકર્મા યુવાન છે અમને કદી હાર ન માનવી."
આ સાથે જ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પરંપરાગત હસ્તકલા અને કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડી શકાય છે. આ માટે, વિશ્વકર્મા યુવાનો શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાઈને પોતાનું જ્ઞાન વધારી શકે છે અને અન્ય યુવાઓને પ્રેરિત કરી શકે છે.
*પરંપરા અને આધુનિકતાનો સમન્વય*
વિશ્વકર્મા સમાજનો મુખ્ય ગુણધર્મ તેની પરંપરાગત કળાઓ અને કુશળતામાં છે. યુવા પેઢી આ કળાઓને જાળવી રાખીને તેને આધુનિક સમયમાં ઉપયોગી બનાવી શકે છે. પરંપરાગત કૌશલ્ય અને આર્કિટેક્ચરને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને યુવાનો વૈશ્વિક બજારમાં નવું સ્થાન મેળવી શકે છે.
"પ્રગતિના માર્ગે પથરાતી પરંપરાઓ, યુવાનીના હાથે થાય છે નવી શરૂઆતો."
આ પ્રત્યે યુવા પેઢી જાગૃત રહે તો સમાજના અર્થતંત્રમાં મોટો ફેરફાર લાવી શકાય છે. તેઓ આ કળાઓનું સંશોધન કરી તેના આધારે નવી વસ્તુઓ વિકસાવી શકે છે, જે સમગ્ર સમાજ માટે લાભદાયી સાબિત થાય છે.
*ઉદ્યોગ અને ઉદ્યોગસાહસમાં યુવાનોની ભૂમિકા*
વિશ્વકર્મા સમાજના યુવાનો વ્યવસાય અને ઉદ્યોગના ક્ષેત્રમાં નવી તકો શોધી શકે છે. પરંપરાગત હસ્તકલા સાથેની નવી ટેકનિકોને સ્વીકારીને તેઓ સ્ટાર્ટઅપ અને નાના ઉદ્યોગો શરૂ કરી શકે છે. આ કામથી સમાજના લોકો માટે રોજગારીની તકો ઊભી થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
"વિશ્વકર્મા યુવાનના કૌશલ્યની વાત છે, જે દેશને નવી ઊંચાઈઓ સુધી લઈ જાય છે."
*સામાજિક સેવામાં આગેવાની*
યુવા પેઢી સામાજિક સેવા અને સેવા પ્રવૃત્તિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આરોગ્ય સેવાનો પ્રચાર, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ પ્રસારણ, અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેઓ મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે.
"યુવાનીનો હોશ અને સેવાની તાકાત, વિશ્વકર્મા યુવાનનો છે આકારાતો સંદેશ."
*પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ*
વિશ્વકર્મા યુવાનો પર્યાવરણ સંરક્ષણ માટે પણ નવીન પ્રયાસો કરી શકે છે. પર્યાવરણ સાથે જોડાયેલા પરંપરાગત ઘાટ-નકશાઓ અને ટકાઉ સામગ્રીના ઉપયોગ દ્વારા તેઓ પ્રાકૃતિક તંત્રને જાળવી રાખી શકે છે. આ સાથે જ પર્યાવરણીય ચેતનાના પ્રસાર દ્વારા યુવા પેઢી ટકાઉ વિકાસમાં યોગદાન આપી શકે છે.
"પ્રકૃતિના રક્ષણમાં છે યુવાનોની છબી, સર્વોત્તમ બનાવે જગતને, જીવંત રાખે ધરતી."
*નેતૃત્વ અને નૈતિક મૂલ્યો*
યુવા પેઢી માટે નેતૃત્વનો વિકાસ અને નૈતિક મૂલ્યોનું પાલન ખૂબ જ જરૂરી છે. સમાજના યુવાનોએ સમાજના વિકાસ માટે આદર્શ પથદર્શક તરીકે આગળ આવવું જોઇએ.
"નેતૃત્વના માર્ગે ચાલે જો યુવાન, વિશ્વકર્મા સમાજ થશે સર્વોપરી પ્રધાન."
*રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન*
વિશ્વકર્મા યુવાનો રાષ્ટ્રીય સ્તરે પણ વિકાસમાં યોગદાન આપી શકે છે. ઇજનેરી, આર્કિટેક્ચર, અને તકનીકી ક્ષેત્રમાં તેઓ નવા સંશોધન કરી શકે છે અને રાષ્ટ્રીય ઔદ્યોગિકીકરણમાં ભાગ લઈ શકે છે. તેઓ મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનોમાં સહયોગ આપી શકે છે.
"યુવા હાથે મમળાતું દેશનું ભાગ્ય, વિશ્વકર્મા યજ્ઞે ઉઠાવ્યું પ્રગતિનું કાર્ય."
*સંશોધન અને નવીનતા*
વિશ્વકર્મા સમાજના યુવાનો સંશોધન અને નવીનતા ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન આપી શકે છે. પરંપરાગત કૌશલ્ય સાથે સંશોધનને જોડીને તેઓ વૈશ્વિક સ્તરે નવા મૉડલ રજૂ કરી શકે છે. આ ઉપરાંત, યુવાનોએ વિવિધ ક્ષેત્રોમાં નવી તકનીકો વિકસાવવી જોઈએ જે પર્યાવરણીય પરિબળોને જાળવી રાખે છે અને સમાજના તમામ વર્ગો માટે લાભદાયી થાય છે.
*નિષ્કર્ષ*
વિશ્વકર્મા સમાજની યુવા પેઢી સમાજ સુધારણા અને વિકાસ માટે અનિવાર્ય છે. તેમની ઉર્જા, કૌશલ્ય, અને જુસ્સા દ્વારા તેઓ સમાજને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ જાળવી, તેઓ ન કેવળ પોતાનું જીવનસ્તર સુધારી શકે છે પરંતુ સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે પણ પાયો મૂકી શકે છે.
"વિશ્વકર્મા યુવાન છે સમાજની શાન, આકારશે નવું ભારત, જલાવશે પ્રગતિની જ્યોત."
સમાજના દરેક યુવાને પોતાની જવાબદારી સમજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને નેતૃત્વ ક્ષમતાઓ દ્વારા વિશ્વકર્મા સમાજના ઉત્કર્ષ માટે કાર્ય કરવું જોઈએ. જો યુવા પેઢી દૃઢ સંકલ્પ અને સમર્પણથી કાર્ય કરશે, તો વિશ્વકર્મા સમાજને નવી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ શંકા નહિ રહે.
બાંહેધરી પત્ર
નામ :- પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
નિબંધનું શીર્ષક :- "સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા"
મોબાઈલ નંબર :- 8866118415
ઉંમર : - 37 વર્ષ
લેખન કરનારનું નામ :-
પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
સરનામું :-
બી- ૧૦૨, સોલિટેર હિલ્સ, નવા નરોડા
શહેરનું નામ:- અમદાવાદ
તાલુકો :- AMC
જિલ્લો :- અમદાવાદ
મો.નં. - 8866118415
આથી હું પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
પૂર્વેશકુમાર પ્રહલાદભાઈ પંચાલ
(10)
વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
પ્રસ્તાવના
આપણા વિશ્વકર્મા સમાજની ઉત્પત્તિની દંતકથા ઓ સૌ પ્રથમ 18 મી સદીની શરૂઆત રકમાં બ્રિટિશ વસાહતી શાસન દરમ્યાન એકીકૃત કરવામાં આવી હતી, આ દંતકથાઓ વિશ્વકર્મા પુરાણમમાં સંકલિત કરવામાં આવી હતી, જેની મૂળ હસ્તપ્રત તારીખ વિનાની છે, પરંતુ સંભવત 17 મી કે 18 મી સદીના મધ્ય ભાગમાં બનાવવામાં આવી હતી. વિશ્વકર્મા પુરાણમમા નોંધાયેલી એક લોકપ્રિય દંતકથા અનુસાર ભગવાન વિશ્વકર્માના પાંચ દેવતાઓની કારીગરો તરીકેની સેવા આપી હતી. જે અનુક્રમે લુહાર, સુથાર, ઘંટડી કારીગરો ( ધાતુને ઢાળનાર ) પથ્થરના કડિયા અને સુવર્ણકારના ગોત્ર ( કુળો ) હતા.
( 2 )
દંતકથા અનુસાર વિશ્વકર્માના પાંચ બાળકો પોતાની કલ્પના કરીને વસ્તુઓ બનાવવાની ક્ષમતા ધરાવતા હતા. તેઓએ બ્રહ્મચારી રહીને પોતાના વીર્યનું રક્ષણ કર્યું હતું. અને શ્રીલંકામાં આવેલ ઇલંગપુરીના કિનારે એક કિલ્લામાં રહેતા હતા. ઇતિહાસ મુજબ ઘણા સ્ત્રોતો વિશ્વકર્માના પાંચ પેટાજુથોને કારીગરો તરીકે દર્શાવે છે. પરંતુ ઇતિહાસકાર વિજયા રામાસ્વામી માને છે કે મધ્યયુગીન કાળના વિશ્વકર્માને કારીગરો તરીકે ઓળખવા જોઈએ, દલીલ કરે છે કે, " જ્યારે એક કારીગર હતો ત્યારે દરેક કારીગર, કારીગર ન હતો. રામાસ્વામી નોંધે છે કે, મધ્યયુગીન ગામ આધારિત હળ બનાવનારની સામાજિક, આર્થિક અને ભૌગોલિક સ્થિરતા વિશ્વકર્માના રૂપમાં એકઠા થયેલા અને પ્રમાણમાં પ્રવાસી જીવનશૈલી જીવતા વિવિધ લોકો કરતા નોંધપાત્ર રીતે અલગ હતી જે " મંદિર અર્થતંત્ર " ઉપર આધારિત હતી.
જે વિજયનગર સામ્રાજ્ય જેવા રાજવંશોની રચના અને વિઘટન સાથે વધતી જતી ક્ષીણ થતી ગઈ. બાદમાં જૂથ જેમણે મંદિરોનું નિર્માણ અને શણગાર કરતી વખતે એકબીજાની નજીક રહીને કામ કર્યું હતું. તેમની પાસે સામાજિક, આર્થિક પ્રગતિની તકો હતી પરંતુ તેમને આશ્રય પાછો ખેંચી લેવા અને ધાર્મિક ધ્યાન કેન્દ્રિત કરવામાં ફેરફાર થવાના જોખમો પણ હતા.
( 3 )
સૃષ્ટિના સર્જનહાર અને પહેલા એન્જિનિયર, વાસ્તુકલા અને સર્જનના દેવતા દેવ શિલ્પી ભગવાન શ્રી વિશ્વકર્માજીએ બનાવેલ વિશિષ્ટ અજાયબીઓમાં જોઈએ તો ઈન્દ્રપુરી, રામપુરી, વરુણપુરી, કુબેરપૂરી, સુદામાપુરી, શિવમંડળપુરી, શિવજીનું ત્રિશૂળ, વિષ્ણુ ભગવાનનું ચક્ર, પુષ્પક વિમાન, કર્ણનું કુંડળ, ઇન્દ્રનું વજ્ર અને યમરાજનો કલાદંડ ભગવાન વિશ્વકર્માના અદભુત સર્જન છે. વિશ્વકર્મા ભગવાનની પૂજાનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે. સૂર્યની કન્યા સંક્રાંતિ થાય છે એ દિવસે વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે યંત્રો, વાહનો, સાધનો અને મશીનોની પૂજા કરવાનું શુભ રહે છે.
ભારતભરમાં ભગવાન વિશ્વકર્માના જુજ મંદિર આવેલા છે. જેમાંનું એક અતિ પૌરાણિક મંદિર ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલું છે. ડાકોરમાં આવેલ ભગવાન વિશ્વકર્માનું મંદિર 100 વર્ષ કરતા પણ જૂનું છે. આ મંદિરમાં રાખવામાં આવેલી ભગવાન વિશ્વકર્માની મૂર્તિ આરસ પહાણની બનેલી છે. આ મૂર્તિની સ્થાપના 1986 માં માગશર સુદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
( 4 )
મહિલા સશક્તિકરણની વાત કહું તો હાલ દરેક સમાજની જેમ વિશ્વકર્મા સમાજની મહિલાઓ પણ હવે ખૂબ ભણી ગણીને સમાજમાં પોતાનું સ્થાન બનાવતી જાય છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તે રાષ્ટ્રની મહિલાઓની સ્થિતિ ઉપર હોય છે. દેશ, સમાજ અને પરિવારના ઉજ્જવળ ભવિષ્ય માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ મહત્વનું છે. આપણા દેશમાં મહિલા વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ થઈ શકતી હોય, કંપનીઓ કે ઓફિસો સંભાળે છે. સૌ કોઈ જાણે છે કે સમાજે મહિલાની ચોક્કસ ભૂમિકાઓ નક્કી કરી છે. તે માતા, દીકરી, બહેન, પત્ની વગેરે ભૂમિકામાં ગોઠવાઈ જાય છ. આજે વિશ્વકર્મા સમાજમાં પણ મહિલા ઓ પુરુષ સમોવડી બનતી જાય છે. હાલ વિશ્વકર્મા સમાજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મહત્વનું યોગદાન આપી આત્મનિર્ભર બની પરિવારની જવાબદારી નિભાવતી થઈ છે.
( 5 )
અંતમાં એક સ્ત્રીની વાસ્તવિકતાનું કવિતા રૂપે નિરૂપણ કરું છું.
" હું એક સ્ત્રી છું "
અરે હા, હું એક સ્ત્રી છું...
મારા તો અનેક અવતાર...
ને દરેક અવતારે નવો જન્મ...
પૂરા કરવા દરેકના સપના...
ને સપના વિનાની રાત મારી...
સપના મને મારા હદમાં જોવાના...
કારણકે...
સંસ્કારો આપ્યા છે મારા માતા પિતાએ...
અજાણ્યા રસ્તે જો કોઈ બોલે...
તો બોલાવા દેવા તેમને...
માતા પિતાએ...
આપેલા સંસ્કારો છે ફૂલોની સજ...
ભૂલીને પિયર મારું સાસરું કરવું પોતાનું...
વેદના, સંવેદના, પીડા, ખુશી પણ ક્યાં મારા ?,
એ તો જોવા અનુભવવા પરિવારમાં સારા...
બસ કહેવા માંગુ છું એક જ વાત કે...
હું એક સ્ત્રી છું, જેનો ગર્વ છે મને...
અસ્તુ..
બાંહેધરી પત્ર
નામ :- ડોડીયા ભૂમિકા સંજય કુમાર
સરનામું :- શિવલીલા સોસાયટી ,નેસડી રોડ,નેસડી ગેટ ની બાજુમાં ,સાવરકુંડલા , જિલ્લો- અમરેલી
નિબંધનું શીર્ષક :-વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
મોબાઈલ નંબર :- 7283882677
ઉંમર : - 34
આથી હું ડોડીયા ભૂમિકા સંજય કુમાર આપને જણાવું છું, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ડોડીયા ભૂમિકા પોતે આપને બાંહેધરી આપું છું.
આપનો વિશ્વાસુ.
B.s.dodiya
(11)
વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
પ્રસ્તાવના :
ભારતીય સંસ્કૃતિમાં નારીને "શક્તિ" સ્વરૂપ માનવામાં આવી છે. વિશ્વકર્મા સમાજ, જે શ્રમ, સર્જન અને કૌશલ્યનો પ્રતીક છે, તેમાં મહિલાઓની ભૂમિકા અતિમહત્વપૂર્ણ બની રહી છે. આધુનિક યુગમાં જ્યારે સશક્તિ અને સમાનતા જેવી મૂલ્યવત્તા ચર્ચાનો વિષય બની છે, ત્યારે વિશ્વકર્મા સમાજે પણ પોતાની મહિલાઓ માટે નવી દિશાઓ ખોલી che"જ્યાં નારીની પૂજા થાય છે, ત્યાં દેવતાઓ નિવાસ કરે છે" — આ વેદોક્તિ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન દર્શાવે છે. વિશ્વકર્મા સમાજ, જે શ્રમ, હુનર અને સર્જનાત્મકતાના પૂજક છે, ત્યાં સ્ત્રીઓ માત્ર સહયોગી નહીં, પણ પરિવર્તનકર્તા બની શકે છે. મહિલા સશક્તિકરણ એટલે સ્ત્રીઓને સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સંપૂર્ણ અધિકાર અને સ્વાતંત્ર્ય આપવું — જે કોઈ પણ સમાજની સુદૃઢતા માટે આવશ્યક છે.
*"મજબૂત નારી, ઉજ્જવળ સંસારી!"*
*"જ્યાં નારી છે, ત્યાં શ્રમ છે. જ્યાં શ્રમ છે, ત્યાં વિકસિત સમાજ છે."*
● *મુખ્ય વિષયવિસ્તાર:*
1. શૈક્ષણિક સશક્તિકરણ:
મહિલાઓ માટે વિદ્યાભ્યાસ જરૂરી છે, જેથી તેઓ પરિવાર, વ્યવસાય અને સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે.
નવી પેઢી માટે ટેકનિકલ શિક્ષણ, ડિજિટલ કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ મહત્વની બની છે.
વિશ્વકર્મા સમાજની મહિલાઓ માટે શિક્ષણ એ પ્રથમ પગથિયો છે. શિક્ષિત નારી માત્ર પોતાને ગઢે છે, પણ આખા કુટુંબ અને સમાજના વિકાસમાં યોગદાન આપે છે. સરકારી યોજનાઓ, સ્કોલરશીપ અને ટ્યુશન સહાયથી બાળકી શિક્ષણને પ્રોત્સાહન મળવું જોઈએ.
2. કૌશલ્ય અને રોજગાર:
કારિગરી, હસ્તકલા, ડિઝાઇન, સ્ટાર્ટઅપ અને ઘરઆંગણાના ઉદ્યોગોમાં મહિલાઓ માટે વિશાળ તક છે. વિશ્વકર્મા સમાજની પરંપરાગત કળાઓ આજે વૈશ્વિક બજારમાં માંગ ધરાવે છે — જો મહિલાઓને તાલીમ અને પાટું મળે તો આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે.
વર્કશોપ, કારીગર કેન્દ્રો અને ઘરઆધારિત ઉદ્યોગો મહિલાઓ માટે રોજગારીનો સ્ત્રોત બની રહ્યા છે.
સરકાર અને સંસ્થાઓ દ્વારા મળતી યોજનાઓનો લાભ લઈને મહિલાઓ ઉદ્યમી બનતી જઈ રહી છે.
3. સામાજિક સ્વીકાર અને નેતૃત્વ:
મહિલાઓની પ્રતિભાને ઓળખ આપવી, તેમને સમાજના નિર્ણયો અને કાર્યક્રમોમાં સામેલ કરવી — એ સાચા અર્થમાં સશક્તિકરણ છે. મહિલા મંડળો, સેલ્ફ-હેલ્પ ગ્રૂપ અને સક્ષમતા મંચો રચી શકાય.
મહિલા મંડળો, સંગઠનો અને પદ્ધતિબદ્ધ પ્રવૃત્તિઓ સમાજમાં તેમના નેતૃત્વ ક્ષમતા દર્શાવે છે.
સમાજ સુધારણા, શૈક્ષણિક જાગૃતિ અને આરોગ્ય અંગે મહિલાઓનો ઉમદા હિસ્સો રહ્યો છે.
4. સાંસ્કૃતિક અને ધાર્મિક સશક્તિકરણ:
વિશ્વકર્મા પૂજાઓમાં મહિલાઓની સક્રિય ભૂમિકા, તેમની સાંસ્કૃતિક ધરોહર પ્રત્યેની લાગણીને દર્શાવે છે.
પરંપરાને જાળવીને, નવી પેઢીને ભવિષ્ય માટે તૈયાર કરતી મહિલાઓ સાચી સાંસ્કૃતિક રક્ષિકા બની છે.
મહિલાઓની પ્રતિભાને ઓળખ આપવી, તેમને સમાજના નિર્ણયો અને કાર્યક્રમોમાં સામેલ કરવી — એ સાચા અર્થમાં સશક્તિકરણ છે.
5. પડકારો અને ઉકેલો:
ગામડાંમાં રહેતી મહિલાઓ માટે ઢાંચાકીય સુવિધાઓ અને શિક્ષણની પહોંચી ઓછી છે. આ માટે લોકલ લેવલે NGOs, ટ્રસ્ટો અને સમાજના આગેવાનોએ આગળ આવવું જોઈએ.
*"વિશ્વકર્મા સમાજની વિકાસયાત્રા, નારી શક્તિ વિના અધૂરી છે."*
● ઉપસંહાર:
મહિલાઓ સિવાય સમાજ અધૂરો છે. જો વિશ્વકર્મા સમાજમાં મહિલાઓને સાચા અર્થમાં સશક્ત બનાવવામાં આવે તો સમાજ ઝડપથી આત્મનિર્ભર અને આત્મવિશ્વાસી બની શકે. "એક શિક્ષિત નારી એક સમગ્ર પેઢીનો આધાર હોય છે." આવું માનીએ અને મહિલાઓને માર્ગ આપીએ નહીં, પણ સાથે ચાલીએ.મહિલા સશક્તિકરણ એ માત્ર નારીઓ માટે હક ની માંગ નથી, પણ સમગ્ર સમાજના વિકાસ માટેનો રસ્તો છે.
વિશ્વકર્મા સમાજે, જે શ્રમ અને કળાનું પૂજન કરે છે, ત્યાં મહિલાઓને સમાન અવકાશ આપવો એ તેમના તત્સ્વરૂપની સાચી ધારણા છે.જ્યારે વિશ્વકર્મા સમાજની દરેક નારી આત્મવિશ્વાસથી ભરેલી હશે — ત્યારે જ સમગ્ર સમાજ સાચે “સશક્ત” ગણાશે.
*"નારીને અવકાશ નહીં, એક તક આપો — અને તે તમારું આખું આકાશ બદલિ નાંખશે."*
*"સર્જક એવા વિશ્વકર્મા ભગવાનની સાચી અનુગામી છે સશક્ત સ્ત્રી."*
🙏🏻 *જય વિશ્વકર્મા દાદા* 🙏🏻
બાંહેધરી પત્ર
નામ:- ગજ્જર હેલી વિજયકુમાર
સરનામું:- c/૫૦૩, સોપાન 2, ગાયત્રી મંદિર પાસે, વામજ રોડ,કલોલ -૩૮૨૭૨૧
નિબંધનું શીર્ષક :-વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ
મોબાઈલ નંબર :- 79902 41199
ઉંમર : - 21
આથી હું ગજ્જર હેલી આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ગજ્જર હેલી પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
ગજ્જર હેલી
(12)
*નિબંધનું શીર્ષક :- વર્તમાન સમયમાં ભગવાનશ્રી વિશ્વકર્માની ઉપાસનાનું મહત્વ*
જય શ્રી વિશ્વકર્મા
ભગવાન શ્રી વિશ્વકર્મા હિંદુ ધર્મમાં વિશ્વના પ્રથમ ઇજનેર, શિલ્પી અને નિર્માતા તરીકે પુજાય છે કરોડો કારીગર વર્ગના તેઓ અધિષ્ઠાતા છે એમજ સકલ સૃષ્ટિના સર્જક છે વિશ્વદેવ છે પુરાણો અને વેદોમાં પણ તે અગ્રગણ્ય છે. પૌરાણિક કથાઓ અનુસાર તેમણે દેવલોક, દ્વારકા નગરી, ઇન્દ્રપ્રસ્થ, જગન્નાથ પુરી , યમપુરી, વગેરે દેવ નિવાસસ્થાન, અને અનેક દિવ્ય હથિયારોનાં નિર્માણ કર્યું છે. તેઓ વિદ્યા, કૌશલ્ય, શ્રમ અને સર્જનાત્મકતાના દેવતા છે. આજે જ્યારે દુનિયા ટેકનોલોજી, ઈજનેરિંગ અને ઔદ્યોગિક વિકાસની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહી છે, ત્યારે ભગવાન વિશ્વકર્માની ઉપાસનાનું મહત્વ પણ ઘણું વધી ગયું છે.
આજના યુગમાં લોકો મોટા પ્રમાણમાં મશીનરી, ઈલેક્ટ્રોનિક સાધનો, ઉદ્યોગો અને નિર્માણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે.સમય બદલાતો જાય છે, પણ શ્રમ અને કાર્યકુશળતાનું મૂલ્ય ક્યારેય ઘટતું નથી. શ્રમનો સન્માન આજના યુગમાં અત્યંત જરૂરી બની ગયો છે. જેમ જેમ ટેકનોલોજી વધે છે તેમ તેમ આપણે શ્રમપ્રત્યે સંવેદનશિલ છે. વિશ્વકર્માની ઉપાસના એવા તમામ વ્યવસાયોમાં કાર્યરત લોકોને તેમના સાધનોની શુદ્ધિ અને સુરક્ષાનું પ્રતીક રૂપે શાંતિ, સમૃદ્ધિ અને સફળતા માટે પ્રેરણા આપે છે. વિશ્વકર્મા પૂજાના દિવસે લોકો પોતાના કામના સાધનો, મશીનો, યંત્રો અને કાર્યસ્થળોની પૂજા કરે છે એ ઉપરાંત ઇજનેરી કોલેજોમાં વિશ્વકર્મા પૂજન દિવસે વિશેષ પૂજન અર્ચન થાય છે. આ માત્ર ધાર્મિક વિધિ નહિ, પરંતુ કાર્યપ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા દર્શાવવાનો માર્ગ છે.
પૌરાણિક દ્રષ્ટિ એ જોઈતો ભગવાનશ્રી વિશ્વકર્મા એ જ્યારે જરૂર પડી છે ત્યારે અવતાર ધારણ કર્યા છે. તેમના દસ અવતાર માનવામાં આવે છે. આમ ભગવાન શ્રી વિશ્વકર્માનો પરિવાર વિશાળ છે. ભગવાનશ્રી વિશ્વકર્મા ના પાંચ માનસ પુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દૈવજ્ઞ અને એ પાંચ પુત્રોના અનુક્રમે એકસો પચીસ (૧૨૫) ગૌત્ર થયા. શિવમહાપુરાણ મુજબ શ્રીગણેશજી ના વિવાહ રિધ્ધિ અને સિધ્ધિ નામક કન્યાઓ સાથે થયા હતા જે પ્રજાપતિ વિશ્વરૂપ(ત્રિશિરા)ની કન્યાઓ હતી પ્રજાપતિ વિશ્વરૂપ એ ભગવાન શ્રી વિશ્વકર્માના દસ અવતારો માંથી ત્વષ્ટા વિશ્વકર્મા નો પુત્ર હતો. અને તેની બે કન્યાઓ સાથે ભગવાન શ્રી ગણેશજી ના વિવાહ થયા હતા આમ રિધ્ધિ અને સિધ્ધિ એ ત્વષ્ટા વિશ્વકર્મા ની પૌત્રીઓ થયા. ભગવાન શ્રી વિશ્વકર્મા ની માનસ પુત્રી સંજ્ઞા દેવી જેના વિવાહ કશ્યપ ઋષિના પુત્ર સૂર્યદેવ સાથે થયા હતા.
મારા અંગત મંતવ્ય અનુસાર હું માનું છું કે વિશ્વકર્મા દાદાની ઉપાસનાથી પણ સર્વે દેવોની ઉપાસના નુ ફળ મળે છે
જોઈએ કેવી રીતે,
ભગવાન શ્રી વિશ્વકર્મા ની પુત્રી સંજ્ઞા દેવી અને સૂર્યદેવથી શ્રાધ્ધ દેવ (વૈવસ્ત) મનુ અને યમ - યમી (યમુના) જોડિયા બાળકો થયા. સૂર્યદેવ નું તેજ સહન ન થવાથી સંજ્ઞા દેવી એ પોતાની છાયા ઉત્પન્ન કરી અને પોતે ઘોડીનું સ્વરૂપ ધારણ કરી ભૂલોક પર વનમાં વિચરણ કરવા લાગ્યા. છાયા અને સૂર્ય દેવ થી શનિ, સાવર્ણી મનુ અને તપતી નામક કન્યા ઉત્પન્ન થઈ. સૂર્યદેવ સંજ્ઞાદેવી ની જાણ થતા તે વિશ્વકર્માજી પાસે જાય છે. વિશ્વકર્મા તેમને સારણ પર ચઢાવી તેમનું તેજ ઓછું કરે છે. અને વિષ્ણુ પુરાણ મુજબ તે છોલેલા તેજ થી જ સુદર્શન ચક્ર,ત્રિશૂળ, પુસ્તક વિમાન અને અન્ય દેવતાઓએ અસ્ત્ર શસ્ત્ર નું નિર્માણ થયું. સૂર્યદેવ પણ અશ્વ નું રૂપ લઈ સંજ્ઞા દેવી જ્યાં દેવી જ્યાં વિચરણ કરતા હતા ત્યાં જાય છે. તેમાંથી અશ્વિની કુમારો નામક પુત્રો ઉત્પન્ન થયા. યમ એ શ્રેષ્ઠ કર્મથી પિતૃત્વ ન આધિપત્ય બન્યા. સાવર્ણ મનુ આઠમાં મનવંતર ના મનુ થયા. શનિ એ ગ્રહ બન્યા. અશ્વિની કુમાર એ સ્વર્ગના વૈધ બન્યા યમી(યમુના) અને તપતી એ નદી બન્યા. આમ તેઓ બધા ભગવાનશ્રી વિશ્વકર્માના દોહિત્રો થયા. ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસના થી તેમની કૃપા સદૈવ ઉપાસક પર રહે છે.
સંજ્ઞા દેવી અને સૂર્યદેવના પુત્ર શ્રાધ્ધ દેવ (વૈવસ્ત)થી સૂર્યવંશની શરૂઆત થઈ વૈવસ્ત મનુના દસ પુત્રો થયા ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતી, દિષ્ટ, ધૃષ્ટ, કરુષ, નરિષ્યન્ત, પૃષધ્ર, નભગ અને કવિ .
ઇક્ષ્વાકુ ના પુત્ર વિકુક્ષી ના વંશમાં રાજા પૃથુ, માંધાતા, હરિશ્ચંદ્ર, ભગીરથ, દશરથ અને ભગવાન શ્રીરામ જેવા અનેક રાજાઓ થયા. ઇક્ષ્વાકુ ના બીજા પુત્ર નીમી ના વંશજો "જનક" તરીકે ઓળખાયા અને મિથિલા વંશી શાસકો થયા. વૈવસ્ત મનુપુત્ર શયૉતી ના ત્રણ પુત્રો હતા ઉતાનબર્હિ, આનતૅ અને ભૂરીષેણ. આનતૅ ના રેવત થયા ( જેમણે સમુદ્રમાં કુશસ્થળી નામક નગર વસાવ્યું હતું)
રેવતના સૌથી મોટા પુત્ર કકુજ્ઞ્મી અને કકુજ્ઞ્મી ની કન્યા હતી રેવતી.અને તે રેવતીના વિવાહ ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજી સાથે થયા. મનુપુત્ર દીષ્ટ ના વંશમાં તૃણબિંદુ નામક રાજા થયા તૃણબિંદુ ને કહે ઇડવિડા નામક કન્યા હતી જેમના વિવાહ મુનિ પુલસ્ત્યજી સાથે થયા જેના પુત્ર કુબેર થયા.
આમ ભગવાન શ્રી વિશ્વકર્માના પુત્રી સંજ્ઞાદેવી નો પણ વિશાળ વંશ જેમનો ભગવાન વિશ્વકર્મા સાથે સીધો સંબંધ છે આમ ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસનાથી તેમની ઉપાસના બરાબર ફળ મળે છે.
કાર્યકુશળતા માટે ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસના જરૂરી છે તેથી નવપ્રવર્તન અને કૌશલ્યમાં વિકાસ થાય છે ભગવાન શ્રી વિશ્વકર્મા એ કર્મ ના અધિષ્ઠાતા દેવ છે.એટલે ભગવાનશ્રી વિશ્વકર્મા ના ઉપાસક અને તેમના વંશજો કર્મ નિષ્ઠ હોવા જ જોઈએ. દરેક અવતારની અંદર ભગવાન શ્રી વિશ્વકર્મા એ શ્રેષ્ઠ કર્મ દ્વારા દેવો ને મદદરૂપ થયા છે આ સૃષ્ટિમાં જ્યારે તેમની જરૂર પડી છે જ્યારે તેઓ હાજર રહ્યા છે. ભગવાન શ્રીરામ જ્યારે અવતાર કાર્યમાં હતા ત્યારે સમુદ્ર પર જ્યારે સેતુ બનાવની આવશ્યક્તા ઊભી ત્યારે ત્યારે ભગવાન શ્રી વિશ્વકર્માના ઓરસ પુત્ર "નીલ"એ પણ પોતાની કાર્યકુશળતા દાખવી હતી પોતાનું કર્મ કર્યું હતું આમ દરેક વિશ્વકર્માના ઉપાસક અને વિશ્વકર્માં વંશજો એ દેશહિતના કાર્યમાં ક્યારેય પાછીપાની ન કરવી જોઈએ. વિશ્વકર્મા દાદાની પૂજા ઉપાસના એક સાત્વિક સંદેશ આપે છે કે દરેક પ્રકારનું શ્રમ પવિત્ર છે અને ભગવાન પણ શ્રમશકિતમાં વસે છે .આધુનિક યુગ અને આજના યુવાનો માટે ભગવાન વિશ્વકર્માની ઉપાસના નવીન વિચારો, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસિત કરવાની પ્રેરણા આપે છે. ઈજનેરિંગ અને ડિઝાઇનિંગ ક્ષેત્રે કાર્યરત લોકો તેમના કામમાં કુશળતા અને સંસ્કાર લાવવા માટે આ ઉપાસનાથી માર્ગદર્શન મેળવે છે. અનેક શાળાઓ, કોલેજો અને ઉદ્યોગોમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ એકસાથે ભગવાન વિશ્વકર્માની આરાધના કરે છે, જે સમાજમાં સામૂહિકતા અને સૌહાર્દની ભાવના ઉભી કરે છે.
ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસના વર્તમાન યુગમાં માત્ર ધાર્મિક માન્યતાના રૂપમાં નહિ, પણ આધુનિક જીવનશૈલી અને વ્યવસાયિક શિષ્ટતાનો આધાર બની રહી છે. શ્રમ, કૌશલ્ય અને સર્જનાત્મકતાની પૂજા દ્વારા વ્યક્તિ પોતાનાં કાર્યપ્રત્યે શ્રદ્ધા, નિષ્ઠા અને વિચારશીલતા વિકસાવી શકે છે. તેથી ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસના આજના યુગમાં વધુ સક્રિય અને અર્થપૂર્ણ બની છે.ભગવાન શ્રી વિશ્વકર્માની ઉપાસના એ કાર્યપ્રત્યે ની નિષ્ઠાની યાદ અપાવે છે
જય શ્રી વિશ્વકર્મા
*બાંહેધરી પત્ર*
*નામ :- જોલાપરા પરમ ધર્મેશભાઈ*
*સરનામું :- નવી પીપળી , મોરબી*
*નિબંધનું શીર્ષક :- વર્તમાન સમયમાં ભગવાનશ્રી વિશ્વકર્માની ઉપાસનાનું મહત્વ*
*મોબાઈલ નંબર :- 8320173958*
*ઉંમર : - 18*
આથી હું *જોલાપરા પરમ ધર્મેશભાઈ* આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું *જોલાપરા પરમ ધર્મેશભાઈ* પોતે આપને બાંહેધરી આપું છં.
*પરમ ધર્મેશભાઈ જોલાપરા*
આપનો વિશ્વાસુ
(13)
*“વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સંબંધ”*
ભારતીય સંસ્કૃતિમાં દેવતાઓનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે, જેમાં દરેક દેવતા વિશેષ ગુણધર્મો અને કાર્યક્ષેત્રો માટે ઓળખાતા થયા છે. આવા દેવતાઓમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ભગવાન વિશ્વકર્મા. તેઓ વિજ્ઞાન, શિલ્પકલા અને સ્થાપત્યના દેવતા તરીકે પૂજાય છે. કારીગરો અને હસ્તકલા સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ માટે વિશ્વકર્મા ભગવાન આદર અને શ્રદ્ધાના કેન્દ્રબિંદુ છે. તેમનો અને કારીગરો વચ્ચેનો સંબંધ માત્ર ધાર્મિક જ નથી, પણ વૈચારિક, સાહિત્યિક અને આધ્યાત્મિક સ્તરે પણ ખૂબ ઊંડો અને અતૂટ છે.
શાસ્ત્રો અનુસાર, ભગવાન વિશ્વકર્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પછીના ચોથા મુખ્ય દેવ તરીકે ઓળખાય છે. તેઓને બ્રહ્માંડના પ્રથમ ઇજનેર અને સ્થાપક માનવામાં આવે છે. રામાયણ અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં વિશ્વકર્મા ભગવાનના કાર્યો અને દક્ષતા વિશે ઘણીવાર ઉલ્લેખ જોવા મળે છે. રામના યુદ્ધ માટે બનાવાયેલ લંકા નગરી, કૃષ્ણજીનું દ્વારકા નગર અને પાંડવોના ઇન્દ્રપ્રસ્થ જેવા નગરો તેમનાં શિલ્પકૌશલ્યના જીવીત દાખલા છે.
ભગવાન વિશ્વકર્માને કારીગરો તેમના સંરક્ષક અને પ્રેરણાસ્ત્રોત તરીકે માનવામાં આવે છે. પિત્તળના કામથી લઈને લોખંડના ઔજારો બનાવી રહેલા કારીગરો, સુત્રધારોથી લઈને સ્થાપત્યો અને યાંત્રિકો, સૌને તેમની પર અખૂટ શ્રદ્ધા છે. વિભિન્ન પ્રકારના ઉદ્યોગોમાં કાર્યરત કર્મયોગીઓ અને કલાકારો માટે ભગવાન વિશ્વકર્મા એક એવી શક્તિ છે, જે તેમની કલા અને પરિશ્રમને દિવ્ય બળ આપે છે.
દર વર્ષે ભાદરવા સુદ ચૌદશના દિવસે વિશ્વકર્મા પૂજનનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે અનેક પ્રકારના કામકાજ, મશીનો અને સાધનોને સાફ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે. કારીગરો અને ઉદ્યોગકારો પોતાના કામમાં સફળતા, સલામતી અને કલ્યાણ માટે વિશ્વકર્મા ભગવાનને નમન કરે છે. એ માત્ર ધાર્મિક વિધિ નહીં પણ શ્રમ અને કુશળતા માટેનું સન્માન પણ છે.
વિશ્વકર્મા ભગવાન માત્ર એક ધાર્મિક પાત્ર નથી, તેઓ ભારતીય સાહિત્યમાં પ્રથમ વિજ્ઞાની, સંશોધક અને ઇજનેર તરીકે ઓળખાય છે. તેમના વિશે કહેવામાં આવે છે કે તેમણે પહેલું વિમાન 'પુષ્પક વિમાન' બનાવ્યું હતું. તેમને ભૌતિકશાસ્ત્ર, યાંત્રિકશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રમાં પારંગત માનવામાં આવે છે.
તેમના નામે અનેક શિલ્પશાસ્ત્ર, યંત્રવિદ્યા અને વાસ્તુકલા સંબંધિત ગ્રંથો લખાયા છે. વિશ્વકર્મા શિલ્પશાસ્ત્રમાં તેઓએ બાંધકામ, લોખંડકામ, તાંબુકામ અને અન્ય હસ્તકલા સંબંધિત સિદ્ધાંતો આપ્યા છે, જે આજે પણ કારીગરો માટે માર્ગદર્શક બની રહ્યાં છે.
આજના વૈજ્ઞાનિક યુગમાં પણ કારીગરો અને ઇજનેરો માટે ભગવાન વિશ્વકર્માની ભુમિકા અગત્યની છે. જ્યારે એક ઇજનેર કોઈ નવી શોધ કરે છે, કોઈ આર્કિટેક્ટ અનોખું નગર રચે છે, કે જ્યારે કોઈ મિકેનિક મશીન મરામત કરે છે, ત્યારે તે કારીગરી અને સર્જનશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે – જેવું કે વિશ્વકર્મા ભગવાન કરતા હતા.
આધુનિક ઉદ્યોગોમાં પણ વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવે છે. તે દિવસે મશીનો બંધ રાખી તેમને સાફ કરવામાં આવે છે અને તેમના સુરક્ષિત અને યોગ્ય ઉપયોગ માટે પ્રાર્થના કરવામાં આવે છે. એ પણ એક રીતે આપણા શ્રમ અને સાધનો પ્રત્યેની સન્માનભાવના છે.
ભારતીય કારીગરોનું જીવન વિશ્વકર્માના જીવનચરિત્ર સાથે સંકળાયેલું છે. તેમની સંસ્કૃતિમાં કામ એક પવિત્ર યજ્ઞ છે. "કર્મ એ ધર્મ છે" નો સિદ્ધાંત વિશ્વકર્માના જીવનમાંથી પ્રતિફળે છે. તેઓના માર્ગે ચાલનાર દરેક કર્મયોગી પોતાની કલા અને શ્રમથી સમાજ માટે નવિનતાનું સર્જન કરે છે.
જ્યાં કુદરત સંભાવનાઓ આપે છે, ત્યાં કારીગરો તેમને આકાર આપે છે. એક વાઘાની હાડકીઓમાંથી શણગારિત હાર બને છે, લોખંડના ટુકડાથી શસ્ત્રો બને છે, અને પથ્થરથી મંદિરો રચાય છે. આ બધું વિશ્વકર્માના પવિત્ર સંસ્કાર અને કારીગરોની નિષ્ઠાનું પ્રતિબિંબ છે.
આજના યુગના કારીગરો માટે ભગવાન વિશ્વકર્માનું જીવન એક સંદેશ આપે છે – શ્રમના માધ્યમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરો. આજે જ્યારે ટેકનોલોજી આગળ વધી રહી છે, ત્યારે પણ માળખાગત વિકાસ, ઇજનેરિંગ, અને ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોમાં માનવીય કૌશલ્ય મહત્વનું છે.
વિશ્વકર્મા ભગવાન એ યાદ અપાવે છે કે તકનીકી વિકાસ માત્ર સાધનોથી નહિ, પણ માનવીય સર્જનશક્તિ અને શ્રદ્ધાથી થાય છે. આજના યુગના કારીગરો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત છે કે કેવી રીતે પોતાની કુશળતા દ્વારા સમાજ માટે કંઈક સકારાત્મક સર્જી શકાય.
અંતે, ભગવાન વિશ્વકર્મા અને કારીગરો વચ્ચેનો સંબંધ એ શ્રમ, ભક્તિ અને સર્જનશીલતાનું પવિત્ર સુત્ર છે. કારીગરો ભગવાનના જીવનમાંથી પ્રેરણા લઈને શ્રમને આરાધના રૂપે નિભાવે છે.તેમનું કામ માત્ર વ્યવસાય નથી,પણ એક યજ્ઞ છે-જેમાં દરેક સાધનને દેવરૂપ માનવામાં આવે છે અને દરેક કાર્ય ભક્તિરૂપ હોય છે. આ અતૂટ સંબંધ ભારતની સંસ્કૃતિનું આત્મિક પાયાનું સ્તંભ છે, જે આજના ટેક્નોલોજી યુગમાં પણ એટલું જ અનુરૂપ અને પ્રાસંગિક છે.
🙏🌹 *જય વિશ્વકર્મા* 🌹🙏
*બાંહેધરી પત્ર*
નામ :- ઈસલાણીયા નેહા નિલેશભાઈ
સરનામું :-એમ-૨,બ્લોક ૨૨૦૬,રણજીતનગર જામનગર-361005
નિબંધનું શીર્ષક :-વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સંબંધ
શબ્દ સંખ્યા: 1300થી1350
મોબાઈલ નંબર :- 6351817342
ઉંમર : - 18 વર્ષ
આથી હું..ઈસલાણીયા નેહા.. આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું......ઈસલાણીયા નેહા...... પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ
ઈસલાણીયા નેહા
(14)
*વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાનની ઉપાસનાનું મહત્વ*
જેમના એક હાથમાં કાંબી,બીજા હાથમાં સૂત્ર, ત્રીજામાં જલનું કમંડળ અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે. જેઓ હંશ ઉપર બીરાજમાન થયેલા છે. જેમને ત્રણ નેત્રો છે.જેમને મસ્તક ઉપર સુંદર મુગટ ધારણ કરેલો છે.વળી, સર્વપ્રકારે તેમનું શરીર વૃદ્ધિ પામેલ છે. જેઓએ ત્રણ લોકને સર્જેલા છે તેમજ સર્વ પ્રકારના દેવમંદિર, રાજગૃહો સર્વ સામાન્ય લોકોના નિવાસ ઘરો પણ રચેલા છે એવા સર્વ જગતનું હિત કરનાર સુત્રધાર વિશ્વકર્મા પ્રભુ અમારૂ રક્ષણ કરો.
ભારત દેશ સંસ્કૃતિઓ અને પરંપરાઓથી ભરપૂર દેશ છે. અહીં દરેક દેવ-દેવતાની ભક્તિમાં લોકોની શ્રદ્ધા અને સમર્પણના અનેક દાખલા જોવા મળે છે. આવા દેવી-દેવતાઓમાં વિશ્વકર્મા ભગવાનનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓને શ્રમ, કળા, વિજ્ઞાન અને સર્જનના દેવતા તરીકે પૂજવામાં આવે છે. આજે જ્યારે વિશ્વ વિકાસશીલથી વિકસિત બની રહ્યું છે, ત્યારે વિશ્વકર્મા ભગવાનની ઉપાસનાનું મહત્વ પણ વધારે વધી ગયું છે.
પુરાણો અનુસાર, ભગવાન વિશ્વકર્મા બ્રહ્માના મનસ પુત્ર હતા અને તેમને વિશ્વના પ્રથમ ઇજનેર અને સ્થાપત્યશાસ્ત્રી માનવામાં આવે છે. દેવતાઓના શસ્ત્રો, હવામહેલો, રથો અને વિવિધ યંત્રોના નિર્માતા તરીકે તેમની ખ્યાતિ છે. તેઓએ દ્વારિકા નગરી, હસ્તિનાપુર, ઈન્દ્રપ્રસ્થ જેવા અદભૂત નગરોનું નિર્માણ કર્યું હતું. તેમને હસ્તશિલ્પ, વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રણેતાઓમાં સ્થાન આપવામાં આવે છે.
આજના ટેક્નોલોજી અને ઔદ્યોગિક યુગમાં પણ ભગવાન વિશ્વકર્માની ઉપાસનાનું મહત્વ અત્યંત છે. જેના મુખ્ય કારણો નીચે મુજબ છે:
આજના સમયમાં દરેક ક્ષેત્રમાં કુશળતા અને સર્જનશીલતાની જરૂરિયાત છે.ભગવાન વિશ્વકર્મા જેમને શ્રમના દેવતા માનવામાં આવે છે, તેમની ભક્તિ દ્વારા શ્રમની પવિત્રતાને માન મળતું રહ્યું છે. શ્રમજીવી લોકો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત છે.દિવસેને દિવસે નવી ટેક્નોલોજી આવી રહી છે. નવા મશીનો, સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા થઈ રહ્યા છે. આજના ઈજનેરો માટે ભગવાન વિશ્વકર્મા એક પ્રકારની આધ્યાત્મિક પ્રેરણા છે.વિશ્વકર્મા પૂજા ખાસ કરીને એ લોકો માટે મહત્વપૂર્ણ છે જે ઉત્પાદન, મશીનરી, કારખાનાઓ, અને મજૂરી આધારિત ઉદ્યોગો સાથે જોડાયેલા છે. આજના આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણમાંથી જોવાય તો, દરેક કારીગર અને ઉત્પાદક માટે તેમની ભક્તિ તેમને કાર્ય માટે પ્રેરણા આપે છે.વિશ્વકર્મા પૂજાનો આયોજીત તહેવાર માત્ર ધાર્મિક ક્રિયા નથી પણ તે સામૂહિક એકતાનું પ્રતીક છે. જ્યારે ભીડમાં લોકો એક સાથે ઉપાસના કરે છે, ત્યારે તે સમાજમાં એકતા, સમજૂતી અને સહકારનું વાતાવરણ ઉભું કરે છે, જે આજના ખંડિત સમાજ માટે અત્યંત જરૂરી છે.આજનો માનવી ભૌતિક સુખો પાછળ દોડે છે, પણ એના જીવનમાં શાંતિ અને સંતોષના અભાવ છે. ભગવાન વિશ્વકર્માની ઉપાસના માનવીને કામમાં શ્રદ્ધા, સામર્થ્ય અને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે. તેઓ ફક્ત ટેક્નિકલ કુશળતાના દેવતા નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન અને નૈતિક મૂલ્યોના પણ પોષક છે.અહીં પણ ધ્યાન આપવું જરૂરી છે કે ઘણા ઉદ્યોગો, વર્કશોપો અને ઓફિસોમાં ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાનો રિવાજ છે. આ પૂજામાં મશીનો, સાધનો અને કાર્યસ્થળની સફાઈ કરીને શ્રદ્ધાપૂર્વક આરતી કરવામાં આવે છે. આ રીતું વર્ક પ્લેસ પર પોઝિટિવ એનર્જી આવે છે અને કર્મચારીઓમાં જવાબદારીની ભાવના ઉદ્ભવે છે.
નવયુગની પેઢી માટે વિશ્વકર્મા ભગવાનના ઉપદેશો ખૂબ મહત્વના છે. તેઓ સમજાવે છે કે:શ્રમ માત્ર જરૂરી નથી, તે પવિત્ર છે.સર્જનશીલતા માનવજાતની સૌથી મોટી શક્તિ છે.ટેક્નોલોજીનું ઉપયોગ માનવ કલ્યાણ માટે થવું જોઈએ.કર્મમાં પરમાત્માનું વર્તમાન છે.
આ રીતે જોવાય તો વર્તમાન સમયમાં ભગવાન વિશ્વકર્માની ઉપાસનાનું ધાર્મિકથી વધુ વ્યાવહારિક અને આદર્શાત્મક મહત્વ છે. તેઓ શ્રમનો ગૌરવ છે, સર્જનશક્તિના પૂજ્ય છે અને ટેક્નોલોજી યુગના આત્મા છે.તેમની પૂજા માત્ર પરંપરા માટે નહિ, પણ કાર્યપદ્ધતિમાં નૈતિકતા અને પ્રેરણા માટે પણ અનિવાર્ય છે.
🙏🌹 *જય વિશ્વકર્મા* 🌹🙏
*બાંહેધરી પત્ર*
નામ :- ઈસલાણીયા નિધિ નિલેશભાઈ
સરનામું :-એમ-૨,બ્લોક ૨૨૦૬,રણજીતનગર જામનગર-361005
નિબંધનું શીર્ષક :- વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાનની ઉપાસનાનું મહત્વ
શબ્દ સંખ્યા: 1200થી1250
મોબાઈલ નંબર :- 6351817342
ઉંમર : - 18 વર્ષ
આથી હું..ઈસલાણીયા નિધિ.. આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું......ઈસલાણીયા નિધિ...... પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ
ઈસલાણીયા નિધિ
(15)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો: એક અતૂટ સબંધ
શિલ્પ શાસ્ત્રના આદ્યપિતા શ્રી વિશ્વકર્મા ભગવાને વિશ્વને સુખ પ્રદાન કરેલ છે. સૃષ્ટિના જીવો અને માનવજાત પર મોટો ઉપકાર કરેલ છે. એમની સર્જન શક્તિ દ્વારા સુંદર વ્યવસ્થા કરેલ છે. સર્વ ક્ષેત્રના તજજ્ઞ શ્રી વિશ્વકર્મા દાદાએ પ્રકૃતિની સાથે કલા સૌંદર્ય અને સંસ્કૃતિને અનુરૂપ સુંદર રચના કરીને માનવ જાતનું કલ્યાણ કરેલ છે. આપણા સૌના આરાધ્ય દેવ છે. વિશ્વકર્માના વંશજો એટલે કે માનસ પુત્રોને કલા ,કારીગરી બુદ્ધિ અને શક્તિની અનમોલ ભેટ આપી છે. આપણે સૌ એક અતૂટ સંબંધથી દાદા સાથે જોડાયેલા છીએ છે. આપણી નવી પેઢીને શ્રી વિશ્વકર્મા ભગવાન કોણ છે ? શા માટે પૂજન કરવું જોઈએ ? શ્રી વિશ્વકર્મા ભગવાનના મહિમાની જાણકારી આપવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. માનવ જાતના કલ્યાણ માટે સુંદર વ્યવસ્થા અને આવાસોનું સર્જન કર્યું છે. આ બાબતે ઘર પરિવાર અને સમાજ સાથે વિશ્વકર્માના વંશજો જોડાયેલા છે. આપણા સંતાનોને ભારતીય સંસ્કૃતિ ધર્મ, વેદો, પુરાણો અને ધર્મ ગ્રંથોમાંથી જીવન કેવી રીતે જીવવું એ ઉપદેશાત્મક સંદેશ મળે છે. શ્રી વિશ્વકર્મા પ્રભુની કૃપાથી મહેનત કરનાર વ્યક્તિ ક્યારેય ભૂખ્યો રહેશે નહીં અને બીજાને પણ ભૂખ્યો રાખશે નહીં. શ્રી વિશ્વકર્મા દાદાએ પુત્રોના હાથમાં કલા કારીગરી અને સૌંદર્યની સાથે આ એક પારસમણિના રૂપમાં દેવાંશી ઓજારો આપ્યા છે. વેદોના આધારે દેવતાઓની રક્ષા અને અધર્મનો નાશ કરવા માટે વિષ્ણુ ભગવાનને ચક્ર, શિવજીને ત્રિશૂળ ઇન્દ્રને વજ્ર, કુબેર દાદા ને પુષ્પક વિમાન , શ્રીરામને ધનુષ્ય અને હનુમાન દાદાને ગદા આપી છે. આ સૃષ્ટિ ઉપર સર્જન ,પાલન, અને વિસર્જનુ કાર્ય માટે દેવતાઓને આમંત્રણ આપીને આ કાર્યભાર સોંપ્યો છે. સકળ સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે એના માટે શ્રી વિરાટ વિશ્વકર્માના પાંચ મુખમાંથી પાંચ માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. આપણે શિખા (ચોટલી) અને જનોઈ ધારી બ્રાહ્મણો છીએ. વિશ્વકર્માના વંશજો ની આગવી ઓળખ છે. પુરાણોના આધારે જાણવા મળે છે કે શ્રી વિશ્વકર્મા ભગવાન પૃથુ રાજાની પ્રાર્થના-વિનંતીને વશ થઈને સ્વર્ગમાંથી વૃદ્ધ સ્વરૂપે હાથમાં ગજ, સૂત,જળપાત્ર, પુસ્તક ધારણ કરીને હંસ પર આરૂઢ થઈને જીવ સૃષ્ટિના કલ્યાણ માટે પૃથ્વી પર અવતર્યા છે. જે આપણા સૌના આરાધ્ય ઇષ્ટદેવ છે. મહાસુદ તેરસના આ પ્રાગટ્ય દિવસને શ્રી વિશ્વકર્મા જયંતિ તરીકે હર્ષભેર ઉજવવામાં આવે છે. આ દિવસે કારખાનામાં ફેક્ટરીઓમાં તેમજ નાની મોટી સંસ્થાઓમાં કામકાજ બંધ રાખે છે. પરિવાર સાથે શ્રી વિશ્વકર્મા ના મંદિરે દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કરે છે. ઘણી જગ્યાએ પરિવાર સાથે પોતાના ઘરે વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ કે છબી રાખીને ફૂલોથી શણગાર કરવામાં આવે છે. તેમજ શ્રી વિશ્વકર્માની કથાનું વાંચન અને શ્રવણ દ્વારા એમનો મહિમા તેમજ ઉપદેશાત્મક દ્રષ્ટાંતો દ્વારા જાણવા મળે છે. સમૂહમાં મંત્રોચ્ચાર, પૂજન અને દીપ પ્રગટાવીને દાદાની આરતી ઉતારવામાં આવે છે . આ રીતે શ્રી વિશ્વકર્મા જયંતીના દિવસે સૌ પરિવાર સાથે પૂજા કરે છે. લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે ત્યારબાદ પ્રસાદી સ્વરૂપે ભોજન ગ્રહણ કરે છે. જ્યારે સમૂહમાં આધ્યાત્મિક માર્ગે પવિત્ર કાર્ય કરવાનું લાભ મળે છે એનો આનંદ અનેરો હોય છે. આપણા ઘરમાં કે કામના સ્થળે યજ્ઞ કરવામાં આવે છે. સંકલ્પ મૂક્યા પછી ફળ સ્વરૂપે સાત્વિક ઉર્જા મળે છે. આપણા જીવનમાં દાદાની કૃપાથી સુખ શાંતિ અને આનંદ રહે છે. આ અલૌકિક આનંદની અનુભૂતિ એ વિશ્વકર્મા ભગવાન અને કારીગરો નો અતૂટ સબંધ ભક્તિ ભાવ સાથે કલા, કારીગરી અને બુદ્ધિ,શક્તિ દ્વારા જે કાર્ય કરીએ છીએ તે આપણા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને સફળતા પ્રાપ્ત કરીએ છીએ. શ્રી વિશ્વકર્મા ભગવાનની કૃપા શક્તિ દ્વારા સમાજ દરેક ક્ષેત્રમાં અગ્રતા ક્રમે રહ્યો છે અને રહેશે. સહુના સાથ સહકારથી ધર્મ નીતિની ધજા સદાયે ફરકતી રહેશે.
શ્રી વિશ્વકર્મા ભગવાનની સર્જન શક્તિ દ્વારા જીવના કલ્યાણ અર્થે અનેક ઉપકારો કર્યા છે.શ્રી વિશ્વકર્મા ભગવાને મનુષ્યપિંડની રચના કરી. સર્વે ઈન્દ્રિયો, દેવોએ અને શક્તિઓ એ પ્રવેશ કર્યો અને મનુષ્યપિંડ ને સજીવ કર્યો.જે પુરાણોના આધારે જાણવા મળ્યું છે. આદિ નારાયણ એ બ્રહ્માજીની સૃષ્ટિ રચવા માટે આજ્ઞા કરી. બ્રહ્માજીએ કાર્ય શરૂ કર્યું .એક અંડાકાર આકૃતિની રચના કરી અને તેનું નામ બ્રહ્માંડ પડ્યું. કલ્પના મુજબ બ્રહ્માંડનો વિસ્તાર વ્યાપક રહ્યો. હવે પ્રશ્ન એ ઊભો થયો કે આટલા મોટા બ્રહ્માંડને રાખવું ક્યાં ? આદિનારાયણ ની આજ્ઞાથી શેષનાગની ફણા પર બ્રહ્માંડને ગોઠવ્યું પણ સ્થિર રહ્યું નહીં. બ્રહ્માંડ હાલક ડોલક થવા લાગ્યું. કોઈ રસ્તો સુજે નહીં બધા મૂંઝાવા લાગ્યા. હવે શું કરવું. ત્યારે આદિ નારાયણ એ પોતાના સ્વરૂપમાંથી બીજું દેવત્વ સ્વરૂપ પ્રગટ કર્યું. આઠે દિશાઓમાં દિકપાલો ગોઠવ્યા અને મેરુ પર્વતને બ્રહ્માંડ પર ગોઠવ્યું. તેના વજનથી બ્રહ્માંડ સ્થિર થઈ ગયું અને ખુદ બ્રહ્માજી બ્રહ્મસ્વરૂપના તેજને જોતા રહ્યા ત્યારે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા... તમારી સામે જે ઊભા છે તે તમારા ભાઈ વિશ્વકર્મા છે. બ્રહ્માજી ખુશ થઈને વિશ્વકર્માને આ કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા. ત્યારે વિશ્વકર્મા ભગવાનની અપારશક્તિ અને તેમના કાર્યથી સૌ પ્રભાવિત થયા. શ્રી વિરાટ વિશ્વકર્માની સંચાલન વ્યવસ્થા ચૌદ વિભાગોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. સાત લોકમાં.. ભૂલોક, ભવલોક, સ્વર્ગલોક, મહલોક, જનલોક, તપ લોક અને સત્ય લોક. બીજા વિભાગમાં સાતભાગને પાતાળ નામ આપ્યું... અતળ, વિતળ, સુતળ, મહાતળ, રસતળ, પાતાળ, અતલા આ રીતે ચૌદ લોકની રચના કરી. આ પૃથ્વી પર અધર્મનો નાશ કરવા માટે અને સૃષ્ટિના જીવોના કલ્યાણ અર્થે સુંદર વ્યવસ્થા ગોઠવી. એમના રહેવા માટે નવા આવાસોની કલાત્મક રીતે સર્જન કર્યું. કોઈ વસ્તુની ક્યાંય જરાય કમી રાખી નથી. શ્રી વિરાટ વિશ્વકર્મા ની કલા કારીગરી અને સર્જનશક્તિના દ્વારા તમામ વ્યવસ્થા જળવાય છે. વ્યક્તિ એ ક્યારે માગ્યું પણ નથી છતાં અમૃત સ્વરૂપે આ ફળ સૌને મળ્યું છે. જ્યારે દેવો અને દૈત્યોના યુદ્ધમાં શિવજી અંધક નામના રાક્ષસ સાથેના યુદ્ધમાં બંનેના પરસેવાના ટીપામાંથી એક વિકરાળ સ્વરૂપ પુરુષ ઉત્પન્ન થતા દેવો અને દૈત્યો ગભરાયા અને બચવા માટે શ્રી વિશ્વકર્મા પાસે ગયા. શ્રી વિશ્વકર્માએ આ વિકરાળ સ્વરૂપને પુત્ર તરીકે સ્વીકારીને
" વાસ્તુ " નામ આપ્યું. આજે પણ ઘર, બંગલા કે ફેલેટોમાં પોતાના નવા નિવાસ્થાનોમાં વાસ્તુ પૂજન કરાવે છે પછી ત્યાં રહેવા જાય છે. વાસ્તુ પૂજન કરવાથી નવા નિવાસ્થાને સાત્વિક ઉર્જા દ્વારા જીવનમાં સુખ શાંતિ રહે છે.
શ્રી વિશ્વકર્મા પ્રભુએ પાંચ મુખમાંથી પાંચ માનસ પુત્ર ઉત્પન્ન કર્યા. આપણે સૌ જનોઈ ધારી અને માથે શિખા આ બ્રાહ્મણની નિશાની છે. પરંતુ પરિવર્તન યુગમાં ધીરે ધીરે ફેરફારો થતા જોવા મળે છે. શ્રી વિશ્વકર્મા પ્રભુએ મનુ (લુહાર), મય( સુથાર) ત્વષ્ટા (કંસારા ),શિલ્પી (કડિયા-સલાટ) દેવજ્ઞ (સોની) આ પાંચ માનસ પુત્રો ને એની કલાકારીગરીમાં નિપુણ બનાવ્યા. દેવાંશી ઓજારોની શક્તિ અને ઉપયોગ કરવાની કલા કારીગરી સાથે કૌશલ્ય ની ભેટ આપી છે. આપણા સંતાનોમાં જ્ઞાન બુદ્ધિ અને શક્તિ અને આવડતના કારણે સાચા રસ્તે ક્યારેય પાછા નહીં પડે. પોતાની કોઠા સૂઝના કારણે ગમે તેવા મુશ્કેલ પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં સફળ રહે છે. વિશ્વકર્મા દાદા ની કૃપાથી અને માતા પિતાના આશીર્વાદથી નીતિ ધર્મ અને પ્રભુની આજ્ઞામાં રહીને કાર્ય કરે છે ત્યારે એને હિમાલય પણ નડતો નથી.
આજે પણ એ જ અનુભૂતિ થાય છે. વિશ્વકર્મા ભગવાન સત્યમ શિવમ સુન્દરમ સ્વરૂપે પ્રગટ છે. શ્રી વિશ્વકર્માની દ્રષ્ટિમાં જ્ઞાતિ ,વર્ણ, રંગ, ધર્મ સંસ્કૃતિ માં ક્યારેય ભેદ રાખ્યો નથી. સૌ જીવોનું કલ્યાણ કર્યું છે. વિશ્વકર્મા ના વંશજના પાંચે પુત્રો કર્મયોગી છે. આપણા પરિવારમાં મનુ એટલે કે લુહારને શ્રેષ્ઠ પુત્ર તરીકે પરિવારમાં પૂજા થાય છે. જેષ્ઠ ભ્રાતા-વડીલ તરીકે માન સન્માન અને આદર સાથે વ્યવહાર કરવામાં આવે છે. જે આપણા પરિવારના મોભી ગણાય છે. જે આપણા સંસ્કારોની ગરિમા આજે પણ ઘણા પરિવારોમાં જોવા મળે છે. આપણા સંતાનો કલા જ્ઞાન વિજ્ઞાન અને બુદ્ધિશક્તિ માં આજે અગ્રસ્થાને રહ્યા છે. જે પંચાલ તરીકે ઓળખાય છે.
પ્રભુએ ૬૪ કળાઓ શીખવી છે.ઓજારો બનાવવાનું કાર્ય શ્રી વિશ્વકર્માના શિષ્ય લવાક્ષે કર્યું છે. આ દેવાંશી ઓજારોમાં દેવોનો વાસ છે જેમાં દેવોની શક્તિ રહેલી છે. માનસ પુત્રો ના હાથે કલાકારીગરી દ્વારા એમના ક્ષેત્રમાં માનવ જાતિના સર્વાંગી વિકાસ સુખ, સુવિધા અને સગવડતા કરી છે. આપણા ઓજારો દેવાંશી તરીકે આજે પૂજન કરવામાં આવે છે. દેવોની કૃપાથી જ આપણે ઓજારો દ્વારા નવું સર્જન કરી શકીએ છીએ આ દેવાંશી ઓજારો ઉપર ક્યારેય પગ મૂકવો નહીં અને કામ પૂરું થયા પછી સાફ સુફી કરીને યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત મૂકવા જોઈએ.
કોઈપણ કાર્ય હું નથી કરતો. આ ભાવ જ્યારે જાગૃત થાય છે ત્યારે સાચા અર્થમાં દાદા નો મહિમા સમજ્યા છીએ. જ્યાં વિશ્વકર્માના વંશજો પરિવાર સાથે શ્રી વિશ્વકર્મા ભગવાનની આરાધના કરે છે. ત્યાં કલા કારીગરી અને કૌશલ્ય માં વૃદ્ધિ થાય છે. જીવનમાં ભક્તિની શક્તિ દ્વારા શ્રી વિશ્વકર્મા પ્રભુ જ આ કાર્ય કરે છે એ વાત જીવનમાં દ્રઢ કરીને રાખવી જોઈએ. ધર્મ શાસ્ત્ર અને દેવાંશી ઓજારો ની ગરિમા જાળવવી જોઈએ. કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં ઓમ્ શ્રી વિશ્વકમૅણે નમઃ બોલીને કાર્ય કરવું જોઈએ. પ્રભુ સ્મરણમાં અને મંત્રોચ્ચારમાં શક્તિ રહેલી છે. શ્રી વિશ્વકર્મા ના વંશજોએ પોતાની કમાણી માંથી દશમો ભાગ અલગ કાઢવો જોઈએ. વર્તમાન સમયમાં પણ જે વ્યક્તિ નીતિ નિયમ અને ધર્મની આજ્ઞામાં રહી અને કાર્ય કરે છે એ સુખી છે. કદાચ એની પાસે માલ મિલકત સંપત્તિ ઓછી હોઈ શકે. તેમ છતાં એનું દિલ ઉદાર હશે. સંતોષી જીવ સદાય સુખી રહે છે. દાન, પુણ્ય, સેવા,સમર્પણ માટે આપણી આવકનો દશમ ભાગ દાન, પૂણ્યમાં વાપરવો જોઈએ. પ્રભુ પાસે આપણે માગ્યું નથી છતાં પણ મળ્યું છે. જે વ્યક્તિ ઉત્સાહથી સેવા કાર્યો કરે છે ત્યાં પ્રભુ રાજી રહે છે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના જ્યાં દર્શન થાય છે ત્યાં ધર્મ નીતિની ધજા સદાય ફરકતી રહે છે. પૈસાના કારણે ક્યારે કોઈ કામ અટકતા નથી.બીજાને
જીવાડવા જીવી લઈએ જિંદગી. પ્રભુને ગમતું જીવન જીવીશુ તો પ્રભુ રાજી રહે છે. પ્રભુની કૃપા અને માતા પિતાના આશીર્વાદથી જ સેવાકીય સત્કાર્યો થતા રહે છે. આવા કાર્યો કરવાથી જીવનમાં આનંદ રહે છે. આપણા ઘરમાં શ્રી વિશ્વકર્મા દાદાના ફોટા તેમજ શ્રી વિશ્વકર્મા પુરાણ અવશ્ય હોવું જોઈએ .જો ના હોય તો શ્રી વિશ્વકર્મા પુરાણ વસાવું જોઈએ. જોઈએ. શ્રી વિશ્વકર્મા દાદાનું દિવ્ય તેજ અખિલ બ્રહ્માંડમાં પ્રકાશિત છે. વિશ્વકર્મા ભગવાન અને એમના માનસ પુત્રો એટલે કે કારીગરો સાથે અતુટ સંબંધ રહ્યો છે અને રહેશે. નીતિ ધર્મ અને શાસ્ત્રની મર્યાદા માં રહીને કાર્ય કરીશું. આપણે સમાજ સાથે જોડાયેલા રહેવાથી ઉત્તરોત્તર પ્રગતિ જરૂર થાય છે. આપણે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો પરિવાર અને સમાજ પ્રગતિના પંથે હંમેશા અગ્રેસર રહેશે. પછી કોઈ કામ અટકતું નથી. દાદાના દર્શન કરીને વંદન કરીએ છીએ ત્યારે દાદાની દિવ્યતા અને ભવ્યતામાં આ જીવ સૃષ્ટિનું કલ્યાણ રહેલું છે. શ્રી વિશ્વકર્મા ભગવાન અને વિશ્વકર્મા ના માનસ પુત્રો સાથે આત્મીય શક્તિ ના સહારે અતુટ સંબંધ રહ્યો છે. જેના કારણે જીવનમાં સુખ શાંતિ અને અલૌકિક આનંદની અનુભૂતિ વિશ્વકર્મા દાદા ની કૃપાથી જ થાય છે.
ઓમ્ શ્રી વિશ્વકર્મણે નમઃ
જય વિશ્વકર્મા
🙏🌹🌹🌹🙏
કવિશ્રી,
કિરણભાઈ આર પંચાલ " આકાશ "
અટલાદરા, વડોદરા.
મો.૭૩૮૩૪૮૪૮૧૭. ઉંમર ૬૪ વષૅ
આજે તા.૧૪-૫-૨૫ ના રોજ આપને મોબાઇલમાં ટાઈપ કરીને સ્વ લેખિત આર્ટિકલ ડાયરેક્ટ whatsapp દ્વારા મોકલી આપું છું. જે અપ્રકાશિત છે જેની હું બાંહેધરી આપું છું.
-કિરણભાઈ પંચાલ
"આકાશ"
*બાંહેધરી પત્ર*
નામ :- કિરણભાઈ પંચાલ
સરનામું :- સી/401 અક્ષર અમૃત ફ્લેટ, અટલાદરા, વડોદરા
મોબાઈલ નંબર :- 7383484817
ઉંમર : - 64
આથી હું કિરણભાઈ પંચાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું કિરણભાઈ પંચાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
કિરણભાઈ પંચાલ
(16)
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સબંધ
ભારતીય અર્થતંત્રના કાર્ય બળનો એક મહત્વપૂર્ણ ભાગ એટલે આપણો વિશ્વકર્મા સમાજ, જેઓ પોતાના હાથ અને સાધનોથી કામ કરીને દેશને આગળ લઈ જતા હોય છે અને આવા પરંપરાગત કારીગરો વિશ્વકર્મા વંશજ તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ લુહાર, સુવર્ણકાર, સુથાર, શિલ્પકાર કંસારા(ત્વષ્ટા) જે વાસણ બનાવે છે એ પણ વિશ્વકર્મા વંશજ વગેરે જેવા વ્યવસાયોમાં રોકાયેલા છે આ કુશળતા અને વ્યવસાયો પરંપરાગત રીતે પેઢી દર પેઢી એ ચાલતું રહે છે.
વાસ્તુકલા કે શિલ્પકલા નું યાદ આવે તો આજે પણ સૌથી પહેલા બધા ભગવાન માં શ્રી વિશ્વકર્માનું નામ સામે આવે છે ભગવાન વિશ્વકર્મા એ વાસ્તુ અને અંગીરસિ ના પુત્ર હતા વિશ્વકર્મા સાક્ષાત બ્રહ્માનું જ અવતાર હતા. ભગવાન વિશ્વકર્મા એ દેવોના શિલ્પકાર તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ શાસ્ત્ર વિશ્વકર્માની ઘણી સ્થાપત્ય સિદ્ધિઓનું વર્ણન કરે છે ચાર યુગો દરમિયાન તેમણે દેવતાઓ માટે ઘણા મહેલો અને નગરો બનાવ્યા જેમકે સ્વર્ગ સતયુગમાં લંકા દ્વાપરયુગમાં દ્વારિકા નગરી ઇન્દ્રપ્રસ્થ જેવા આદિ નગરો તૈયાર કર્યા અને આ પૃથ્વીના રચયિતા પણ વિશ્વકર્માદાદાને માનવામાં આવે છે, ભગવાન જગન્નાથનું મંદિર પણ શ્રી વિશ્વકર્માજીએ બનાવ્યું હતું તે બાબતે આપણે તેમને આજે પણ યાદ કરીએ છીએ અને મહા સુદ તેરસના તેમનો પૂજન કરીએ છીએ. વિશ્વકર્માનુ નામ ઋગ્વેદના દસમા ગ્રંથમાં પાંચ વખત આવે છે. ઋગ્વેદના બે સ્તોત્રો વિશ્વકર્માને સર્વદ્રષ્ટા તરીકે ઓળખાવે છે. બ્રહ્મા, સૃષ્ટિના દેવ, જે ચાર મુખ અને ચાર હાથવાળા છે, આ દેવ તેમના જેવા જ છે. તેમને બધી સમૃદ્ધિના સ્ત્રોત તરીકે રજુ કરવામાં આવ્યા છે, તેમના વિચારોમાં ઝડપી અને દ્રષ્ટા, પૂજારી અને વાણીના સ્વામી તરીકે બિરુદ આપવામાં આવ્યું છે. તેમણે ઘણા શસ્ત્રો જેમ કે વજ્ર,ચક્ર વિશ્વકર્માજીએ મહાદેવના ત્રિશૂળ, શ્રી હરિનું સુદર્શન ચક્ર, યમરાજના કાલદંડ, કર્ણના કુંડળ, હનુમાનજીની ગદા અને કુબેરના પુષ્પક વિમાનના જેવા અસ્ત્રોનું પણ નિર્માણ કર્યું હતું. વિશ્વકર્માની પ્રતિમાઓ એક પ્રદેશથી બીજા પ્રદેશમાં ખૂબ જ અલગ અલગ હોય છે, જોકે બધા તેમને સર્જન સાધનો સાથે દર્શાવે છે. સૌથી લોકપ્રિય ચિત્રણમાં, તેમને ચાર હાથવાળા વૃદ્ધ અને જ્ઞાની માણસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમની સફેદ દાઢી છે અને તેમની સાથે તેમનો વાહન, હંસ છે, જે વિદ્વાનો માને છે કે આ તેમના સર્જનહાર દેવ બ્રહ્મા સાથેના જોડાણને સૂચવે છે. સામાન્ય રીતે, તેઓ સિંહાસન પર બેઠેલા હોય છે અને તેમના પુત્રો તેમની નજીક ઉભા હોય છે. વિશ્વકર્માનું આ સ્વરૂપ મુખ્યત્વે ભારતના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભાગોમાં જોવા મળે છે. ભારતના પૂર્વીય ભાગોમાં વિશ્વકર્માની મૂર્તિઓ તેમને એક યુવાન પુરુષ તરીકે દર્શાવે છે. તેમની મૂછો કાળી છે. હાથી તેમનું વાહન છે.
વિશ્વકર્મા ભગવાન સાથે તેમના કારીગરોનો સંબંધ અતૂટ છે તે આપણે વિશ્વકર્મા જયંતીના દિવસે જોવા મળે છે, આ તહેવાર મુખ્યત્વે કારખાનાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે, ઘણીવાર દુકાનના પર. આ દિવસ કારીગરો, લુહાર, સુવર્ણકાર, સુથાર, શિલ્પકાર, મિકેનિક્સ, ઔદ્યોગિક કામદારો, ફેક્ટરી કામદારો, ઇજનેરો, આર્કિટેક્ટ અને અન્ય કામદારો દ્વારા ઉજવવામાં આવે છે. અનુયાયીઓ સારા ભવિષ્ય, સલામત કાર્યકારી પરિસ્થિતિઓ અને સૌથી ઉપર, તેમના સંબંધિત ક્ષેત્રોમાં સફળતા માટે પ્રાર્થના કરે છે. કામદારો વિવિધ મશીનોના સુગમ સંચાલન માટે પણ પ્રાર્થના કરે છે. કામદારો તેમની કારીગરીને શક્તિ ની વિભાવના સાથે જોડે છે, અને ક્યારેક પોતાને વિશ્વકર્માના બાળકો તરીકે જુએ છે. કારખાનાઓ ભાગોમાં દેવતા માટે મંદિરો બનાવવામાં આવે છે. દેવતાને તેમની કૃપા માટે પૂજા કર્યા પછી ઘણીવાર કામદારોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. આજનો વિશ્વકર્મા સમાજ નવીનતમ પ્રગતિ કરી રહ્યું છે આજે વિશ્વકર્મા સમાજના કેટલાય લોકો ઉચ્ચ શિક્ષણ પામીને આઈ.એ.સ ઓફિસર, ડીસ્ટ્રીક એજ્યુકેશન ઓફિસર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર, વકીલ, ટીચર જેવી વિભિન્ન કાર્યક્ષેત્રમાં સહયોગ દઈ રહ્યા છે. વિશ્વકર્મા સમાજ સ્ત્રી સશક્તિકરણ માટે પણ વિભિન્ન પ્રકાર ની પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને તેમને પ્રોત્સાહન આપી રહ્યું છે વિશ્વકર્મા સમાજ ને આગળ લાવવા શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર પણ વિભિન્ન જાતની સ્કીમ કાઢી રહી છે જેમ કે પીએમ વિશ્વકર્મા યોજના જે અંતર્ગત વિશ્વકર્મા વંશજોને ટૂલકિટ આપી ને તેમને પ્રોત્સાહન કરવામાં આવે છે. કારીગરો કોઈ પણ કાર્ય શરૂ કર્યા પહેલા શ્રી વિશ્વકર્મા ભગવાનને યાદ કરે છે, અને તેમના ઓજારો ની અને કામ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી અને કાર્ય શરૂ કરે છે.
લુહાર ના ઓજાર જેમકે એરણ, હથોડો, ધમણ, સાણસી અને સુથાર નું કરવત, ચોરસી, વાંસલો, વેંધણુ સ્વણકારના ઓજાર એટલે કરણ, જંતરડો, ભભકી અને સાણસી બીજું શિલ્પકાર ના ઓજાર જેમકે ઓડંભો, ચુનાળ, રંધો, માપપટ્ટી, છે એ બધા વિશ્વકર્મા ભગવાનના અસ્ત્ર તરીકે ઓળખાય અને પૂજાય છે
વિશ્વકર્મા ભગવાન પરજો કોઈ પણ અવરોધ ટિપ્પણી અથવા કોઈપણ ખોટા બોલ બોલવામાં આવે તો વિશ્વકર્મા વંશજો કે વિશ્વકર્મા ના કારીગરો તેમને સજા આપ્યા વિના મુકતા નથી અને તેનો વિરોધ કરે છે જેથી આપણે એ સમજવામાં આવે છે કે વિશ્વકર્મા ભગવાન અને તેના કારીગરો નો સંબંધ અતૂટ છે
*બાંહેધરી પત્ર*
નામ :- વિવેક સિધ્ધપુરા
સરનામું :- પ્લોટ નં.504, સેક્ટર-5, સથવારા કોલોની ગાંધીધામ કચ્છ 370 201
નિબંધનું શીર્ષક :- વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સબંધ
મોબાઈલ નંબર :- 9879866301
ઉંમર : - 18
આથી હું *વિવેક સિધ્ધપુરા* આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું વિવેક સિધ્ધપુરા પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
વિવેક સિધ્ધપુરા
(17)
"વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ"
આપણે સૌ પ્રથમ પહેલા ભગવાન વિશ્વકર્મા દાદા ને ઓળખે !
વિશ્વકર્મા દાદા દુનિયાના સૌથી પહેલા મોટા આર્કિટેક છે વિશ્વકર્મા દાદાએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા , રાવણ ની શ્રીલંકા , ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તેમજ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું છે.
આપણે ધન્યતા અનુભવે છે કે આપણે ભગવાન વિશ્વકર્મા ના વંશજો છે એટલે જ તો કહેવાયું છે કે આપણા લોહીમાં , સંસ્કારમાં શિલ્પકલા , ચિત્રકળા અન્ય કલાઓનો ભંડાર સમાયેલો છે . હસ્તકલા હોય કે શિલ્પકલા કે પછી કાપડમાં કલાકારી હોય કે માટીમાં કંડારી કલાકારી લાકડું હોય કે લોખંડ અદ્ભુત કલા કરી આપણે વિશ્વકર્મા સમાજની આગવી ઓળખાણ થાય છે.
પહેલાના સમય માં સ્ત્રીઓને તુચ્છ અને અબળા માનવામાં આવતી હતી. અત્યારે આધુનિક સમયમાં એવું રહ્યું નથી. અત્યારે એક સ્ત્રી પણ પુરુષ સમોવડી બની આપણા સમાજનું નામ રોશન કરે છે .પહેલાના સમય માં પણ ભરતગુંથણ , મોતી વર્ક હોય કે ભાતીગળ ભાત પાડીને ખૂબ જ મોટા પ્રમાણમાં પારંગત હતી પરંતુ સ્ત્રીઓને ત્યારે માન સન્માન આપવામાં આવતું ન હતું.
અત્યારે દીકરીઓ ભણી ગણીને એક આર્કિટેકનું કામ ખૂબ જ ચપળતા થી કરી શકે છે .સારી એવી ઊંચી પોસ્ટમાં કામ કરી શકે છે .જેવી કે આર્કિટેક્ચર ,ફેશન ડિઝાઈનર જેવા કામ કરીને આપણા સમાજનું નામ રોશન કરે છે. અને પોતાના પરિવારને પાલવવામાં સશક્ત છે. એમાં દીકરીઓ તો માં રાંદલ , લીલનદેવીથી ક્યાં કોઈ અજાણ છે આપણા સમાજની દીકરીઓ કોઈ સામાન્ય દીકરી નથી એક પવિત્રતા અને અનેક ખુમારીના દાખલા છે. એટલે જ તો દીકરી એક શક્તિ સ્વરૂપા છે.
ખૂબ જ ભણી ગણીને આપણા વિશ્વકર્મા સમાજની અને મા-બાપનું નામ ઉજ્જવળ બનાવી એક સ્ત્રીપાત્ર
ને સશક્ત બનાવી આગવી પહેચાન બનાવે છે . એક સ્ત્રી ધારે તો પિયર સાસરીયા અને પોતાના પરિવાર બાળકોને સારું એવું ભવિષ્ય આપી શકે છે . બાળકો પાસે મા બનીને પતિ સાથે કામમાં હાથ મિલાવીને એક પાર્ટનર ની જેમ અને વડીલો સાથે વડીલોની શક્તિ બનીને સરળતાથી બધી જ ફરજો નિભાવી શકે છે. એટલે જ તો કહેવાયું છે કે "નારી તું નારાયણી" .
અત્યારે ડોક્ટર કે પછી રાજ્યસભાની ખુરશી હોય કે, રમત ગમત ભરતગુંથણ કે પછી , પોલીસ કર્મચારી ,વકીલ , જજ સુધી બધી જ જગ્યાએ સ્ત્રીનું આગવુ સ્થાન છે. આધુનિક યુગમાં સ્ત્રીપાત્ર કમજોર નથી પણ શક્તિ સ્વરૂપા છે . આર્થિક અને સામાજિક રૂપે સ્વતંત્ર બની છે.
સ્ત્રી હવે અપરાધીન રહી નથી તે મહિલાઓ હવે શિક્ષણ માં અને સમાન અધિકાર અને નિર્ણય લેવાની શક્તિ રાખે છે. સ્ત્રીઓને જેટલી સ્વતંત્રતા મળી છે એનાથી આત્મસન્માન આત્મનિર્ભર અધિકાર, સમાનતા થી સમાજ તથા ધંધા રોજગારમાં પણ વિકાસ થાય છે .
તુ જ છે જન્મદાયિની માતા
તુ જ છે સરસ્વતી
તુ જ છે દુર્ગાને અને શક્તિ સ્વરૂપા
તુ જ છે લક્ષ્મીને નારાયણી
તુ જ છે અન્નપૂર્ણા
તુ જ છે ભાગ્ય વિધાતા
નામ: આરતીબેન રૂપેશભાઈ પરમાર
ગામ: મહુવા
જીલ્લો :ભાવનગર
પીનકોડ નંબર : 364290
એડ્રેસ: રૂપેશભાઈ હર્ષદભાઈ પરમાર
મહાકાલી નગર સોસાયટી બ્લોક નંબર 3
મોબાઈલ નંબર 7621029240
*બાંહેધરી પત્ર*
આથી હું આરતીબેન રૂપેશભાઈ પરમાર આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું આરતીબેન રૂપેશભાઈ પરમાર પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ
આરતીબેન રૂપેશભાઈ પરમાર
(18)
વિશ્વકર્મા સમાજ અને સ્ત્રી સશક્તિકરણ:
પ્રસ્તાવના:
ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં વિશ્વકર્મા સમાજનું સ્થાન ખુબ જ વિશિષ્ટ અને ગૌરવપૂર્ણ રહ્યું છે. ભગવાન વિશ્વકર્માને સૃષ્ટિના સર્જનહાર અને સમસ્ત શિલ્પકળા તથા સ્થાપત્યના આદ્ય-પ્રણેતા માનવામાં આવે છે. જેમ આપને જાણીયે છિયે કે આપણો સમાજ એટલે કે વિશ્વકર્મા વંશજો પરંપરાગત રીતે શિલ્પ, સ્થાપત્ય, સુથારીકામ, લુહારીકામ, સોના-ચાંદીના ઘરેણાં બનાવવાનું કામ, તેમજ અન્ય કલાત્મક અને કારીગરી સંબંધિત વ્યવસાયો સાથે જોડાયેલા હોય છે. ભારતીય અર્થતંત્ર અને કલાના વિકાસમાં આ સમાજનું યોગદાન અમુલ્ય છે. તેમણે પેઢી દર પેઢી પોતાની કૌશલ્ય અને કલાને જીવંત રાખી છે.
સશક્તિકરણનો એટલે વ્યક્તિને પોતાની ક્ષમતાઓ અને સંસાધનોનો ઉપયોગ કરીને પોતાનું અને સમાજનું ઉત્થાન કરવાની શક્તિ પ્રદાન કરવી તે. સશક્તિકરણ એ માત્ર આર્થિક સ્વતંત્રતા મેળવવા પૂરતું સીમિત નથી; પરંતુ સામાજિક, શૈક્ષણિક, રાજકીય અને માનસિક સશક્તિકરણનો પણ સમાવેશ કરે છે. એમાં પણ જ્યારે સ્ત્રી સશક્તિકરણ ની વાત કરીયે તો એ સમાજના અડધી કે તેથી વધુ વસ્તીને સમાન તકો અને અધિકારો આપીને તેમને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાની પ્રક્રિયા છે. આપણે જાણીએ છીએ તેમ કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ ત્યાં સુધી શક્ય નથી જ્યાં સુધી તે સમાજ ની સ્ત્રીઓ સશક્ત ન હોય. તેમને સમાન તકો અને સન્માન મળવું એ પણ માનવ અધિકારનો એક ભાગ છે.
“ સશક્ત નારી, સમૃદ્ધ સમાજ “
કહેવાય છે કે મહિલા સશક્તિકરણ વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્ર પ્રગતિ સાધી શકતું નથી. વિશ્વકર્મા સમાજ પણ આ વ્યાપક સાંપ્રત અને સામાજિક પ્રવાહથી અળગો નથી રહ્યો. અન્ય ઘણા પરંપરાગત ભારતીય સમાજોની જેમ, વિશ્વકર્મા સમાજમાં પણ સ્ત્રી સશક્તિકરણ એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ વિષય બન્યો છે. વર્તમાન સમયમાં સમાજમાં સ્ત્રીઓની સ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે, પરંતુ હજુ પણ ઘણા પડકારો મોજૂદ છે. પરંપરાગત રૂઢિચુસ્ત માન્યતાઓ, શિક્ષણનો અભાવ, આર્થિક પરાધીનતા અને સામાજિક બંધનો સ્ત્રી સશક્તિકરણના માર્ગમાં અવરોધરૂપ છે.
વિશ્વકર્મા સમાજમાં સ્ત્રીઓની પરંપરાગત ભૂમિકા:
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, વિશ્વકર્મા સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા પણ બીજા સમાજ ની જેમ મુખ્યત્વે ઘર અને પરિવારની સંભાળ પૂરતી સીમિત રહી હતી. પુરુષો પરંપરાગત વ્યવસાય, જેમ કે સુથારીકામ, લુહારીકામ, શિલ્પકામ, સોનીકામ વગેરે સંભાળતા હતા, જ્યારે સ્ત્રીઓ ઘરકામ, બાળઉછેર, અને પરિવારના સભ્યોની દેખભાળ કરતી હતી. તે સાથે જ તેઓ પુરુષોને પણ તેમના કામમાં મદદ કરતી હતી, જેવા કે સાધનો તૈયાર કરવા, કાચો માલ લાવવામાં કે તૈયાર માલની ગોઠવણીમાં વગેરે. પરંતુ અહી તેમની ભૂમિકા ‘અદ્રશ્ય સહાયક’ તરીકે ની રહેતી હતી. આ પરંપરાગત વ્યવસ્થાના કારણે વિશ્વકર્મા સમાજમાં સ્ત્રીઓનું શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિનું પ્રમાણ અન્ય સમાજોની જેમ જ ઓછું રહ્યું. તે સમયે સ્ત્રીઓ ને આગળ ઘરકામ જ સંભાળવાનું છે એવી રૂઢિવાદી માન્યતાઑ હોવાથી ભણતર ને પ્રાધાન્ય આપવામાં આવતું નહતુ. વળી, પરંપરાગત કૌશલ્યો અને વ્યવસાયો પણ ફક્ત પુરુષોને જ શીખવવામાં આવતા હતા; સ્ત્રીઓને તેમાં તાલીમ આપવાની પ્રથા નહિવત હતી.
સામાજિક બંધનો અને રૂઢિચુસ્ત માન્યતાઓ એ સ્ત્રીઓની પ્રગતિમાં મોટા અવરોધો ઊભા કર્યા હતા. સમાજમાં સ્ત્રીઓ માટે ચોક્કસ મર્યાદાઓ નિર્ધારિત કરવામાં આવી હતી. તેમને ઘર તેમજ બહારની દુનિયામાં વધુ પડતી સ્વતંત્રતા મળતી ન હતી. લગ્ન, સામાજિક સંબંધો, અને કૌટુંબિક નિર્ણયોમાં પણ તેમની ભૂમિકા ગૌણ રહેતી હતી. આ સંકુચિત દ્રષ્ટિકોણ અને બંધનો ની બેડીઓને લીધે સ્ત્રીઓ પોતાની વાસ્તવિક ક્ષમતાઓને ઓળખી શકતી ન હતી અને તેમનો વિકાસ રૂંધાયો હતો. શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતાના અભાવે તેઓ સંપૂર્ણપણે પુરુષો પર આધારીત રહેતી હતી, જે તેમની નબળાઈનું મુખ્ય કારણ બનતું હતું. આ પરંપરાગત માળખું લાંબા સમય સુધી સમાજમાં પ્રચલિત રહ્યું, જેના કારણે ફક્ત વિશ્વકર્મા જ નહી પરંતુ અન્ય દરેક સમાજ પણ સ્ત્રીસશક્તિકરણના લાભોથી વંચિત રહયા.
સ્ત્રી સશક્તિકરણની જરૂરિયાત:
આધુનિક યુગમાં સ્ત્રી સશક્તિકરણ એ માત્ર એક સામાજિક મુદ્દો નથી, પરંતુ તે કોઈપણ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેની અનિવાર્ય શરત છે. જાતિગત સમાનતા પણ માનવ અધિકારોનો મૂળભૂત સિદ્ધાંત છે. દરેક વ્યક્તિ, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, તેઓ સમાન હકો સમાન તકો,માન-સન્માન અને અધિકારો મળવાપાત્ર હોય છે. સ્ત્રીઓને સશક્ત બનાવીને આપણે આ સિદ્ધાંતને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરી શકીએ છીએ.
સમાજીક વિકાસમાં સ્ત્રીઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે સ્ત્રીઓને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની સમાન તકો મળે છે, ત્યારે તેઓ માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે ઉત્પાદક અને સક્રિય ભૂમિકા ભજવી શકે છે. આર્થિક ક્ષેત્રે પણ સ્ત્રીઓની ભાગીદારી વધવાથી કુટુંબની આર્થિક સ્થિતિ સુધરે છે તથા રાષ્ટ્રીય અર્થતંત્ર પણ મજબૂત બને છે. સશક્ત સ્ત્રીઓ સામાજિક કુરિવાજો અને ભેદભાવ સામે લડવામાં સક્ષમ બને છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ કરે છે. રાજકીય ક્ષેત્રે તેમની ભાગીદારી નીતિ ઘડતરમાં સ્ત્રીઓના મુદ્દાઓને સ્થાન અપાવે છે અને વધુ સમાવેશી શાસન પ્રણાલીનું નિર્માણ કરે છે.
વિશ્વકર્મા સમાજ માં સ્ત્રી-સશક્તિકરણની જરૂરિયાત વિશેષ રૂપે મહત્વપૂર્ણ છે. આપણો સમાજ મુખ્યત્વે પરંપરાગત વ્યવસાયો પર આધારિત છે. બદલાતા સમય અને ટેકનોલોજીના કારણે આપણા વ્યવસાયોમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. આવા સમયે, જો સ્ત્રીઓ શિક્ષિત અને સશક્ત હશે, તો તેઓ માત્ર પરંપરાગત કૌશલ્યોને આધુનિક રૂપ આપી શકશે નહીં, પરંતુ નવા વ્યવસાયો અને તકો પણ શોધી શકશે. સ્ત્રી-સશક્તિકરણ સમાજની આર્થિક સ્થિતિ સુધારવામાં, શૈક્ષણિક સ્તર ઊંચું લાવવામાં અને સામાજિક જાગૃતિ લાવવા માં અમૂલ્ય યોગદાન આપશે. કુટુંબ એ સમાજનો પાયો છે. સશક્ત સ્ત્રી કુટુંબમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરે છે. તે બાળકોના શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહે છે, જે ભવિષ્યની પેઢી માટે ફાયદાકારક બની રહે છે. વિશ્વકર્મા સમાજે હાલ ના તબક્કે ઘણી પ્રગતિ સાધી છે અને તેમાં સ્ત્રીઓ પણ સહભાગી બની રહી છે એ હર્ષ ની વાત છે પરંતુ; હજુ પણ ક્યાંક સ્ત્રીઓ એ સમાજ ની બેડીઓ અને કુરિવજો ને દૂર કરી તેમની ભૂમિકા ‘અદ્રશ્ય સહાયક’ માંથી ‘દ્રશ્યમાન સહાયક’ તરીકે ની બની રહે એ માટે સશક્ત બનવું પડશે જે આજ ના સમયની માંગ છે અને તેના વિના દરેક સમાજ અધૂરો રહે છે.
શિક્ષણનું મહત્વ:
સ્ત્રી સશક્તિકરણ માટે શિક્ષણ એક ચાવી સમાન છે જે સ્ત્રીઓ માટે જ્ઞાન અને તકો નું સર્જન કરે છે. શિક્ષિત સ્ત્રી માત્ર પોતાનું જ નહીં, પરંતુ પોતાના પરિવાર અને સમાજનું પણ ઉત્થાન કરી શકે છે. શિક્ષણથી સ્ત્રીઓ માત્ર અક્ષરજ્ઞાન જ નહીં, પરંતુ જીવન જીવવા માટેના જરૂરી કૌશલ્યો, દુનિયાની સમજ અને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત કરે છે. આથી આપણા વિશ્વકર્મા સમાજમાં સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપવું એ અત્યંત જરૂરી બની ગયું છે. પરંપરાગત માન્યતાઓ અને આર્થિક મજબૂરીઓના કારણે ભૂતકાળમાં ઘણી સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. સરકારી યોજનાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સમાજની પોતાની જાગૃતિના કારણે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળી રહ્યું છે. મફત અને ફરજિયાત શિક્ષણ ના અધિકાર તથા વિધ્યાર્થીનીઑ માટે સ્કોલરશીપ યોજનાઑએ પણ આ દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
શિક્ષણ દ્વારા સ્ત્રીઓ નવી તકો પ્રાપ્ત કરી શકે છે જુદા-જુદા ક્ષેત્રોમાં નોકરી મેળવી શકે છે, પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે અથવા પોતાના પરંપરાગત કૌશલ્યને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને વધુ સક્ષમ બની શકે છે. ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ જેવુ કે-એન્જિનિયરિંગ, આઈ.ટી., મેનેજમેન્ટ, ડિઝાઇનિંગ વગેરે જેવા ક્ષેત્રોમાં શિક્ષણ મેળવીને વિશ્વકર્મા સમાજની સ્ત્રીઓ ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કર્યા છે અને હજુ વધુ પણ કરી શકે છે.શિક્ષણ સ્ત્રીઓને સામાજિક રીતે પણ સશક્ત બનાવે છે. શિક્ષિત સ્ત્રીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત હોય છે. તેઓ સામાજિક ભેદભાવ, ઘરેલું હિંસા અને અન્ય અન્યાયો સામે અવાજ ઉઠાવવામાં વધુ સક્ષમ બને છે. આથી, આપણા વિશ્વકર્મા સમાજમાં સ્ત્રી સશક્તિકરણ માટે શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ અને દરેક સ્ત્રીને શિક્ષણનો અધિકાર મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. વિશ્વકર્મા સમાજમાં સ્ત્રીઓના આર્થિક સશક્તિકરણ માટે અનેક તકો ઉપલબ્ધ છે. પરંપરાગત રીતે તેઓ ભલે વ્યવસાયમાં સીધી રીતે નથી જોડાયેલી હોતી; પરંતુ તેમની પાસે ઘરગથ્થુ કૌશલ્યો, કલાત્મકસૂઝ, કોઠાસૂઝ અને વ્યવસ્થાપન ક્ષમતા હોય છે. આ કૌશલ્યોનો ઉપયોગ કરીને તેઓ સ્વરોજગાર મેળવી શકે છે અથવા નાના ઉદ્યોગો શરૂ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સિલાઈકામ, ભરતકામ, અથાણાં-પાપડ બનાવવાનું કામ, ઘર સજાવટની વસ્તુઓ બનાવવી, કેટરિંગ, બ્યુટી પાર્લર જેવા વ્યવસાયો સ્ત્રીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સરકારી યોજનાઓ આર્થિક સશક્તિકરણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મુદ્રા લોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા,જેવી યોજનાઓ અંતર્ગત સ્ત્રીઓ પોતાના વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય અને લોન મેળવી શકે છે. આ ઉપરાંત, રાજ્ય સરકારો દ્વારા પણ સ્ત્રીઓ માટે વિવિધ સ્વરોજગાર અને આર્થિક સહાય યોજનાઓ ચલાવવામાં આવે છે, જેનો લાભ વિશ્વકર્મા સમાજની સ્ત્રીઓએ લેવો જોઈએ. સ્ત્રીઓ દ્વારા સંચાલિત સહકારી મંડળીઓ અને સ્વ-સહાય જૂથો પણ આર્થિક સશક્તિકરણનું એક ઉત્તમ માધ્યમ છે. આ જૂથો દ્વારા સ્ત્રીઓ બચત કરવાનું શીખે છે, એકબીજાને આર્થિક મદદ કરે છે અને નાના પાયા પર ઉત્પાદન કે સેવા પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે. આ જૂથો તેમને બજાર સાથે જોડવામાં અને તેમના ઉત્પાદનોનું વેચાણ કરવામાં પણ મદદરૂપ થાય છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓને આધુનિક વ્યવસાયો માટે જરૂરી તાલીમ આપી શકાય છે. કમ્પ્યુટર કૌશલ્યો, ડિજિટલ માર્કેટિંગ, ફેશન ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ (પરંપરાગત સોનીકામ સાથે આધુનિક ડિઝાઇનનું મિશ્રણ), લાકડાના કામમાં આધુનિક મશીનરીનો ઉપયોગ વગેરે જેવા ક્ષેત્રોમાં તાલીમ આપીને તેમને રોજગારી માટે તૈયાર કરી શકાય છે. જ્યારે વિશ્વકર્મા સમાજની સ્ત્રીઓ આર્થિક રીતે સક્ષમ બનશે, ત્યારે તે માત્ર તેમના પોતાના જીવનધોરણમાં જ નહીં, પરંતુ સમગ્ર સમાજની આર્થિક પ્રગતિમાં પણ નોંધપાત્ર યોગદાન આપશે.
સામાજિક અને રાજકીય સશક્તિકરણ:
સ્ત્રી સશક્તિકરણનો વ્યાપ માત્ર શિક્ષણ કે આર્થિક સ્વતંત્રતા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં સામાજિક અને રાજકીય સશક્તિકરણનો પણ સમાવેશ થાય છે. સામાજિક સશક્તિકરણ એટલે સ્ત્રીઓને સમાજમાં સમાન દરજ્જો અને અધિકારો મળવા, સામાજિક ભેદભાવ અને અન્યાય સામે અવાજ ઉઠાવવાની શક્તિ પ્રાપ્ત કરવી. રાજકીય સશક્તિકરણ એટલે તેમને રાજકીય પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવાની અને નીતિ ઘડતરમાં યોગદાન આપવાની તક મળવી. વિશ્વકર્મા સમાજમાં પણ અન્ય ઘણા સમાજોની જેમ, સ્ત્રીઓએ ભૂતકાળમાં સામાજિક ભેદભાવ અને અમુક અંશે અન્યાયનો સામનો કર્યો છે. તેમને કુટુંબ અને સમાજના મોટા નિર્ણયોમાં ભાગ્યે જ સામેલ કરવામાં આવતી હતી. સામાજિક રૂઢિચુસ્તતાના કારણે તેમને ઘણા અવસરોથી વંચિત રાખવામાં આવતી હતી. સામાજિક સશક્તિકરણ દ્વારા સ્ત્રીઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનીને કોઈપણ પ્રકારના સામાજિક ભેદભાવનો વિરોધ કરી શકે છે. સમાજમાં સમાન દરજ્જો મેળવીને તેઓ આત્મવિશ્વાસ સાથે જીવી શકે છે. રાજકીય સશક્તિકરણ સ્ત્રીઓને સમાજ અને દેશના શાસનમાં ભાગ લેવાની તક આપે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોએ વિશ્વકર્મા સમાજ સહિત તમામ સમાજોની સ્ત્રીઓને રાજકીય પ્રક્રિયામાં જોડાવા માટે પ્રોત્સાહન આપ્યું છે. આ સંસ્થાઓમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધારવું જોઈએ, જેથી તેઓ ફક્ત પોતાના ઘર જ નહીં પરંતુ તેમના વિસ્તારના વિકાસ માટે અને ખાસ કરીને સ્ત્રી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપી શકે. સ્ત્રીઓને રાજકીય રીતે સશક્ત બનાવવા માટે જાગૃતિ કાર્યક્રમો અને નેતૃત્વ વિકાસ તાલીમનું આયોજન કરવું જરૂરી છે. તેમને ચૂંટણી પ્રક્રિયા, સરકારી યોજનાઓ, કાયદાકીય અધિકારો વગેરે વિશે જાણકારી આપવી જોઈએ. તેમને જાહેર મંચ પર બોલવા અને પોતાના વિચારો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જ્યારે સ્ત્રીઓ સામાજિક અને રાજકીય રીતે સશક્ત બનશે, ત્યારે તેઓ માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વકર્મા સમાજ અને વ્યાપક અર્થમાં દેશ માટે પણ સકારાત્મક પરિવર્તનની વાહક બનશે. તેમની ભાગીદારીથી સમાજ વધુ સંતુલિત, ન્યાયી અને સમાવેશી બનશે.
પડકારો અને ઉકેલો:
વિશ્વકર્મા સમાજમાં સ્ત્રી સશક્તિકરણની પ્રક્રિયા ના માર્ગમાં અનેક પડકારો આવે છે. મુખ્ય પડકારોમાં રૂઢિચુસ્ત માન્યતાઓ અને સામાજિક દબાણનો સમાવેશ થાય છે. હજુ પણ ઘણા પરિવારોમાં સ્ત્રીઓને ઘરની બહાર જઈને કામ કરવા કે ઉચ્ચ શિક્ષણ મેળવવા દેવામાં આવતી નથી. આર્થિક અવરોધો પણ એક મોટો પડકાર છે, કારણ કે ઘણા પરિવારો માટે કન્યા શિક્ષણ કે સ્ત્રીઓને વ્યવસાય શરૂ કરવા માટે નાણાંનું રોકાણ કરવું મુશ્કેલ હોય છે. જાગૃતિનો અભાવ પણ એક સમસ્યા છે; ઘણી સ્ત્રીઓને પોતાના અધિકારો અને ઉપલબ્ધ તકો વિશે પણ જાણકારી હોતી નથી. આ પડકારોને દૂર કરવા માટે વ્યવસ્થિત સંકલિત અને યોજનબદ્ધ પ્રયાસોની જરૂર છે. સૌપ્રથમ, સમાજમાં વ્યાપક જાગૃતિ અભિયાનો ચલાવવા જોઈએ. આ અભિયાનો દ્વારા સ્ત્રી સશક્તિકરણના મહત્વ અને ફાયદાઓ વિશે લોકોને, ખાસ કરીને પુરુષોને, સમજાવવા જોઈએ. કન્યા શિક્ષણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવું જોઈએ અને દરેક બાળકીને શાળાએ મોકલવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. આર્થિક સશક્તિકરણ માટે સરકારી યોજનાઓ અને લોન વિશે માહિતી આપવી જોઈએ અને તેનો લાભ લેવા માટે સ્ત્રીઓને પ્રેરવા જોઈએ. સ્વ-સહાય જૂથોની રચના અને સંચાલનને પ્રોત્સાહન આપવું જોઈએ. કાનૂની સુરક્ષા પણ પૂરી પાડવી તથા કોઈપણ પ્રકારના ભેદભાવ કે અન્યાય સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે સ્ત્રીઓને મદદ કરવી. સમાજના આગેવાનો અને યુવાનોએ પણ આ દિશામાં સક્રિય ભૂમિકા ભજવી જોઈએ.
નિષ્કર્ષ:
અંતમાં તો એટલું જ કે આપણા સમાજમાં સ્ત્રી સશક્તિકરણ એ માત્ર સમયની જરૂરિયાત નથી; પરંતુ તે સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટેની મહત્વપૂર્ણ ચાવી છે. જ્યારે સમાજની સ્ત્રીઓ શિક્ષિત, આર્થિક રીતે સ્વતંત્ર, સામાજિક રીતે સમાન અને રાજકીય રીતે સક્રિય હશે, ત્યારે સમગ્ર સમાજની પ્રગતિ અને વિકાસને નવી રાહ અને નવી ગતિ અને મળશે.
“સ્ત્રી-સશક્તિકરણ એટલે કુટુંબ સશક્તિકરણ,
અને કુટુંબ સશક્તિકરણ એટલે સમાજનું સશક્તિકરણ”
ભવિષ્યમાં સ્ત્રી સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે શિક્ષણ, આર્થિક સ્વતંત્રતા, સામાજિક સમાનતા અને રાજકીય ભાગીદારી પર સતત ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. સમાજે રૂઢિચુસ્ત માન્યતાઓની જંજીરો ને તોડી પરિવર્તન સ્વીકારવું પડશે. સરકારે સ્ત્રીઓ માટે વધુ અસરકારક યોજનાઓ બનાવવી પડશે અને તેનો યોગ્ય અમલ સુનિશ્ચિત રીતે કરવો પડશે. વ્યક્તિગત સ્તરે, દરેક પરિવારે પોતાની દીકરીઓ તથા વહુઓને પણ સમાન તકો પૂરી પાડવી પડશે અને તેમને પ્રોત્સાહિત કરવા પડશે.
વિશ્વકર્મા વંશજોની તો વાત જ ન્યારી; તેમના પર તો સમગ્ર સૃષ્ટિના નિર્માતા એવા વિશ્વકર્માદાદાના આશીર્વાદ એટલે કળા અને બુદ્ધિમત્તાનો સંગમ; તો એમાં પણ જ્યારે વિશ્વકર્માદાદા ના સ્ત્રી વંશજો ની વાત કરીયે તો તે કળા બુદ્ધિમત્તા અને તેની આગવી જાતિગત સૂજ-સર્જન શક્તિ નો ત્રિવેણી સંગમ છે.
“ નારી તું નારાયણી;
તું જ જગત ની જનની
ને તું જ આ જગત ની તારણહારી ”
વિશ્વકર્મા સમાજના ગૌરવશાળી ઇતિહાસ માં સ્ત્રીઓની યોગ્ય ભૂમિકાને સન્માન આપીને જ આપણે ભવિષ્યને વધુ સમૃદ્ધ અને પ્રગતિશીલ સમાજની ભેટ આપી શકીશું. સમાજના સર્વાંગી વિકાસ માટે સ્ત્રીઓનું સશક્ત હોવું એક પૂર્વશરત છે અને આ દિશામાં દરેક પગલું સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવાની સીડી.
નામ :- ડોડીયા વ્યોમા શાંતિલાલ
સરનામું :- આઈ-૩૦૪, ક્રિશ ગોલ્ડ ,વીઆઇપી સ્કૂલ સામે, ન્યુ ઈન્ડિયા કોલોની,નિકોલ, અમદાવાદ.
નિબંધનું શીર્ષક :- વિશ્વકર્મા સમાજ અને સ્ત્રી સશક્તિકરણ
મોબાઈલ નંબર :- 9978410491
ઉંમર : - 22 yrs
આથી હું ડોડીયા વ્યોમા શાંતિલાલ આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું વ્યોમા પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ
ડોડીયા વ્યોમા શાંતિલાલ.
(19)
સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા
सत्य ज्ञान सुखस्वरूपमलम् पंचानन पावनम्।
वेदांते प्रतिपाद्यमानम् विभम् विश्वेकम् निर्मातरम्।।
सर्व प्राणी मनोतरस्त् प्रसवम सर्वात्मकम् सर्वदा।
वंदे देवमहर्निशम् दादिभुद्रा श्रीविश्वकर्माभीठम्।।
- શ્રીવિશ્વકર્મા દાદાનો ધ્યાન મંત્ર
અર્થાત,
સત ચિત્ આનંદ સ્વરૂપ એવા પ્રભુ જેનુ સ્વરૂપ સત્ય, જ્ઞાન તથા સુખમય છે એવા પવિત્ર પાંચ મુખવાળા જેના વૈભવનું વર્ણન વેદાંતથી સિદ્ધ થયું છે એવા સમસ્ત જગતના એકમાત્ર નિર્માણ કર્તા તથા સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેવાવાળા અને જેમાં એ સઘળું જગત ઉત્પન્ન થયું છે એવા વિશ્વકર્મા નામના દેવને હંમેશા પ્રસન્નચિત થઈ હું પ્રણામ કરું છું.
- શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ (ભુમાપૂરાણ)
વૃદ્ધ દેહધારી વિશ્વકર્માની સમાજ સુધારણામાં ભૂમિકા તો હંમેસા યુવા જ રહી છે, તો પછી વિશ્વકર્મા સમાજની ભૂમિકા કેમ યુવા ન હોય? યુવા જ હોય.
આજના દેશ કાળને ધ્યાને લેતાં આજના વિશ્વકર્મા સમાજનો યુવાન વિશ્વકર્મા દાદાના કાર્યોમાંથી પ્રેરણા લઈ, દાદાના જીવનને આદર્શ માની, સમાજનું ઉત્થાન કરીને વિશ્વકર્મા સમાજમાં ક્રાંતિકારી સુધારા લાવી શકે તેમ છે.
આજના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો કર્મથી જે વિશ્વકર્મા દાદાના કરેલા કાર્યોના આદર્શને અપનાવશે તે જ સાચો યુવા અને તેના દ્વારા રચવામાં આવેલ સમાજ તે જ સાચો વિશ્વકર્મા સમાજ. આવો સમાજ નાત-જાતના વાડામાંથી, જાતિ-વર્ણના ભેદભાવથી, દેશ-પ્રદેશના વાડામાંથી, વર્ગવિગ્રહથી, રૂઢિવાદ તથા સામાજિક અન્યાય દૂર કરી સમાજમાં સંવાદ પ્રસ્થાપિત કરી સહિષ્ણુતા અને પ્રેમ પ્રગટ કરવાની ભૂમિકા ભજવશે.
આ સત્યને આપણે દાદાના કાર્યોથી સમજવાનો પ્રયત્ન કરીશું પરંતુ, એ સમજતા પહેલા વિશ્વકર્મા દાદાના કાર્યોનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ.
વિશ્વકર્મા દાદાના કાર્યોનો પરિચય
વેદોમાં જણાવ્યા મુજબ નિરાકારને આકાર આપવા માટે વિશ્વકર્માનું આ સૃષ્ટિ ઉપર અવતરણ થયું છે.
કોઈ પણ સંકલ્પ કરવામાં આવે છે ત્યારે તે નિરાકાર હોય છે. સંકલ્પને આકાર આપવા માટે અલગ અલગ મટીરીયલસ એટલે કે સામગ્રીઓ વાપરવામાં આવે છે. લાકડું લોઢું, સોનુ, ધાતુ અને પત્થર. તેને અલગ અલગ મેળવવણ કરીને કોઈ પણ રચના તૈયાર કરવામાં આવે છે, જેને આપણે સ્થાપત્ય તરીકે ઓળખીએ છીએ. બુદ્ધિ, કલા અને શક્તિનો ત્રિવેણી સંગમ મળીને કોઈ પણ સ્થાપત્ય આકાર લેતું હોય છે. આ સ્થાપત્યના સર્જનહારને વિશ્વકર્મા તરીકે ઓળખવામાં આવે છે. સુથાર, લુહાર, સોની, કડિયા, શિલ્પી વિગેરે દાદા વિશ્વકર્માના સંતાનોના સંતાનો છે જે વિશ્વકર્મા તરીકે ઓળખાય છે, જે વિશ્વકર્મા ના જ મુખ્ય પાંચ પુત્રો મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞના સંતાનો છે. આ બધા સંતાનો બુદ્ધિશાળી, કલાકાર અને શક્તિશાળી છે.
વિશ્વમાં સૌથી પહેલા સ્તંભની રચના વિશ્વકર્માએ કરી અને માપ લેવાના સાધનો બનાવ્યા. શિવનું ત્રિશુલ ઇન્દ્રનું વજ્ર, બલરામ નું હળ, વિષ્ણુનું સુદર્શન ચક્ર, ગણેશજીનું અંકુશ, સૂર્ય નો રથ, પુષ્પક વિમાન વિગેરેની રચના કરી વિશ્વકર્માએ બધા દેવો તથા માનવ જાતને શક્તિશાળી બનાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
યુગે યુગે અલગ અલગ સ્થાપત્યો જેમકે દરિયામાં રામસેતુ, પાણીમાં મહેલ એટલે કે દ્વારકા, અદભુત ઇન્દ્રપ્રસ્થ, સોનાની લંકા વગેરે સમયની જરૂરિયાત મુજબના સ્થાપત્યો વિશ્વકર્મા દ્વારા જગતને પ્રદાન થયા છે.
વિશ્વકર્મા હંસ જેવો વિવેક અને ગુણ ગ્રાહ્યતા ધરાવતા હોવાથી તેમનું વાહન હંસ છે.
દરેક કર્મશીલ વ્યક્તિમાં એક વિશ્વકર્મા દાદા છુપાયેલા છે કારણ, દરેક વ્યક્તિને કર્મ કરવામાં બુદ્ધિ કલા અને શક્તિ ત્રણેય ની જરૂર પડે છે.
આપણી સનાતન સંસ્કૃતિ મુજબ પંચદેવ એટલે કે વિષ્ણુ, ગણપતિ, શક્તિ, શીવ અને સૂર્યની પૂજા કરવામાં આવે છે પરંતુ આ એક જ વિશ્વકર્મા માં આ પાંચ દેવની શક્તિ સમાયેલી છે એમ કહેવામાં આવે તો કોઈ અતિશયોક્તિ નથી. કારણ આ દરેકના કાર્યો એક જ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ છે. જેમ કે,
વિષ્ણુ :
વિષ્ણુ નું કામ પાલન કરવાનું છે જે વિશ્વકર્મા દ્વારા અનેક પ્રકારના સર્જન અને કૃષિ દ્વારા કરવામાં આવે છે
ગણપતિ :
ગણપતિ બુદ્ધિના દેવતા છે જ્યારે બુદ્ધિ વગર કોઈપણ સર્જન શક્ય નથી. જે શક્ય વિશ્વકર્મા દાદાએએ કરી બતાવ્યું છે. આલોચ વિદ્યા એ વિશ્વકર્મા દાદાની બુદ્ધિની દેન છે,જે એક મંત્ર વિદ્યા છે જેના દ્વારા દાદાએ તમામ સ્થાપત્યોની રચના કરેલ છે. એ વિદ્યાનો દુરુપયોગ ન થાય તે માટે દાદાએ તેમના સંતાનોને હથીયાર આપી ઉત્તમ બુદ્ધિમત્તા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે ્
શક્તિ:
સર્જન કલામાં બધી જ જાતની શક્તિનો સમાવેશ થાય છે. વિશ્વકર્માની પુત્રી માતા રાંદલ પણ શક્તિનો અવતાર છે.આમ દાદા વિશ્વકર્મા એ ભગવતી શક્તિના પિતા પણ કહેવાય છે.
શિવ:
શિવ કલ્યાણકારી અને મોક્ષદાતા છે આમ સર્જનનો માર્ગ કલ્યાણ અને તે દ્વારા મોક્ષ તરફ લઈ જાય છ.
સૂર્ય:
સૂર્ય ઉર્જા અને જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે છે. વિશ્વકર્મા પણ ઉર્જા અને જ્ઞાન દ્વારા સર્જન કરવાનું કામ કરે છે. સૂર્યદેવ માતા રાંદલના પતિ અને વિશ્વકર્માના જમાઈ પણ છે.
આવા પાવન કાર્યો દ્વારા જે સમાજ સુધારણા વિશ્વકર્મા દાદા દ્વારા કરવામાં આવી છે તેને આપણે મુદ્દાસર સમજવાનો પ્રયત્ન કરીએ. આ કાર્યો દ્વારા આજના આપણો વિશ્વકર્મા સમાજના યુવાનો શું પ્રેરણા લઈ શકે તે પણ સમજવાનો પ્રયત્ન કરીએ.
નાત-જાતના ભેદભાવથી મુક્ત સમાજ દ્વારા સમાજ સુધારણા.
વિશ્વકર્મા પુરાણ ના આધારે ચોક્કસ કહી શકાય કે વિશ્વકર્મા દાદા નાત-જાતના ભેદભાવમાં ક્યારે પણ માન્યા નથી. પર્વતોના કુળમાં જન્મેલ અને દાદાના આશીર્વાદથી બનેલો તે હેમકુટ, નાગ કન્યા ઈલાદેવી સાથે સ્નેહના તાતણે બંધાય અને તેની સાથે લગ્ન કરી શકે તે વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી જ શક્ય બની શકે. વિશ્વકર્મા પુરાણમાં આવા તો અનેક ઉદાહરણો મળે છે, જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે.
દેશ-પ્રદેશના ભેદભાવથી મુક્ત સમાજ દ્વારા સમાજ સુધારણા
પોતાની પુત્રી રાંદલના લગ્ન સૂર્યદેવ સાથે કરીને દેશ-પ્રદેશના ભેદભાવ થી મુક્ત સમાજનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઈલા અને હેમકુટ પણ તેવા જ સમાજના બીજું ઉદાહરણ છે જે વિશ્વકર્મા દાદાની દેશ -પ્રદેશથી ભેદભાવ મૂક્ત સમાજ સુધારણાનું ઉત્તમ અને આજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ છે.
વર્ગ-ભેદ થી મુક્ત સમાજ દ્વારા સમાજ સુધારણા.
જ્યારે જ્યારે દેવોને જરૂર પડી ત્યારે તેમના માટે પણ શિલ્પ કાર્ય કર્યું અને દાનવોને જરૂર પડી ત્યારે તેના માટે પણ શિલ્પકાર્ય કરી બે સમાજનો મોટો વર્ગ ભેદ દૂર કર્યો અને આ રીતે સમાજ સુધારણા લાવવાનું મોટું કાર્ય વિશ્વકર્મા દાદાએ કર્યું. જે આજના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે.
રૂઢિવાદ અને સામાજિક અન્યાય દૂર કરી સમાજ સુધારણા નું કાર્ય
જેને કોઈ ન અપનાવે તેવા ભગવાન શંકર અને અંધકના પરસેવામાંથી ઉત્પન્ન થયેલા કાળા પુરુષ ને અપનાવીને તેને વિશ્વકર્મા દાદાએ વાસ્તુનું સ્થાન આપી તેનું મહિમા મંડન કર્યું. આમ, રૂઢિવાદ મુક્ત સમાજની રચના કરવાનો મહત્વનું સમાજ સુધારણા નું કાર્ય વિશ્વકર્મા દાદાએ કરેલ છે જે આજના યુવાનો માટે ઉત્તમ ઉદાહરણ છે.
સંવાદ યુક્ત અને પ્રેમ યુક્ત સમાજ રચના દ્વારા સમાજ સુધારણા.
દેવો, દાનવો, યક્ષો, રાક્ષસો વિગેરેના યુદ્ધમાં મધ્યસ્થી બનીને સંવાદ કરીને, જરૂર પડ્યે યુદ્ધના સાધનો પણ બનાવી આપીને શક્તિ દ્વારા શાંતિનો રસ્તો પ્રસ્થાપિત કરી સમાજમાં પ્રેમ પ્રસ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય વિશ્વકર્મા દાદાએ કરેલ છે અને સમાજ સુધારણામાં મોટું યોગદાન આપેલ છે જે આજના સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે.
આજનો વિશ્વકર્મા સમાજનો યુવાન પણ પણ વિશ્વકર્મા વંશી બનીને સમાજમાં જ્યાં જ્યાં નાત-જાતના ભેદભાવ, જાતિ-વર્ણના ભેદભાવ, દેશ-પ્રદેશના ભેદભાવ, વર્ગવિગ્રહ,રૂઢિવાદ, સામાજિક અન્યાય મિટાવી, સમાજમાં સહિષ્ણુતા પ્રગટાવી, પ્રેમ પ્રગટ કરી, દાદાના ચીંધેલા માર્ગે ચાલી, સમાજનમા સુધારકની ભૂમિકા ભજવી, સમાજનો વિકાસ કરી તેમજ આદર્શ વિશ્વકર્મા સંતાનની વિશ્વને ઓળખ આપી દાદાનું ગૌરવ વધારી શકે છે.
જય વિશ્વકર્મા
જય વિશ્વકર્મા સમાજ
-------------------
નિબંધ લેખન: મહેન્દ્રભાઈ બી. વડગામા (રાજકોટ)
નિબંધ વિષય:
(5) સમાજ સુધારણા અને વિકાસમાં વિશ્વકર્મા સમાજની યુવા પેઢીની ભૂમિકા
સરનામુ:
"ભક્તિ", અમૃત પાર્ક,શેરી નં. ૪, પંચવટી સોસાયટીની બાજુમાં, રાજકોટ. પીન. ૩૬૦૦૦૧
મોબાઈલ: ૯૯૧૩૭૪૪૪૦૩
બાંહેધરી પત્ર:
આપના દ્વારા યોજાયેલા નિબંધ સ્પર્ધા માટે નિબંધ મોકલેલ છે. આ નિબંધ મારી મૌલિક રચના છે,જેની આથી બાંહેધરી આપું છું.
-મહેન્દ્રભાઈ બી. વડઞામા (રાજકોટ )
તા.૧૫/૦૫/૨૦૨૫
(20)
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ
દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા અપાવનારા આદરણીય શ્રી નેલ્સન મન્ડેલાનું પ્રખ્યાત સુવાક્ય યાદ કરીને નિબંધની શરૂઆત કરીએ. તેમણે કહેલુ કે, “ Education is the most powerful weapon which you can use to change the world.” વિશ્વકર્મા સમાજ હોઇ કે દુનિયાનો કોઇ પણ સમાજ શિક્ષણ અને કૌશલ્ય જો સમાજમાં આવે તો વિકાસ ઓટોમેટિક જ આવે. થ્રી ઇડિયટ મુવીનો પ્રખ્યાત ડાયલોગ બધાને યાદ જ હશે કે કામયાબીની પાછળ ના ભાગો , આવડત અને કૌશલ્ય હશે તો કામયાબી તેની પાછળ એની મેળે જ દોડતી ભાગતી આવશે.
વિશ્વકર્મા સમાજ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે, જે પોતાની કારીગરી, શિલ્પકળા અને સર્જનાત્મકતા માટે જાણીતો છે. આ સમાજના લોકો પરંપરાગત રીતે સુથાર, લુહાર, શિલ્પકાર અને સોની જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા છે. વિશ્વકર્મા સમાજના નામનો ઉદ્દભવ ભગવાન વિશ્વકર્મા, જે દૈવી શિલ્પી અને નિર્માણના દેવતા માનવામાં આવે છે, તેની સાથે જોડાયેલો છે. આજના આધુનિક યુગમાં, જ્યાં વૈશ્વિક સ્પર્ધા અને ટેકનોલોજીનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, ત્યાં વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ નિબંધમાં આપણે વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ, તેની સમકાલીન પડકારો અને ભવિષ્યની સંભાવનાઓની ચર્ચા કરીશું.
શિક્ષણનું મહત્વશિક્ષણ એ માનવ જીવનનો પાયો છે, જે વ્યક્તિને જ્ઞાન, આત્મવિશ્વાસ અને સશક્તિકરણ પ્રદાન કરે છે. વિશ્વકર્મા વંશજોને આવડત અને હુન્નરના દાદાના આશિર્વાદ અને વડિલોનો વારસો મળેલો છે. વિશ્વકર્મા સમાજ માટે શિક્ષણનું મહત્વ બેવડું છે, કારણ કે તે ન માત્ર વ્યક્તિગત ઉન્નતિનું માધ્યમ છે, પરંતુ સમગ્ર સમાજના સામાજિક-આર્થિક વિકાસનો પણ આધાર છે.
વ્યક્તિગત સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ :
શિક્ષણ વ્યક્તિને પોતાની ક્ષમતાઓને ઓળખવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. વિશ્વકર્મા સમાજના યુવાનો માટે શિક્ષણ એક એવું સાધન છે, જે તેમને પરંપરાગત વ્યવસાયોની મર્યાદાઓથી આગળ વધીને નવી શક્યતાઓ શોધવાની તક આપે છે. ઉદાહરણ તરીકે, એક શિક્ષિત યુવાન ઇજનેરી, આર્કિટેક્ચર, ડિઝાઇન કે ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં પોતાની કારીગરીનો ઉપયોગ કરી શકે છે. આપણાં ઘણાં લુહાર સુથાર પરિવારોમાં પરંપરાગત વ્યવસાય ને નવી પેઢીએ અભ્યાસ કરીને નવી ઉંચાઇ આપી છે અને ધંધાનો વિકાસ કરી શક્યા છે.
આર્થિક સદ્ધરતા અને ઉન્નતિ:
શિક્ષણ આર્થિક રીતે સ્થિર અને સમૃદ્ધ જીવનની ચાવી છે. આજના યુગમાં, જ્યાં નોકરીઓ અને વ્યવસાયો માટે શૈક્ષણિક લાયકાત અને વ્યાવસાયિક કૌશલ્યની જરૂર છે, શિક્ષણ વિશ્વકર્મા સમાજના લોકોને વધુ સારી રોજગારીની તકો પ્રદાન કરે છે. શિક્ષિત વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, જેમ કે ડિઝાઇન સ્ટુડિયો, ફર્નિચર વર્કશોપ કે ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ. હાલના સમયમાં આપણાં પરંપરાગત વ્યવસાયો ને નવા વિચારો, માર્કેટીંગની આધુનિક પધ્ધતિઓ કે ઉત્પાદનની સ્વયં સંચાલિત તરકીબો થકી જ સ્પર્ધામાં ટકી શકે છે અને આર્થિક ઉન્નતિનું કારણ બની શકે છે.
રીત રીવાજો અને સામાજિક પરિવર્તન:
શિક્ષણ સામાજિક ગતિશીલતાનું માધ્યમ છે. આપણેં જાણીયે છીએ કે આપણાં સમાજના ઘણાં લોકો કુરીવાજો, અંધશ્રદ્ધાઓ અને ભુવાઓ અને ડાકલાઓમાં શ્રધા ધરાવીને પોતાના પ્રશ્નનો વાસ્તવિક હલ કે ઉકેલ શોધવાની જગ્યાએ આ વિષચક્રમાં સતત ભિંસાતો રહે છે. અને આના લીધે તેમને કોઇ પરિણામ મળતુ નથી અને અંતે માત્ર નિરાશા હાથ લાગે છે. આવા સમયે શિક્ષણ તેમાં સાચી સમજનો વિકાસ કરી શકે છે.
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનો પ્રસાર થવાથી સમાજની માનસિકતામાં સકારાત્મક પરિવર્તન આવે છે. શિક્ષિત વ્યક્તિઓ જાતિ, લિંગ અને આર્થિક અસમાનતા જેવા મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવે છે, જે સમાજને વધુ સમાવેશી અને પ્રગતિશીલ બનાવે છે.
કૌશલ્ય વિકાસની આવશ્યકતા
શિક્ષણની સાથે સાથે કૌશલ્ય વિકાસ પણ વિશ્વકર્મા સમાજ માટે એટલું જ મહત્વનું છે. કૌશલ્ય વિકાસ એટલે વ્યક્તિની વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષમતાઓને વધારવી, જે આધુનિક બજારની માંગને પૂરી કરી શકે. વિશ્વકર્મા સમાજની પરંપરાગત કારીગરીને આધુનિક ટેકનોલોજી અને નવીનતા સાથે જોડવા માટે કૌશલ્ય વિકાસ અનિવાર્ય છે.પરંપરાગત કૌશલ્યોનું આધુનિકરણ: વિશ્વકર્મા સમાજની પરંપરાગત કારીગરી, જેમ કે લાકડાનું કામ, ધાતુનું કામ કે શિલ્પકળા, હજુ પણ મૂલ્યવાન છે. જો કે, આજના યુગમાં આ કૌશલ્યોને આધુનિક ટેકનોલોજી, જેમ કે CNC મશીનરી, 3D પ્રિન્ટિંગ અને ડિજિટલ ડિઝાઇન સોફ્ટવેર, સાથે જોડવાની જરૂર છે. આ માટે વ્યાવસાયિક તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો આવશ્યક છે.
નવી ટેકનોલોજીનો પરંપરાગત આવડત સાથે ઉપયોગ :
આજનું વિશ્વ ટેકનોલોજી આધારિત છે. વિશ્વકર્મા સમાજના યુવાનો માટે ડિજિટલ માર્કેટિંગ, ગ્રાફિક ડિઝાઇન, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસ જરૂરી છે. આ કૌશલ્યો તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવશે. આ બધાની સાથે સાથે ઉદ્યમશીલતાને પ્રોત્સાહન મળે તો તેના થકી કૌશલ્ય વિકાસ યુવાનોને ઉદ્યમી બનવાની પ્રેરણા આપે છે. ઉદાહરણ તરીકે, એક શિક્ષિત અને કૌશલ્ય ધરાવતો યુવાન પોતાનો હેન્ડીક્રાફ્ટ બિઝનેસ શરૂ કરી શકે છે અને તેને ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક બજારમાં લઈ જઈ શકે છે. આ માટે બિઝનેસ મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને માર્કેટિંગના કૌશલ્યોની જરૂર છે. શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વના પરિબળ હોવા છતાં, વિશ્વકર્મા સમાજમાં આ દિશામાં અનેક પડકારો છે.
(1) આર્થિક મર્યાદાઓ: વિશ્વકર્મા સમાજના ઘણા પરિવારો આર્થિક રીતે નબળા છે, જેના કારણે બાળકોનું શિક્ષણ અધવચ્ચે છૂટી જાય છે. ઉચ્ચ શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમનો ખર્ચ પણ તેમના માટે અગમ્ય હોય છે.
(2) જાગૃતિનો અભાવ: ઘણા પરિવારોમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ વિશે જાગૃતિનો અભાવ છે. તેઓ પરંપરાગત વ્યવસાયોને જ એકમાત્ર આજીવિકાનું સાધન માને છે. જાગૃતિ અભિયાન દ્વારા સમાજના આગેવાનો અને NGOsએ શિક્ષણ અને કૌશલ્ય વિકાસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. આ માટે વર્કશોપ, સેમિનાર અને કેમ્પનું આયોજન કરી શકાય
(3) ગુણવત્તાયુક્ત શિક્ષણની અછત: ગ્રામીણ વિસ્તારોમાં, જ્યાં વિશ્વકર્મા સમાજના ઘણા લોકો રહે છે, ત્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમની સુવિધાઓનો અભાવ છે.ટેકનોલોજીની પહોંચ: આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સાધનોની પહોંચ ગ્રામીણ વિસ્તારોમાં મર્યાદિત છે, જેના કારણે યુવાનો નવીન કૌશલ્યો શીખવામાં પાછળ રહે છે. ઉકેલો અને ભવિષ્યની સંભાવનાઓઆ પડકારોનો સામનો કરવા માટે સરકાર, સમાજ અને વ્યક્તિઓએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂર છે.
(4) સરકારી યોજનાઓનો લાભ: ભારત સરકારની ‘સ્કિલ ઇન્ડિયા’, ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવી યોજનાઓ વિશ્વકર્મા સમાજ માટે ઉપયોગી છે. આ યોજનાઓ દ્વારા યુવાનોને મફત કે ઓછા ખર્ચે તાલીમ અને શિક્ષણની તકો મળી શકે છે.
(5) શિષ્યવૃત્તિ અને નાણાકીય સહાય: સરકાર અને ખાનગી સંસ્થાઓએ વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ અને લોનની સુવિધાઓ વધારવી જોઈએ, જેથી તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.
(6) ટેકનોલોજીની પહોંચ: ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનોની સુલભતા વધારવી જોઈએ. ઓનલાઇન શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો યુવાનોને આધુનિક કૌશલ્યો શીખવામાં મદદ કરી શકે છે.
(7) સમુદાય આધારિત પહેલ: વિશ્વકર્મા સમાજે પોતાના સ્તરે તાલીમ કેન્દ્રો અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવી જોઈએ, જે ખાસ કરીને તેમની પરંપરાગત કળાઓને આધુનિક બજાર સાથે જોડે.
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ એ એક એવું શક્તિશાળી સાધન છે, જે આ સમાજને આધુનિક યુગના પડકારોનો સામનો કરવા અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે સજ્જ કરી શકે છે. શિક્ષણ વ્યક્તિને જ્ઞાન અને આત્મવિશ્વાસ આપે છે, જ્યારે કૌશલ્ય વિકાસ તેને બજારમાં સ્પર્ધાત્મક બનાવે છે. જો કે, આ લક્ષ્યો હાંસલ કરવા માટે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પડકારોને દૂર કરવાની જરૂર છે. સરકાર, સમાજ અને વ્યક્તિઓના સંયુક્ત પ્રયાસો દ્વારા વિશ્વકર્મા સમાજના યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની તકો પૂરી પાડવામાં આવે, તો આ સમાજ ન માત્ર પોતાની પરંપરાગત કળાઓને જાળવી રાખશે, પરંતુ આધુનિક વિશ્વમાં પણ એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે. આ રીતે, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ વિશ્વકર્મા સમાજના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.
બાહેંધરી પત્ર
નામ :- ડોડીયા શાંતિલાલ અમૃતલાલ
સરનામું :- આઈ-૩૦૪, ક્રિશ ગોલ્ડ ,વીઆઇપી સ્કૂલ સામે, ન્યુ ઈન્ડિયા કોલોની,નિકોલ, અમદાવાદ.
નિબંધનું શીર્ષક :- વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ
મોબાઈલ નંબર :- 9978440491
ઉંમર : - 52 yrs
આથી હું ડોડીયા શાંતિલાલઆપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું ડોડીયા શાંતિલાલ પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
ડોડીયા શાંતિલાલ.
(21)
“ વિશ્વકર્મા ભગવાન અનેટ કારીગરો:એક અતૂટ સંબંધ ’’
સૃષ્ટિના નિમાર્ણ સમયે સૌપ્રથમ
“ નારાયણ ’’ સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીર સાગર જળાશયમાં શૈષશષ્યા પર દેખાયા હતા. તેમના નાભી કમળથી ચતુરર્મુખ બ્રહ્મનાં “ ધર્મ ’’ તથા ધર્મના પુત્ર “ વાસ્તુદેવ ’’ થયા. ધર્મની “ વસુ ’’ નામની સ્ત્રી જે પ્રાચેતસ દક્ષિણ કન્યા માંની એક હતી. તેનાથી જન્મ આઠ વસુઓમાંથી વાસ્તુદેવ સાતમો પુત્ર હતો. જે શિલ્પશાસ્ત્રની સાથે પ્રવર્તક હતો. તેનો જ પુત્ર વિશ્વકર્માજી હતા.
ભગવાન વિશ્વકર્માનાં એક હાથમાં પુસ્તક, બીજા હાથમાં કમંડળ, ત્રીજા હાથમાં સૂત્ર અને ચોથા હાથમાં કાંબી. મસ્તક પર મુગટ, ત્રણ નેત્રો વાળા, જેનું વાહન હંસ છે. એવા હષ્ટપુષ્ટ દેહવાળા , ત્રણે લોકના સર્જક , આખી સૃષ્ટિના નિવાસસ્થાનોના રચયિતા તથા હિતકર્તા ભગવાન વિશ્વકર્માને કોટિ કોટિ વંદન.
ભગવાન વિશ્વકર્માનાં પાંચ મુખ હતા. પહેલું મુખ સધાજાત , બીજું મુખ વામદેવ, ત્રીજું મુખ અહભૂન / અધોર મુખ, ચોથું મુખ તત્પુરુષ અને પાંચમું મુખ ઈશાન હતું. સધાજાત માંથી મનુ , વામદેવ માંથી મય,અહભૂન માંથી ત્વષ્ટા, તત્પુરુષ માંથી શિલ્પીની અને ઈશાન માંથી દેવ જ્ઞાન જેવાં પુત્રો થયા હતા. આ પાંચ પુત્રો થયા હતા. તે “ પંચાલ ’’ તરીકે ઓળખાયા હતા.
ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના આદિ સર્જક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સર્વ દેવોનાં સ્થાન તથા આવાસોનું રાજમહેલ યુકત ત્રિલોકનું સર્જન કરેલું છે. એવા વિશ્વના પાલક, રક્ષક અને હિતેચ્છુ સૂત્રધાર સ્વરૂપ ભગવાન વિશ્વકર્મા રક્ષણ કરે છે.
ભગવાન વિશ્વકર્મા આધારિત ગૃહ નિર્માણ વિધાનું નામ વાસ્તુવિધા પડયું હતું. ત્યારથી જ કાર્યોમાં વાસ્તુપીઠનું પૂજન થયું હતું . પ્રાચીન સમયમાં જેટલી રાજધાની હતી. તેમાંથી મોટા ભાગની રાજધાની વિશ્વકર્માએ નિર્માણ કરી હતી. સતયુગમાં સ્વર્ગલોક, ત્રેતાયુગમાં સોનાની લંકા, દ્વાપરયુગમાં દ્વારિકા અને કલિયુગમાં હસીનાપુર અને ઈન્દ્રપ્રસ્થ જેવા મહતમ નગરો વિશ્વકર્માની રચનાના નમૂના છે.
શાસ્ત્રો અનુસાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પછીના ચોથા મુખ્ય દેવ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા વિજ્ઞાન, શિલ્પકલા અને સ્થાપત્યના દેવતા તરીકે પણ તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને બ્રહ્માંડના પ્રથમ સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન વિશ્વકર્માને કારીગરો તેમના સંરક્ષક અને પ્રેરણા સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. તેમની કલા અને પરિશ્રમને દિવ્ય બળ આપે છે.
ભગવાન વિશ્વકર્માનાં પાંચ પુત્રો જેમાં મનુને લોખંડથી, મયને લાકડાંથી, ત્વષ્ટાને કાંસા અને તાંબાથી, શિલ્પાને ઈંટથી અને દેવજ્ઞને સોના અને ચાંદીથી.
રામાયણ અને મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં ભગવાન વિશ્વકર્માનાં કાર્યો અને દક્ષતા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. રામના યુદ્ધ માટે બનાવેલ લંકા નગરી, કૃષ્ણજીની દ્વારિકા નગરી અને પાંડવોના ઈન્દ્રપ્રસ્થ નગરોમાં પણ શિલ્પકલા જોવા મળે છે.
ભગવાન વિશ્વકર્માનાં ૧૦૮ નામ છે. જેવા કે ૐ વિશ્વકમણે નમ: , ૐ વિષ્વરૂપાય નમ:, ૐ વિશ્વકરાય નમ:, ૐ વૈષ્ણવે નમ:, ૐ વિશ્વેશ્વરાય નમ:, ૐ વિશ્વાત્મને નમ:, ૐ વિશ્વ ધરાય નમ: , ૐ પરમેશ્વરાય નમ:, ૐ પરમાત્મને નમ: વગેરે અનેક નામથી પણ ભગવાન વિશ્વકર્માને ઓળખવામાં આવે છે.
દર વર્ષે મહા સુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે. આ દિવસે અનેક પ્રકારના મશીનો અને સાધનોને સાફ કરી. તેની પૂજા કરવામાં આવે છે.
🙏🏻 જય વિશ્વકર્મા 🙏🏻
બાંહેધરી પત્ર:
નામ :- મકવાણા સપના પિયુષભાઈ
સરનામું :-ગ્રીન ચોક, મેઈન બજાર, વાંકાનેર -363621
નિબંધનું શીર્ષક :-વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સંબંધ
મોબાઈલ નંબર :- 7383020662
ઉંમર : - 22
આથી હું મકવાણા સપના આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું મકવાણા સપના પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ,
મકવાણા સપના
(22)
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ”
વિશ્વકર્મા સમુદાય પાસે કારીગરી અને તકનીકી કુશળતાનો લાંબો અને સમૃદ્ધ વારસો છે જો કે આજના જ્ઞાન સંચાલિત અર્થતંત્રમાં પરંપરાગત જ્ઞાનને આગળ વધારવું અનિવાર્ય છે વિશ્વકર્મા સમાજ એક એવો સમાજ છે જે પરંપરા અને કારીગરીમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે ઐતિહાસિક રીતે આપણા આ સમુદાય સ્થાપત્ય, ધાતુકામ, સુથારી કામ, અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં તેની નોંધપાત્ર કુશળતા માટે જાણીતો રહ્યો છે આપણા ઇષ્ટદેવ શ્રી વિશ્વકર્મા જે અખિલ બ્રહ્માંડના દેવી શિલ્પી છે જે બાંધકામ અને કારીગરી સાથે લાંબા સમયથી ચાલતા જોડાણનું એક પ્રતીક છે જોકે જેમ જેમ આપણી આસપાસની દુનિયા વિકસિત થતી રહે છે તેમ તેમ લોકો અને તેઓ જે પરંપરાનું પાલન કરે છે તે પણ વિકસિત થવું જોઈએ આપણા વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ આધુનિક વિશ્વમાં વધુ સ્પષ્ટ થયું છે કારણ કે આ બે પરિબળો માત્ર વારસાને જાળવવા માટે જ નહીં પરંતુ સમગ્ર સમુદાયના ભાવિ વિકાસ અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.ભૂતકાળમાં આપણા વિશ્વકર્મા સમુદાયમાં મુખ્યત્વે પેઢી દર પેઢી પસાર થતા શિક્ષણના પરંપરાગત સ્વરૂપો પર આધાર રાખતો હતો જે મોટાભાગે કુશળ વડીલો દ્વારા હસ્તકલા અને વ્યવસાય શીખવવામાં આવતા હતા જોકે આધુનિક યુગમાં ઔપચારિક શિક્ષણ અનિવાર્ય બની ગયું છે જે વ્યક્તિઓને ઝડપથી બદલાતી દુનિયાની ધોધખોળ કરવા માટે જરૂરી સાધનો પૂરા પાડે છે.
વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનો એક મુખ્ય ફાયદો વિવિધ તકો ઊભો કરવાનો તથા સ્વરોજગાર ઉભો કરવાનો છે જ્યારે પરંપરાગત કારીગીરી આપણા સમાજ ના ઓળખનું મુખ્ય પાછું છે ત્યારે ઔપચારિક શિક્ષણ કારકિર્દીમાં વૈવિધ્યકરણ કરવા માટે જરૂરી છે જેના દ્વારા આપણા સમાજના સ્નાતક યુવાનો એન્જિનિયરિંગ, માહિતી ટેકનોલોજી, સ્થાપત્ય, વ્યવસાય, મેડિકલ અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કરી શકે છે આ વૈવિધ્યકરણ આવશ્યક છે.શિક્ષણ વિવેચનાત્મક વિચારસરણી, સમસ્યાઓનું નિરાકરણ કરવાની ક્ષમતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમ જેમ વિશ્વ ટેકનોલોજી અને નવીનતા દ્વારા વધુને વધુ આગળ વધી રહ્યું છે તેમ તેમ મજબૂત શૈક્ષણિક પાયો ધરાવતા લોકો નવી પ્રગતિઓને અનુકૂલન કરવા અને તેમાં યોગદાન આપવા માટે વધુ સારી રીતે શિક્ષિત હોવા જરૂરી છે આપણા સમુદાય માટે શિક્ષણની શક્તિનો ઉપયોગ કરવામાં સક્ષમ થવાથી પરંપરાગત રીતે પસાર થતી કુશળતાઓમાં વધારો થાય છે અને તેમના કાર્યો માં નવી તકનીકો સાધનો અને ટેકનોલોજીનું એકીકરણ પણ શક્ય બને છે.બાંધકામ અને એન્જિનિયરિંગ જેવા ઉદ્યોગોમાં ખાસ કરીને તેમાં આધુનિક સાધનો અને જ્ઞાનનો ઉપયોગ કરીને કાર્યક્ષમતા, સલામતી અને સર્જનાત્મકતામાં અસરકારક સુધારો લાવી શકાય છે.
શિક્ષણ વિવિધ તકોના દ્વાર ખુલે છે પરંતુ કૌશલ્ય વિકાસ આપણા વિશ્વકર્મા સમાજના હૃદયમાં રહે છે કૌશલ્ય વિકાસ ઔપચારિક હોય કે અનૌપચારિક હંમેશા આપણા સમુદાયના અસ્તિત્વ અને સફળતાનો એક મહત્વપૂર્ણ પાસુ રહ્યો છે જોકે બદલાતા સમય સાથે સ્પર્ધાત્મક રહેવા માટે કૌશલ્ય વિકાસ પ્રત્યેના અભિગમને અપનાવે તે જરૂરી છે.પરંપરાગત વ્યવસાયોના સંદર્ભમાં કારીગરીના ઉચ્ચ ધોરણો જાળવવા માટે કૌશલ્ય વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આપણો વિશ્વકર્મા સમુદાય વિવિધ ક્ષેત્રોમાં તેની કુશળતા માટે જાણીતો છે જેમાં સાધનો, શિલ્પો, ઇમારતો, એન્જિનિયરિંગ, અને અન્ય જટિલ કાર્યોનો સમાવેશ થાય છે આ કુશળતા ફક્ત વ્યક્તિગત સ્તરે જ નહીં પણ સમગ્ર સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવામાં પણ મદદ કરે છે ઉચ્ચ ગુણવત્તાવાળા પરંપરાગત ઉત્પાદનોનું ઉત્પાદન કરવાની ક્ષમતાની ખાતરી કરે છે કે આપણો વિશ્વકર્મા સમુદાય તેની અસાધારણ કારીગરી માટે ઓળખાતો રહે. એમ છતાં આધુનિક યુગમાં કૌશલ્ય વિકાસ પરંપરાગત કળાઓ અને હસ્તકલાથી આગળ વધવો જોઈએ વૈશ્વિકીકરણની દુનિયા વધુ એક બીજા સાથે જોડાયેલી અર્થવ્યવસ્થા બનાવી રહી છે ત્યારે આપણા સમાજના યુવાનો માટે નવા ઉભરતા ક્ષેત્રોમાં કૌશલ્ય વિકસાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી નવીનીકરણ ઉર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ઉદ્યોગોને અત્યાધુનિક કૌશલ્યો કાર્ય બળ ની જરૂર પડે છે આ કુશળતા ઘણીવાર ટેકનિકલ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ દ્વારા પ્રાપ્ત થાય છે જે આપણા ભાવિ યુવાનોને વૈશ્વિક અર્થતંત્રમાં ભાગ લેવા અને સ્થિર સારા પગારવાળી નોકરી તથા અસરકારક વ્યવસાય કરવા માટે સક્ષમ બનાવે છે. સરકારી યોજનાઓ ખાનગી પહેલો અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ જેમકે પીએમ શ્રી વિશ્વકર્મા યોજના જેવી યોજનાઓમાં વેલ્ડીંગ સુથારી કામ પ્લમ્બિંગ કામ ઇલેક્ટ્રીક કામ વગેરે જેવા ક્ષેત્રોમાં વ્યવસાયિક તાલીમ પૂરી પાડવા વધુને વધુ ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે આવી યોજનાઓ થતી આપણા વિશ્વકર્મા સમાજના યુવાનોને તેમની પરંપરાગત મૂળ વ્યવસાય સાથે જોડાણ જાળવી રાખીને આધુનિક ઉદ્યોગોમાં શ્રેષ્ઠતા મેળવવા માટે સરકાર શ્રી દ્વારા જરૂરી સાધનો પણ આપવામાં આવે છે તથા તેના માટે આર્થિક સહાય પણ કરવામાં આવે છે.સરકારશ્રીના આવા કાર્યક્રમો માં અધ્યતન તાલીમ આપતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમમાં ભાગ લઈને આપણો વિશ્વકર્મા સમાજ ખાતરી કરી શકે કે તેના યુવાનો વૈશ્વિક દુનિયાની સ્પર્ધા કરી શકે અને તેની સાથે સાથે સદીઓ સુધી આપણા સમાજને વ્યાખ્યાયિત કરતી કારીગીરીની સમૃદ્ધ પરંપરાઓને પણ જાળવી રાખે.
આપણા વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ આર્થિક સશક્તિકરણ પણ છે એવી જગ્યાએ કે જ્યાં આર્થિક સ્થિરતા ઘણીવાર જ્ઞાન અને કૌશલ્યના સંપાદન સાથે જોડાયેલી હોય છે ત્યાં આપણા સમાજના વ્યક્તિઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અસરકારક તાલીમ મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ જે વ્યક્તિગત અને સામૂહિક સમૃદ્ધિ બંને માટે મહત્વપૂર્ણ છે.જેમ જેમ આપણા સમાજના વ્યક્તિઓ શિક્ષણ અને ટેકનિકલ કૌશલ્ય પ્રાપ્ત કરે છે તેમ તેમ તેઓ ઉદ્યોગસાહસિક સાહસોમાં ભાગ લેવા માટે વધુ સારી સ્થિતિમાં આવે છે નાના વ્યવસાયો ખાસ કરીને બાંધકામ, ગૃહ ઉદ્યોગો અને સમારકામ પર ધ્યાન કેન્દ્રિત કરતા વ્યવસાયો કરતા વ્યક્તિઓ પાસે વ્યવહારિક જ્ઞાન અને ઔપચારિક વ્યવસાયિક શિક્ષણ આ બંને હશે તો તે તેમનો વ્યવસાય અસરકારક રીતે ચલાવી શકશે આ બેવડી કુશળતા અને મજબૂત સ્થાનિક અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે જે વ્યક્તિ અને વ્યાપક સમાજ બંનેને લાભ આપે છે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સામાજિક ગતિશીલતાને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે ખાસ કરીને ઐતિહાસિક રીતે હાસ્યામાં ધકેલી ગયેલા સમુદાયો માટે મહત્વપૂર્ણ છે આપણો વિશ્વકર્મા સમુદાય તેની કારીગીરી માટે જાણીતો છે પરંતુ તેણે જાતિ આધારિત ભેદભાવ સંબંધિત સામાજિક પડકારોનો પણ સામનો કર્યો છે આપણા વિશ્વકર્મા સમાજના વ્યક્તિઓને ગુણવત્તા યુક્ત શિક્ષણની સુવિધા પૂરી પાડીને સમાજ ગરીબી અને ભેદભાવના ચક્રને તોડી શકે છે જેણે સમાજના ઘણા લોકોને અસર કરી છે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવાથી ઉપરની ગતિશીલતા પ્રાપ્ત કરવા માટે સાધનો પૂરા પડે છે જેનાથી વ્યક્તિઓ ઉચ્ચ કક્ષાની સારી જીવનશૈલી મેળવી શકે છે આપણા સમુદાયના વધુને વધુ સભ્યો વિવિધ ક્ષેત્રોમાં સફળ થાય છે તેમ તેમ તેઓ ભવિષ્યની પેઢીઓ માટે રોલ મોડલ બને છે આ રોલ મોડલ અન્ય લોકોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસને આગળ પધારવા સામાજિક અવરોધોને તોડવા અને આત્મનિર્ભરતા અને મહત્વકાંક્ષાને પ્રોત્સાહન આપવા પ્રેરણા આપે છે.આપણા વિશ્વકર્મા સમાજ કારીગીરી અને સ્થાપત્ય કૌશલ્યમાં તેના મૂળ સાથે મજબૂત જોડાણ તેની આગવી ઓળખ ધરાવે છે આપણા સમાજના વ્યક્તિઓને પોતાનો સાંસ્કૃતિક વારસો ગુમાવવાને બદલે, આધુનિક ટેકનોલોજી અને સંસાધનોનું પરંપરાગત વ્યવસાય સાથે જોડી શકે છે તેમની કુશળતાને જાળવી રાખીને નવીનતા પણ લાવી શકે છે પરંપરા અને આધુનિકતાનું આ મિશ્રણ ખાતરી કરે છે કે આપણા સમાજનો વારસો જીવંત અને જીવંત રહે.
આપણા વિશ્વકર્મા સમાજના યુવાનોમાં આપણા સમાજમાં સુધારો અને વિકાસને આગળ ધપાવવાની અને ભારતના વ્યાપક સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા છે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ઉદ્યોગસાહસિકતા, સામાજિક સુધારણા અને સાંસ્કૃતિક ઓળખના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેઓ એક જીવંત પ્રગતિશીલ અને સમાવિષ્ટ સમાજને પ્રોત્સાહન આપી શકે છે આપણા વિશ્વકર્મા સમાજ સામે પડકારો અસંખ્ય છે પરંતુ પ્રગતિની તકો પણ એટલી જ વિશાળ છે ભવિષ્યના નેતાઓ અને પરિવર્તનકરતા તરીકે આપણા વિશ્વકર્મા સમાજના યુવાનો નિસંકોચ તેમના સમાજના વારસાના આગામી પ્રકરણને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. *બાંહેધરી પત્રનો નમુનો*
નામ :- સુરેશકુમાર પરમાર
સરનામું :- દવેશેરી, અંબિકા ચોક, દુધરેજ - 363040, સુરેન્દ્રનગર
નિબંધનું શીર્ષક :- વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ.
મોબાઈલ નંબર :- 8154951398
ઉંમર : - 28
આથી હું સુરેશકુમાર પરમાર આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું સુરેશકુમાર પરમાર પોતે આપને બાંહેધરી આપું છં.
આપનો વિશ્વાસુ
સુરેશકુમાર પરમાર
(23)
*વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ નું મહત્વ*
પ્રવર્તમાન સમયમાં શિક્ષણ માં નવી નવી ટેકનોલોજી આવી રહી છે અને અલગ - અલગ પ્રોયોગો કરવામાં આવી રહ્યા છે. આજે સાચા અર્થ માં માનવીય શિક્ષણ ની ખુબજ આવશ્યકતા છે.
આજના યુગમાં દરેક પ્રશ્ન નો એક જ ઉપાય છે શિક્ષણ કારણકે શિક્ષણ મેળવેલ વ્યક્તિ અને શિક્ષણ થી વંચિત રહી ગયેલ વ્યક્તિ જેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે.
વર્તમાન સમય માં આપણા વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ ને લયને જાગૃતતા જોવા મળે છે જે શુભ સંકેત છે કે વિશ્વકર્મા સમાજ નું ભવિષ્ય શિક્ષણ ના માર્ગે પ્રગતિ તરફ આગળ વધશે.
શિક્ષણ માનવીને આત્મવિશ્વાસુ બનાવે છે અને સપનાઓ સાકાર કરવાની મજબૂત પ્રેરણા આપે છે. શિક્ષણ થી માનવીએ પોતાના પગભર થવાની શક્તિ મળી રહે છે અને તેના આધારે શિક્ષણને સવોચ્ચ માનવામાં આવે છે.
શિક્ષણ જ્યાં હોય ત્યાં આત્મવિશ્વાસ ની પ્રતિમા ઊભી થાય છે, જેના દ્વારા આવડત ની નવી ઊર્જા ઉત્પન્ન થાય છે. શિક્ષણ હોય ત્યાં પ્રબળ આત્મવિશ્વાસ હોય, મજબૂત મનોબળ હોય,ખૂબ મોટા સપનાઓ હોય છે.
શિક્ષણ એ આવનારા સમય ની જરૂરિયાત છે જેથી શિક્ષણ દ્વારા વિકાસ ની ગતિ માં પ્રગતિ લાવી શકાય છે.
આજના આં ટેકનોલજીના સમયમાં દરેક વિધાર્થી ના મન માં શિક્ષણ પ્રત્યેની ઊર્જા ભિન્ન -ભિન્ન જોવા મળે છે,જેમકે શિક્ષણ ને રોજિંદા જીવનમાં ઉપયોગ માં આવી શકે તે માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.
શિક્ષણ ને ખરા અર્થે વિદ્યાર્થી માં ત્યારે જ દેખાય આવે જ્યારે વિધાર્થી માં શિક્ષણ ની સાથે - સાથે જ્ઞાન,આવડત અને કૌશલ્ય નો શ્રેષ્ઠત્તમ ઉપયોગ થાય છે.
વર્તમાન સમય માં સ્ત્રીઓ ને નારીશકિત ને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને શિક્ષણ ના માધ્યમ થી સ્ત્રીઓમાં જાગૃતતા આવી છે અને પોતાના પગભર થવાની શક્તિ, પ્રેરણા મળી છે.
શિક્ષણ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, પરંતુ શિક્ષણ ને સમાજમાં પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે,આજના સમય માં શિક્ષણ એ સમાજ મા પરિવર્તન લાવી શકે છે.
વર્તમાન સમય માં શિક્ષણ મેળવેલ વ્યક્તિ તેના કાર્ય પ્રત્યે જાગૃત અને જવાબદારી ધરાવતા હોય છે,શિક્ષિત લોકો દરેક સમસ્યાને સમજી અને દરેક વ્યક્તિ ને સમાન તક આપે છે.
શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ સમાજ ના અને રાષ્ટ્ર ના વિકાસ માં મહત્વ નું યોગદાન આપે છે.શિક્ષણ એ રોજિંદા જીવનમાં અને વ્યવહારુ ઉપયોગ માં લેવું જોઈએ.
શિક્ષણ સમાજ માં સામજિક રીતે, આર્થિક રીતે, ધાર્મિક રીતે અને રાજકીય બાબત માં પરિવર્તન લાવવાનું શક્તિશાળી સાધન છે.શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ દ્વારા સમાજ ને સારા એવા શિક્ષિત નાગરિક મળે છે.
શિક્ષણ દ્વારા માનવીનો વિકાસ થાય છે અને માનવીને આત્મવિશ્વાસુ અને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થાય છે.શિક્ષણ એ આજ ના યુગ નો આધારસ્તંભ છે.
*આજના આ યુગ માં શિક્ષણ એ માનવીની ત્રીજી આંખ છે* .શિક્ષણ ને મેળવવાની સાથે સાથે શિક્ષણ દ્વારા વ્યક્તિ નો સર્વાંગી વિકાસ પણ ખૂબ જરૂરી બન્યો છે.માનવીએ શિક્ષણ ને સર્વાંગી વિકાસ માં ફેરવવા માટે ગીત, સંગીત,ચિત્ર, નૃત્ય, રમતગમત, આ બધી બાબતો માં પણ શિક્ષણ ને સમર્પિત થવું જોઈએ.
શિક્ષણ ના માધ્યમ થી એક જ્ઞાન ની કડી જોડાય છે. જેમાં એવું કહેવાય છે કે શિક્ષણ આપવાથી વધે છે,નહિ કે ઓછું થાય છે.માનવીએ શિક્ષણ ને બીજાના વિકાસ માટે આદાન- પ્રદાન કરવું જોઈએ,જેથી તેનામાં રહેલા શિક્ષણ માં પણ વધારો થાય છે.
જીવનમાં શિક્ષણ નું ખૂબ મહત્વ છે જેમાં એવું કહેવાય છે કે જે શિક્ષણ ને પામી ગયા, એ જીવન જીવી ગયા.શિક્ષણ ના કારણે માનવીના જીવન માં આવેલી ઘણી બધી મુશ્કેલી ને નિવારવા ની શક્તિ મળે છે.
આપણો વિશ્વકર્મા સમાજ શિક્ષણ ના માર્ગે ખૂબ આગળ વધી રહ્યો છે, આપણાં જ સાથી મિત્રો દેશ વિદેશ માં વિકાસ ની નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે.
જેવી રીતે એક બીજ છોડ નું નિર્માણ કરે છે, તેવી જ રીતે એક શિક્ષિત વર્ગ કે શિક્ષિત પરિવાર પૂરા સમાજ ને શિક્ષિત કરશે, અને વિકાસ ના પંથે આગળ વધવામાં મદદરૂપ બનશે.
સમસ્ત વિશ્વકર્મા સમાજ એ એક મજબૂત સાંકળ માં બંધાયેલ છે , જેમાં વિશ્વકર્મા વંશજો નો સમાવેશ થાય છે,એટલેકે આ મજબૂત સાંકળ માં બંધાયેલ આપણો સમાજ શિક્ષણ ના માર્ગે આગળ વધે અને વિકાસ માં અન્ય ને મદદરૂપ થય શકે છે.
માનવીય જીવનમાં સફળતાનું શ્રેષ્ઠ પગથિયું એટલે સંઘર્ષ. જેમાં માનવી પોતે પોતાના જીવનમાં અનેક સમસ્યાને ઉકેલે અને તેનું નિવારણ લાવે એજ તેનું શિક્ષીત હોવું સાબિત થાય છે.
આજના આ કપરા સમય માં વિકટ પરિસ્થિતિ આવે ત્યારે હતાશ થયાં વિના પોતાના શિક્ષણ ના માધ્યમ થી નિર્ણય લય અને જાગૃત બનવું પડશે. પરિશ્રમ મહેનત થી આગલ વધવું પડશે.
શિક્ષિત સમાજ એક નવસર્જન કરી શકે છે. શિક્ષિત વર્ગ એકઠો થય અને અન્ય ને જરૂરી જોયતી માહિતી આપે અને તેઓને મદદ કરે છે.
શિક્ષણ દ્વારા માનવી બીજા અન્ય લોકો ને આર્થિક રીતે અને સામાજિક રીતે સહાય કરી શકે છે.જેથી *જ્ઞાન ની ગંગા નો પ્રવાહ સદાય વહેતો રહે છે.*
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માં વિશ્વકર્મા સમાજ માં વિશ્વકર્મા દાદા ની કૃપાથી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ નો પ્રવાહ સતત વધતો રહે અને સમાજ માં અન્ય ને ખૂબ મદદ કરવાની, સેવા કરવાની શક્તિ આપે.
આજે આ સમય માં શિક્ષણ ના માધ્યમ થી વિશ્વકર્મા દાદા ના આશીર્વાદ થી સમાજ ને એક સાચી રાહ ,સાચી દિશા માં લય જવામાં સફળ બન્યું છે.
આપણાં જીવનમાં અને અન્યના જીવનમાં પ્રકાશ પથરાય એ જ ખરા અર્થમાં શિક્ષણ, અને કૌશલ્ય વિકાસ સાર્થક થાય છે.
*એટલેજ તો કહેવાયું છે કે શિક્ષણ એ સિંહણ નું દૂધ છે, જે પિશે તે ગર્જના તો કરશે જ.*
વિશ્વકર્મા સમાજ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ ના પંથ ઉપર ખૂબ પ્રગતિ કરે એવી વિશ્વકર્મા દાદા ને પ્રાર્થના.
*🙏જય વિશ્વકર્મા દાદા🙏*
- સોનલ વાઘેલા
*બાહેંધરી પત્રક*
*નામ* : વાધેલા સોનલ નીતિનભાઇ
*સરનામું* : ગામ - ખાંભા ,તાલુકો - ખાંભા,જીલ્લો- અમરેલી જુનુગામ અંબાજી મંદિર સામે
*નિબંધ નું શિર્ષક નું નામ :* વિશ્વકર્મા સમાજ મા શિક્ષણ અને કૌશલ્ય વિકાસ નું મહત્વ
*મોબાઈલ નંબર :* 9586772129
*ઉંમર* : 22
આથી હું વાઘેલા સોનલ આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધા ના તમામ નિયમોને મે જાણી પ્રમાણી ને નિબંધ સ્પર્ધા માં ભાગ લીધો છે નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે અન્ય કોઈ માધ્યમ દ્વારા પ્રકાશિત થયેલ નથી તેમ છતાં પણ જો કોઈ માધ્યમ માં તે ઉપલબ્ધ હશે તો તેના જવાબદાર હું પોતે ગણાઈશ તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં આયોજક શ્રી અને નિર્ણાયક દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈ પ્રકારનો વિવાદ કરશું નહીં. તેની હું વાધેલા સોનલ પોતે બાહેંધરી આપુ છું.
આપનો વિશ્વાસુ
સોનલ વાઘેલા
(24)
વિષય: વર્તમાન સમયમાં ભગવાન વિશ્વકર્મા ની ઉપાસનાનું મહત્વ.
વર્તમાન સમયમાં ભગવાન વિશ્વકર્મા દાદા ની ઉપાસના એટલે કે પૂજા નું ખૂબ જ મહત્વ છે. કેમકે વિશ્વકર્મા પૂજાનો હેતુ ધાર્મિકતા તો છે જ સાથે સાથે વ્યવહારિકતામાં પણ છે. તે વ્યક્તિને અને એના કાર્યક્ષેત્રને સકારાત્મકતાથી ભરી દે છે. માન્યતા છે કે વિશ્વકર્મા ભગવાનની ઉપાસના થી સુખ સમૃદ્ધિ ઉન્નતી અને સફળતા મળે છે. અધિકારમાં અને વર્તમાનકાળમાં પણ ભગવાન વિશ્વકર્માને ઉપાસનામાં કોઈ કમી નથી આવી. સમયની સાથે સાથે વિશ્વકર્મા વંશજો ને ભગવાન વિશ્વકર્મા ના વિષયમાં વધારેમાં વધારે જાણવાની ઉત્સુકતા જાગી છે. પૌરાણિક કથાઓના અનુસાર જ્યારે સૃષ્ટિ તેના પ્રારંભમાં હતી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા તે શિરસાગરમાં શેષનાગ ની શૈયા માં વિરાજમાન હતા ત્યારે વિષ્ણુજીની નાભી માંથી કમળ નીકળ્યું આજ કમળ માંથી બ્રહ્માજી પાંચ મુખો સાથે પ્રગટ થયા બ્રહ્માજીના પુત્ર નું નામ વાસ્તુ દેવ હતું. વાસ્તુ દેવ ધર્મની વસ્તુ નામક ઇસ્ત્રીથી જન્મેલા સાતવા પુત્ર હતા. એની પત્નીનું નામ અંગીરસી હતુ. એનાથી જ વાસ્તુ દેવના પુત્રનો જન્મ થયો જેનું નામ ઋષિ વિશ્વકર્મા હતું. માન્યતા છે કે પોતાના પિતા વાસ્તુ દેવની જેમજ વિશ્વકર્મા ભગવાન પણ વાસ્તુ કલાના મહાન વિદ્વાન અને જ્ઞાતા બન્યા. વિશ્વકર્મા ભગવાનની પત્ની નું નામ ધૃતાચિ હતુ. વિશ્વકર્મા ભગવાનના પાંચ પુત્રો હતા. પહેલા પુત્ર નું નામ મનુ બીજા બીજા પુત્ર નું નામ મય ત્રીજા પુત્ર નું નામ ત્વષટા ચોથા પત્ર નું નામ શિલ્પી અને પાંચમા પુત્ર નું નામ દેવગ્ય હતું. અને તેમને ત્રણ પુત્રીઓ હતી જેમના નામ આ પ્રમાણે છે બહિષ્મતી દેવી. સંધ્યા દેવી. અને ત્રીજી પુત્રી ચિત્રંગદા દેવી હતુ. સંપૂર્ણ સૃષ્ટિમાં જીવન સંચાલન માટે જે કોઈપણ વસ્તુ સર્જાત્મક છે તે બધી જ ભગવાન વિશ્વકર્મા દાદા ની જ દેન છે. એટલા માટે જ એને દુનિયાના પહેલા શિલ્પકાર વાસ્તુકાર અને એન્જિનિયર કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે આપણા વિશ્વકર્મા ભગવાને જ શ્રીકૃષ્ણની દ્વારિકા નગરી. દેવોની નગરી ઇન્દ્રપુરી. જગન્નાથપુરી યંત્ર નું નિર્માણ. પુષ્પક વિમાન. સુદર્શન ચક્ર. ભવ્ય મહેલ સિંહાસન અને હથિયારનું નિર્માણ કર્યું હતું. ભારતીય માન્યતા અનુસાર વાસ્તુશાસ્ત્ર એક નિર્માણ કલા છે જેના જનક આપણા વિશ્વકર્મા ભગવાન છે. આમાં વાસ્તુકળા અર્થાત નિર્માણના વિભિન્ન સિદ્ધાંત અને દર્શન છે . વાસ્તુશાસ્ત્ર નો સીધે સીધો સંબંધ ભારતીય જ્યોતિષ વિજ્ઞાનથી છે. કોઈપણ બાંધકામ જેમ કે નિવાસસ્થાન કારખાના ઈત્યાદિ બનાવવાનું હોય. ત્યારે જો વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને બનાવીએ તો તેમાં નિવાસ કરતા લોકોને ક્યારેય વાસ્તુ સંબંધી સમસ્યા નથી આવતી. વાસ્તુશાસ્ત્રમાં કઈ દિશામાં કયા કામ માટે ઉપયોગી કક્ષ હોવો જોઈએ અને શું કામ હોવો જોઈએ તેનો ખૂબ જ ઝીણવત સાથે ઉલ્લેખ કર્યો છે. નિવાસ્થાનમાં કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવી અને કઈ વસ્તુ ઘરમાં રાખવી ને કઈ વસ્તુ બહાર રાખવી આ બધી જ માહિતી નો ઉલ્લેખ તેમાં જોવા મળે છે. ત્યાં સુધી કે કોઈ કારણસર સાચી દિશામાં બાંધકામ ના કરી શકીએ તો એવા ક્યાં ઉપાય કરીએ કે ઘરમાં સુખ અને શાંતિ કાયમ રહે અને કોઈ સમસ્યા ના આવે. વાસ્તુશાસ્ત્ર આજે માત્ર લોકમાન્યતા જ નથી રહી તેની ઉપયોગીતા પણ બધાને સમજાઈ ગઈ છે આજે લોકો મોટાભાઈ વાસ્તુશાસ્ત્રનો અનુકરણ કરે છે. અધિકારથી લઈને અને વર્તમાન સુધી ભગવાન વિશ્વ કરવાના પુસ્તકોનું પ્રકાશન થયું છે જેમાં વાસ્તુ પુરુષની કથા સમુદ્રમંથનની કથા અને પંચમુખી કથા નો પણ ઉલ્લેખ છે. વિશ્વકર્મા ભગવાનના એવા કેટલાક પુસ્તકો છે જેને વાંચવાનું આપણે સૌભાગ્ય પ્રાપ્ત નથી થયું જેમાં વિશ્વકર્મા પુરાણ અને સ્કંદન પુરાણ ખૂબ જ પ્રચલિત પુસ્તક છે. સ્કંદન પુરાણમાં તો આ પણ ઉલ્લેખ છે કે જેનો જન્મ વિશ્વકર્મા કુળમાં થયો હોય તે ગર્ભથી બ્રાહ્મણ છે. વિશ્વકર્મા ભગવાનના પાંચ અવતાર છે. તેમાં પહેલો અવતાર વિરાટ વિશ્વકર્મા ભગવાન છે જે સૃષ્ટિના રચયિતા છે. બીજો અવતાર ધર્મવંશી વિશ્વકર્મા છે જે મહાન શિલ્પ વિજ્ઞાનના વિધાતા હતા અને એ પ્રભાતના પુત્ર હતા. ત્રીજો અવતાર અંગેરા વંશી વિશ્વકર્મા છે જે આદિ વિજ્ઞાનના વિધાતા હતા અને એ વસુના પુત્ર હતા. ચોથો અવતાર શુ ધનવા વિશ્વકર્મા છે જે મહાન શિલ્પકાર અને વિજ્ઞાનના જન્મદાતા છે એ રિશી અથવીના પુત્ર હતા. પાંચમાં અવતારને રઘવંશી વિશ્વકર્મા કહે છે એ ઉત્કર્ષ શિલ્પ વિજ્ઞાનના આચાર્ય હતા અને એ શુક્રાચાર્યના પુત્ર હતા. તો વર્તમાન સમયમાં આવા મહાન દેવતા ની ઉપાસના નો મહત્વ કેમ ના હોય. વિશ્વકર્મા દાદા ની પૂજા અને વિશ્વકર્મા જયંતી ભારતમાં અને વિદેશમાં વસતા આપણા વંશજો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. અશ્વિન માસની કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન વિશ્વકર્મા નો જન્મ થયો હતો. જન્મ તિથિથી અલગ એક એવી માન્યતા પણ છે જેમાં વિશ્વકર્મા પૂજાને સૂર્યદેવતાના પરાગમન ના આધારે નક્કી કરવામાં આવ્યું પછીથી આ દિવસને સૂર્ય સંક્રાંતિના રૂપમાં ઉજવવામાં આવે છે આ લગભગ દર વર્ષે 17 સિતમ્બરના દિવસે આવે છે. એટલે આ દિવસને વિશ્વકર્મા પૂજા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે . કોઈપણ કાર્યના નિર્માણ અને સૃજન થી જોડાયેલા લોકો વિશ્વકર્મા જયંતીની ઉજવણી અને વિશ્વકર્મા ભગવાનની પૂજા કરતા હોય છે. વિશ્વકર્મા ભગવાનની પૂજા ની રીત ખૂબ જ સરળ હોય છે લોકો એની અનુકૂળતાએ ભગવાન વિશ્વકર્મા દાદા ની પૂજા કરતા હોય છે. વિશ્વકર્મા પૂજાના દિવસે સવારમાં સ્વચ્છ થઈને આપણા કામમાં લેવાતા ઓજારો મશીનરી અને વાહનોની સાફ-સફાઈ કરીને ઓજારો અને મશીનરી સાથે ભગવાન વિશ્વક ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની મૂર્તિ અને ઓજારોને તિલક કરવું અને જનેઉ ની સાથે ફૂલ માળા અને પાંચ પ્રકારના ફળ અને મીઠાઈ ભગવાન વિશ્વકર્મા દાદા ને ધરવાની હોય છે. ત્યારબાદ કથા વાંચવી અને હવન કરવો હવનપૂર્ણ થયા બાદ વિશ્વકર્મા ભગવાનની આરતી કરવી અને ભોગમાં વિશેષ રૂપથી ગુંદી અથવા બુંદીના લાડવા ધરવા ખૂબ જ જરૂરી છે . વિશ્વકર્મા ભગવાનના કેટલાક પ્રભાવશાળી મંત્રો છે તેમાંથી એક આ મંત્ર જે બોલવામાં ખૂબ જ સરળ છે ઓમ વિશ્વકર્માએ નમઃ અર્થાત હે વિશ્વકર્મા હું તમને નમન કરું છું. આ મંત્ર બાળકો ખૂબ જલ્દી શીખી જાય છે આ સમયમાં જો જાતક વિશ્વકર્મા ભગવાનની સાચા મનથી ઉપાસના કરે તો તેના કાર્યક્ષેત્રમાં રહેલ બધી જ બાધાઓથી મુક્તિ મળે છે. અને તેના વ્યવસાયમાં નિશંદેહ અપાર સફળતા મળે છે. જેમકે મેં પહેલા કહ્યું ભગવાન વિશ્વકર્મા મહાન શિલ્પજ્ઞાની છે અને શિલ્પજ્ઞાન વિના નિર્માણ સંભવ નથી અને નિર્માણ વિના વિકાસ પણ કેમ થઈ શકે શિલ્પ જ્ઞાન વિના દુનિયા આગળના આવી શકે. અને માનવ સભ્યતાનો પણ વિકાસ સ્થિર થઈ જાય. શિલ્પ જ્ઞાન મનુષ્યના સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે ખૂબ જ જરૂરી છે. એટલે જ વર્તમાનકાળમાં મહાન શિલ્પ જ્ઞાની ભગવાન વિશ્વકર્માની ઉપાસના નો ખૂબ જ મહત્વ છે. જેની કૃપાથી જેના આશીર્વાદથી માનવી પોતાના જીવનને ખૂબ જ સારી રીતે નિખારી શકે એટલે જ પોતાના જીવનને વધુમાં વધુ ઉન્નત બનાવવા માટે દરેક વિશ્વકર્મા વંશજોએ વિશ્વકર્મા દાદા ની સાચા મનથી પૂજા અર્ચના કરવી જોઈએ. હવે તો ભારત સરકાર પણ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના માધ્યમથી નાના કારોબારથી જોડાયેલા લોકોને લાભાન્વિત કરે છે. આ યોજનામાં જોડાયેલ લોકોને સરકાર તરફથી થોડા દિવસો માટે તાલીમ આપવામાં આવે છે જ્યાં સુધી તાલીમ ચાલુ હોય ત્યાં સુધી તેઓને અમુક નક્કી કરેલ ધન રાશી આપવામાં આવે છે. અને તેના જીવન સ્તર ઊંચું લાવવામાં આવે છે એ રીતે આપણા સમાજને હવે ધીરે ધીરે આગળ લાવવા માટે સરકાર પણ પ્રોત્સાહિત કરે છે એમાં કોઈ સંદેહ નથી. વિશ્વકર્મા ભગવાનની ઉપાસના કેટલાક સમુદાયના લોકો કરે છે જેમાંથી ખાસ કરીને પાંચાલ . મિસ્ત્રી. શિલ્પકાર અને કર્મકાર છે. એ બધાના ઇષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા છે. આપણને જે કોઈ વસ્તુ કે વિષયમાં રસ હોય તો સ્વાભાવિક છે કે આપણે એ બાબતે વધારેમાં વધારે માહિતી મળે તેવું કરીએ આપણા મનને એમ જ થાય કે કાશ મને આની સાચી માહિતી મળી જાય. તેના માટે આપણે સમય કાઢવો પડશે. આજના ડિજિટલ યુગમાં આપણે ફોનમાંથી પણ માહિતી મેળવી શકીએ પણ એ સાથે સાથે એ જાણવું પણ જરૂરી છે કે આ માહિતી સાચી છે કે ખોટી . એટલે આપણે અને આપણા બાળકો માટે પુસ્તકોનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. કેમકે આવનારી પેઢીને આપણા ઇષ્ટદેવ વિશ્વકર્મા ભગવાન પ્રત્યે આસ્થા જગાડવી ખૂબ જ જરૂરી છે આ એક સમજવા જેવી વાત છે કે જો તમને આસ્થા હશે તો જ તમે ભગવાનની ઉપાસના કરશો અને તેના વિષયમાં વધારે માહિતી મેળવવાની ઈચ્છા રાખશો. એટલે હવે આપણા ઉપર નિર્ભર છે કે આપણે આપણા બાળકોને ભગવાન વિશ્વકર્મા માટે આસ્થા અને તેના દ્વારા કરેલા કાર્યને જાણવાની ઉત્સુકતા જગાવીએ. તેના માટે આપણે આપણી વ્યસ્ત જીવનશૈલી માંથી થોડો સમય તો આપવો જ પડશે. જે આ આયોજકોએ આપ્યો છે. છેલ્લે હું શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિનો અને આયોજકોનો હૃદય પૂર્વક આભાર માનું છું કે તે લોકોએ તેનો બહુમૂલ્ય સમય ફાળવીને આપણા ધર્મ પ્રચાર માટે નિબંધ સ્પર્ધા નું આયોજન કર્યું. કેમકે ધર્મની રક્ષા માટે આપણા દેશના લાખો પૂર્વજો એ બલિદાન આપ્યુંછે. કેમકે તેમને ખબર હતી કે ધર્મ છે તો દેશ છે અને દેશ છે તો આપણે સુરક્ષિત છીએ. ... જય હિન્દ . જય ભારત જય વિશ્વકર્મા દાદા.
*બાંહેધરી પત્ર*
નામ :- પ્રિયા બહેન જીતુભાઈ પંચાસરા
સરનામું :- ઝાંઝરડા રોડ, બાબા કોમ્પ્લેક્સ ની સામે, રિજન્સી ટાવર, બ્લોક નંબર 704, જુનાગઢ
નિબંધનું શીર્ષક :- વર્તમાન સમયમાં ભગવાન વિશ્વકર્માની ઉપાસનાનું મહત્વ
મોબાઈલ નંબર :- 8980110653
ઉંમર : - 46
આથી હું પ્રિયા બહેન જીતુભાઈ પંચાસરા
આપને જણાવું છં, કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને મેં જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર હું પોતે ગણાઈશ. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયકશ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજકશ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું પ્રિયા બહેન જીતુભાઈ પંચાસરા
પોતે આપને બાંહેધરી આપું છં.
આપની વિશ્વાસુ
પ્રિયા બહેન જીતુભાઈ પંચાસરા
(25)
... વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસનું મહત્વ
...,
પ્રસ્તાવના:-
વિશ્વકર્મા વૈદિક દેવતાના રૂપમાં માન્ય છે. પરંતુ તેમનું પૌરાણિક સ્વરૂપ અલગ પ્રતિત થાય છે. સૃષ્ટિના પ્રારંભ કાળથી જ વિશ્વકર્મા તરફ સન્માનનો ભાવ રહ્યો છે. તેમને ગૃહસ્થ જેવી સંસ્થાઓ માટે આવશ્યક સુવિધાઓના કારક અને પ્રવર્તક માનવામાં આવે છે,વિશ્વકર્મા માટે કેહવાય છે કે.......
।। नमोस्तु विश्वरूपाय, विश्वरूपातेय नम्,
नमो विश्वत्माभूताय, विश्व कर्मन्नो मास्तुते,।।
અર્થાત
.. વિશ્વજનું રૂપ છે, વિશ્વજનો આત્મા છે અને જે પ્રાણીમાત્રમાં વ્યાપક છે તે વિશ્વકર્મા ને હું નમસ્કાર કરું છું..
આપણે જાણીએ છીએ તેમ આપણા સમાજમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ એટલે ભણતર, જેમાં વાંચન લેખન અને ગણન નો સમાવેશ થાય, એ ત્રણ વાતો કરનાર શિક્ષિત ગણાય, વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનું મહત્વ ખૂબ જ માનવામાં આવ્યું છે. જેમ સાહિત્ય સમાજનું દર્પણ માનવામાં આવે છે તેવી જ રીતે શિક્ષા શિક્ષણ સંસ્કૃતિનો મૂળ આધાર માનવામાં આવે છે.. વિશ્વકર્મા સમાજમાં શિક્ષણની આગળ લાવવા આપણે બને એટલા પ્રયત્નો કરવા જોઈએ..
## વિશ્વકર્મા સમાજમાં શિક્ષણનું મહત્વ:##
આપણે જાણીએ છીએ તેમ વિશ્વકર્મા સમાજ ઘણો બધો આગળ રહેલો છે. જ્યાં જોઈએ ત્યાં ધંધા રોજગારની બાબતમાં વિશ્વકર્મા સમાજ ખૂબ જ પ્રગતિના પંથે રહ્યો છે હજી પણ રહી રહીને આપણા સમાજમાં ઘણા બધા લોકો પાછળ છે તેમને આગળ લાવવા માટે શિક્ષણનો ખૂબ જ મહત્વ રહેલું છે જો વ્યક્તિ શિક્ષિત બને આગળ આવે તો આપમેળે આપના સમાજનો વિકાસ થશે જ આપણે આપણા સમાજને આગળ લાવવા પ્રથમ પગથિયું શિક્ષણનું છે. શિક્ષણથી જ સર્વાંગી વિકાસ થશે જેનાથી આપણા સમાજના યુવાનો શિક્ષિત બને જેથી કરીને આપણો સમાજ આગળ વધે આપણા સમાજના યુવાનો કેન્દ્ર સરકારની તેમજ ગુજરાતની યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ પાસ કરે જેમનામાં રહેલો ડર દૂર કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણે પ્રેરણા રૂપ મદદરૂપ થવું જોઈએ જેથી આપણા સમાજનું નામ રોશન થાય..
આપણા સમાજમાં ઘણા યુવાનો આર્થિક રીતે પછાત હોવાથી આવી પરીક્ષાઓની તૈયારી કરી શકતા નથી જેમને ઘરની જવાબદારીઓ આવી પડવા થી હોવાથી તેઓ શિક્ષણથી વંચિત રહી જાય છે આવા યુવાનોમાં આપના વિશ્વકર્મા સમાજના યુવાનોમાં આત્મવિશ્વાસ આત્મ પ્રેરણા આવા લક્ષણોથી કે ભરપૂર હોવો જોઈએ...
યુવાનોમાં સ્વ જાગૃતિ હોવી જોઈએ.. પોતે જાગૃત ન થાય ત્યાં સુધી કઈ કરી શકતો નથી તેનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ આજુબાજુના વાતાવરણથી ક્યારેય ગભરાવું જોઈએ નહીં નકારાત્મક વિચારોથી દૂર રહેવું જોઈએ જેથી કરીને પોતાના આત્મવિશ્વાસ કહેવાય જેથી કરીને સાચું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય
યુવાન હંમેશા લક્ષ નિર્ધારણ ઉપર હોવો જોઈએ જેથી કરીને આપણા સમાજનું નામ રોશન થાય.
આમ આપણા વિશ્વકર્મા સમાજમાં શિક્ષણ થકી જ આપણો સમાજ પ્રગતિ કરી શકે જેથી કરીને શિક્ષણ પર વધારે પ્રભુત્વ આપવું જોઈએ જે સાચી જ કંઈક કરવા માંગે છે એમને મદદરૂપ થવું જોઈએ એવા ઘણા યુવાનો આપણા સમાજમાં છે જે સ્નાતકની પદવી ધરાવે છે પણ એમના મગજમાંથી નેગેટિવ થીંકીંગ દૂર કરી એમને હંમેશા હકારાત્મક વિચારો પ્રદાન કરવા જોઈએ અને આપણે પ્રેરણા રૂપ બનવું જોઈએ જેથી જેમ બને તેમ આપણો સમાજ શિક્ષણ પ્રત્યે આગળ આવે..
..## વિશ્વકર્મા સમાજમાં કૌશલ્ય વિકાસનું મહત્વ..,##
વિશ્વકર્મા સમાજમાં કૌશલ્ય વિકાસનો અને ઘણું મહત્વ છે જેમાં ધંધો વેપાર કરતા એવા મોચી ,લુહાર, કુભાર ,કડિયા કામ, સોની ,મજૂરીકામ વગેરે.. પોતાના ધંધામાં આગળ આવે તેમ તેમને જરૂરી કૌશલ્યો નો વિકાસ થાય અને પ્રગતિ કરે એવા આપણા સમાજે એકબીજાને મદદરૂપ થવું જોઈએ જેથી કરીને સમાજનો વિકાસ થાય.
આપણી ભારત સરકાર દ્વારા આપણા સનાતન હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા સમાજના બંધુઓ માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023 થી લાગુ કરવામાં આવી..... જેનું મુખ્ય ઉદ્દેશ આપણા વિશ્વકર્મા બંધુઓને મફત કૌશલ્ય તાલીમ અને રોજગારી પ્રાપ્ત થાય એવો ઉદ્દેશ રહેલો છે આમાં વિવિધ પ્રકારની તાલીમ આપી યુવાનોને અને કારીગરોને સહાય પૂરી પાડવા નહીં તૂથી અહીં સ્વરોજગાર ઉભો કરી શકે અને આત્મનિર્ભ બની શકે એ માટે એ વિશ્વકર્મા યોજના ખૂબ જ મહત્વની પુરવાર સાબિત થઈ છે
૦ મફત કૌશલ્ય તાલીમ
૦ ટુલકીટ સહાય
૦ ઇનસેટિવ સહા
૦ સબસીડી સાથે લોન
૦ આર્થિક સાક્ષરતા તાલીમ
૦ 18 થી 65 વર્ષ સુધીની હોય
૦ આઠમું ધોરણ પાસ..
આ પ્રકારની લાયકાત ધરાવતા દરેક વ્યક્તિને મળવા પાત્ર છે જેમાં 15000 સુધી ટોલકીપ સહાય પણ આપવામાં આવે છે 2000 પ્રતિ વર્ષ ઇન સીટી સહાય પણ મળે છે સ્ટાઇ પેન્ટ પણ મળે છે સાધન સામગ્રી મળે છે જેનાથી આ તાલીમ અંતર્ગત વિશ્વકર્મા સમાજના જેવા કે કડિયા ,મોચી ,સુથાર, લુહાર, સોની ,મજૂરી કામ કરતા વગેરેને આર્થિક સધ્ધરતા માં આગળ લાવવા માટે આ યોજના ખૂબ જ સરાહનીય પૂર્વક સાબિત થઈ છે તો આપણે પણ વિશ્વકર્મા સમાજનો વિકાસ સાધવામાં જે યુવાનોને મદદ કરવી જોઈએ જેથી યુવા ધન યોગ્ય રોજગારી પ્રાપ્ત કરે અને આપના સમાજનું નામ રોશન કરે તે ખૂબ જ જરૂરી છે..
" આપણે આપણા સમાજને એકબીજાની મદદરૂપ થઈ આગળ સમાજની આગળ લાવવો જોઈએ, જેથી કરીને કોઈ મુશ્કેલીમાં હોય અથવા જરૂરિયાત મંદને આપણે મદદ કરવી જોઈએ તે તો જ આપણો સમાજ આગળ વધી શકે.. વિકાસનું પ્રથમ પગથિયું તો આપણા સમાજમાં શિક્ષણનું સ્તર સુધારીએ તો વિકાસ આપમેળે સુધરશે પ્રથમ આપણે કુટુંબ પરિવાર પછી સમાજને આગળ લાવવા પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણા સમાજ આગળ વધી શકે હકીકતમાં વિશ્વકર્મા સમાજમાં એવા યુવા ધન કે જેને શિક્ષણ લેવા માટે આર્થિક રીતે સગવડ નથી તેવા યુવાનોને સાચે જ કંઈક કરવાની ઈચ્છા હોય તો જ તેમને આપણે મદદરૂપ થઈ સમાજમાં આગળ યુવાનોને મદદ કરી તે આગળ વધે પ્રગતિ કરે તો જ આપમેળે જ વિશ્વકર્મા સમાજનો વિકાસ થશે જ એમાં આપણા સમાજનું ગૌરવ હશે..
ઉપસંહાર:-
આમ, આપણા વિશ્વકર્મા સમાજમાં જો શિક્ષણનું સ્થળ સ્વચ્છ છે તો વિકાસ આપમેળે થશે જ અને આપણે સમાજને મદદરૂપ થઈ શકીશું. આપણા સમાજનું નામ રોશન થશે જેમ કારીગરો કડિયા સુથાર લુહાર તેમનો સમાજનો ખૂબ જ સ્થાન જરૂરી છે જેથી કરીને તેને સેવા કરી પોતે ઈમાનદારી પૂર્વક કાર્ય કરશે તો ચોક્કસ સમાજમાં ખૂબ જ ગૌરવ પૂર્વક કામ કરી આપણા વિશ્વકર્મા સમાજનું નામ ગર્વથી ઊંચું રહેશે જેનાથી આપણા સમાજમાં ખૂબ જ શિક્ષણ અને વિકાસનું મહત્વ રહેલું છે.
અંતે આપના યુવાનોને એટલું જ કહીશ કે
""કોન કહેતા હે કી આસમાન કો જો નહીં સકતે,
અરે યારો! એક પથ્થર તો તબિયત સે ઉછાલકર દેખો..
"""" જય વિશ્વકર્મા"""""
..... બાહેધરી પત્ર.......
નામ: પંચાલ દિનેશભાઈ બહિચરભાઈ
ગામ- લીમડી ટીંબા
તાલુકો- ખાનપુર
જી - મહીસાગર
મો - 9979409805
ઉમર - 38
આથી હું પંચાલ દિનેશભાઈ આપને જણાવું છું કે આપે યોજેલ સ્પર્ધાના તમામ નિયમોને જાણી પ્રમાણીને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પસંદ કરેલ નિબંધ મૌલિક છે અન્ય કોઈ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી તેમ જ જો કોઈ પણ માધ્યમ કે ઉપલબ્ધ હશે તો તેના જવાબદાર હું પોતે ગણાઈશ તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી નો કોઈપણ નિર્ણય લેવામાં આવે તે અમને મંજૂર રહેશે તેમની સાથે અમે કોઈપણ પ્રકરણની વાત કરીશું નહીં જેથી હું દિનેશભાઈ પંચાલ પોતે આપને બાહેધારી આપું છું..
આપનો વિશ્વાસુ
D.B.Panchal
(26)
"વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સંબંધ""
પહેલા તો બધા ને મારા જય વિશ્વકર્મા. મારા નિબંધ ની શરૂઆત હું વિશ્વકર્મા દાદા ની સ્તુતિ થી કરીશ.
ઓમ વિશ્વકર્મણે નમઃ।
જય વિશ્વકર્મા ભગવન, જગતનાં શિલ્પી દેવ,
વિદ્યા વિવેક દયા ધરા, વિસ્વ રૂપ ધરેવ।
સૃષ્ટિના સૌંદર્યકાર, યંત્ર તંત્ર વિદ્વાન,
તપસ્વી તત્વજ્ઞાતા, સર્વકલા પરમાન।
લોહ લાકડાં પથ્થર ને, સ્વર્ણચાંદી ઘડે,
વિદ્યા ભક્તિ કળા સહીતે, પુણ્યમય માર્ગ ચલે।
વહાણ વાવ ભવન વદિર, તન મંડપ સુશોભે,
જય વિશ્વકર્મા દેવ, ભક્ત હ્રદયમાં રહે।
વિશ્વકર્મા એ હિંદુ ધર્મમાં વિશ્વના પ્રથમ ઇન્જિનર અને શિલ્પકાર માનવામાં આવે છે.તેઓ સમગ્ર બ્રહ્માંડ ના સર્જનહાર છે. વિશ્વકર્મા ભગવાન નો જન્મ દિવસ વિશ્વકર્મા જયંતિ' તરીકે માનવામાં આવે છે. જે મહા મહિના ની તેરસ ના દિવસે માનવમાં આવે છે.વિશ્વકર્મા ભગવાનના વંશજો ખાસ કરીને પાંચ મુખ્ય સમુદાયોમાં વહેંચાયેલાં છે, જે વિવિધ કારીગરી કાર્ય કરે છે: જેમાં લુહાર,સુથાર, કુંભાર, સોની,કંસારા નો સમાવેશ થાય છે.
વિશ્વકર્મા ના કારીગરો એવા હસ્તકલા અને ટેકનિકલ કામ કરનાર લોકો હોય છે, જેમણે પરંપરાગત રીતે ભારતની કારીગરી, શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેઓ ભગવાન વિશ્વકર્માને પોતાના દેવ માને છે
* વિશ્વકર્મા ના કારીગરો સામાન્ય રીતે નીચેના વ્યાવસાયિક ક્ષેત્રોમાં કામ કરતા હોય છે:
1. સુથાર – લાકડાનું કામ કરનારા.
2. લુહાર – લોખંડ તથા ધાતુનો કામ કરનાર.
3. સોનાર – સોનાં અને ચાંદીના દાગીના બનાવનારા.
4. કંસાર – પિત્તળ અને કાંસાં ના વાસણો તથા મૂર્તિઓ બનાવનારા.
5. કડિયા – ઘરો, મંદિરો અને અન્ય રચનાઓના નિર્માતા.
આ લોકો પોતાના કુશળ હસ્તકૌશલ્ય અને પરંપરાગત જ્ઞાનના આધારે ઈતિહાસમાં નમૂનાવાર કાર્ય કરીને ભારતની સંસ્કૃતિમાં મહત્વનો ફાળો આપ્યો છે.
વિશ્વકર્મા કારીગરો વિશ્વકર્મા પૂજા ના દિવસે કારીગરો પોતાના સાધનો, યંત્રો અને મશીનોની પૂજા કરે છે. એ સાધનોને માત્ર સાધન તરીકે નહીં, પણ જીવનના સાધક તરીકે માનવામાં આવે છે. આ પરંપરા એક પ્રકારની ભાવના વ્યક્ત કરે છે કે, કાર્ય માટે જે સાધનો જરૂરી છે, તેનું ઋણ માનવું જોઈએ.
તેઓ તમામ પ્રકારના હસ્તકલા, વાસ્તુશિલ્પ, યંત્રો અને હથિયારોના સર્જક માનવામાં આવે છે. તેમની સાથે ખાસ કરીને કારીગર, શિલ્પી, લોખંડિયા, કારખાનેદાર, મકાન બનાવનારા, સુવર્ણકારો અને અન્ય કુશળ કામદારોનો ખૂબ જ ઊંડો સંબંધ છે.
વિશ્વકર્મા ભગવાન અને કારીગરો વચ્ચેનો સંબંધ અત્યંત અતૂટ અને આધ્યાત્મિક છે.કારખાનાંમાં કામ કરતા મજૂરો, લોહાર, બાંધકામકર્મીઓ, ઇલેક્ટ્રિશિયન, મિકેનિક, સુત્રધાર તથા વિવિધ હસ્તકલાકારો માટે ભગવાન વિશ્વકર્મા શ્રદ્ધા અને પ્રેરણાનું પ્રતિક છે. તેઓ માટે વિશ્વકર્મા પૂજનનો દિવસ એક પર્વ સમાન હોય છે. આ દિવસે તમામ યંત્રો અને સાધનોની પૂજા કરવામાં આવે છે અને તેમને શ્રદ્ધા પૂર્વક સાફ કરવા માં આવે છે.
આધુનિક સમય માં પણ ટેક્નોલોજી ખૂબ વધી રહી છે.પણ વિશ્વકર્મા વંશજો અને કારીગરો માં વિશ્વકર્મા ભગવાન ઉપર અતૂટ શ્રદ્ધા રહેલી છે.આ સંબંધ માત્ર ધાર્મિક નથી, પણ વ્યવસાયિક રીતે પણ મહત્વપૂર્ણ છે. વિશ્વકર્મા ભગવાન ના કારીગરોની આવડત અને મહેનત ના પ્રત્યક્ષ સ્વરૂપ તરીકે જોવા મળે છે. દરેક કારીગર પોતાની આવડત અને કર્તવ્ય પર વિશ્વાસ રાખીને નવીન રચનાઓ કરે છે, જે સ્વયં ભગવાનના સર્જનાત્મક તત્વનો પરિચય આપે છે.
કારિગરો વિશ્વકર્મા ભગવાનને પોતાનાં કુશળતાના દેવતા માને છે. તેઓ માનતા હોય છે કે તેમના હાથમાં રહેલી આવડત અને કળા, વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદથી પ્રાપ્ત છે.
વિશ્વકર્મા ભગવાન કારીગરો માટે માત્ર દેવતા નહિ, પણ તેમની નિપુણતા, ઇમાનદારી અને શ્રમસાધનના પથદર્શક છે. આવા આદર્શને અનુસરીને જ સમાજ અને રાષ્ટ્રનો વિકાસ શક્ય બને છે. વિશ્વકર્મા ભગવાન અને કારીગરો વચ્ચે નો સબંધ ખૂબ જ ગાઢ છે.
મારો નિબંધ હું વિશ્વકર્મા દાદા ના શ્લોક થી પૂર્ણ કરીશ.
ઓમ વિશ્વકર્મણએ નમઃ।
વિશ્વકર્મા મહાપ્રાજ્ઞઃ સર્વયજ્ઞોપકારકઃ।
સદાહસ્તેાસ્તો વિભાતિ નૈર્જર્યું યેન નિર્મિતમ્॥
*અર્થ*
વિશ્વકર્મા મહાપ્રજ્ઞ છે, સર્વ યજ્ઞોમાં સહાયક છે, અને તેમની હસ્તકલા દ્વારા જ દેવલોકના ભવન, યંત્રો અને વિભિન્ન કલાઓનું સર્જન થયું છે।
જય વિશ્વકર્મા 🙏
લી. મિતલ અશ્વિન રાઠોડ
જામનગર
રણજીતસાગર રોડ, સાધના કોલોની ગેટ નંબર:૩
સિદ્ધિ વિનાયક પાર્ક શેરી નંબર:૮
મકાન નંબર ૧૯/૧૪A
જામનગર
મો. ૭૦૪૬૨૪૨૨૭૯
નામ: રાઠોડ મિતલ અશ્વિન
ઉંમર: ૨૬ વર્ષ
નિબંધ નું શીર્ષક: "વિશ્વકર્મા ભગવાન અને કારીગરો : એક અતૂટ સંબંધ""
મોબાઈલ નંબર: ૭૦૪૬૨૪૨૨૭૯
આથી હું રાઠોડ મિતલ અશ્વિન આપને જણાવું છું કે આપે યોજેલા નિબંધ સ્પર્ધા ના નિયમ જાણી ને મારો નિબંધ તૈયાર કરેલ છે. નિબંધ માં શ્લોક અને સ્તુતિ પ્રસ્તુત કરેલ છે જે મેં સોશિયલ મીડિયા માંથી મેળવેલ છે જેની હું જાણ કરી આપું છું. બાકી મેં મૌલિકતા થી નિબંધ તૈયાર કરેલ છે.તેમ છતાં પણ જો કોઈ માધ્યમ માં પ્રકાસિક હશે તો હું જવાબદાર ગણાય શકું.તેમાં આયોજક કે નિર્ણાયક શ્રી ની કોઈ જવાબદારી રહેશે નહીં તેના દ્વારા કોઈ પણ નિર્ણય લેવા માં આવશે તે મને મંજૂર રહેશે. કોઈ પણ પ્રકાર ની દલીલ કે વિવાદ કરીશ નહીં. બાકી કઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો. હું રાઠોડ મિતલ અશ્વિન તમને બાહેંધરી આપું છું.
આપણી વિશ્વાસુ
રાઠોડ મિતલ અશ્વિન
(27)
વિષય - વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાનની ઉપાસનાનું મહત્વ
कंबासूत्रांबुपात्रं वहति करतले पुस्तकं ज्ञानसूत्रं ।
हंसरुढस्त्रिनेत्र: शुभमुकुटशिर: सर्वतो वृद्धकाय: ।।
त्रैलोक्यं येन सृष्टं सकल सुरगृहं हम्यदिहम्य ।
देवो स सूत्रधार: जगदखिल हित: ध्यायते सर्व सत्वै: ।।
અર્થાત્,
જેણે એક હાથમાં ગજ, બીજા હાથમાં સૂત્ર, ત્રીજા હાથમાં જળ નું પાત્ર અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલ છે, હંસ ઉપર બેઠા છે, માથે સુંદર મુકુટ ધારણ કરેલો છે, જેનું શરીર સર્વ રીતે વૃદ્ધિ પામેલું છે, જે ત્રણે લોકનું સર્જન કરનાર, સઘળા દેવોના આવાસો, રાજાઓના મહેલો વગેરેની રચના કરનાર, જગતનાં સૂત્રધાર અને સકળ સૃષ્ટિનું કલ્યાણ કરનાર પ્રભુ વિશ્વકર્મા નું સર્વ પ્રાણીઓ ધ્યાન કરે છે
ज्योतिमयं शान्तिमयं प्रदीप्तं विश्वात्मकं विश्वजिन्निरहं ।
आध्यतशून्यं सकलैकनाथं श्री विश्वकर्मणमहं नमामि ।।
અર્થાત્
જે જ્યોતિ સ્વરૂપ- પ્રકાશમય છે, શાંતિ આપનાર છે, વિશ્વ ને તેજ આપનાર અને સર્વ વ્યાપક છે, આદિ અને અંત વગરના છે તેમજ જે આખાં વિશ્વના સ્વામી છે. તેવા હે વિશ્વકર્મા પ્રભુ, હું આપને નમન - વંદન કરું છું.
પ્રાચીનકાળથી શ્રી વિશ્વકર્મા ને તેમના વિશેષ જ્ઞાન , વિજ્ઞાન તથા શિલ્પ ને કારણે માનવો જ નહિ પરંતુ દેવતાઓ દ્વારા પણ પૂજવામાં આવે છે. ભગવાન વિશ્વકર્મા કે જેમને દેવોના પ્રથમ સ્થપતિ કે આર્કિટેક કહ્યા છે. આપણા હિંદુધર્મ માં તેઓના નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે.
વર્તમાન સમયમાં, લોકો પોતાના ઘરના નિર્માણ માટે શાસ્ત્ર અનુસાર, જે કોઈ વ્યકિત દિવસમાં બે સમય વિશ્વકર્મા ભગવાનના નીચે આપેલા મંત્રનું બાર માસ સુધી ઉચ્ચારણ કરવાથી ભગવાન વિશ્વકર્મા પ્રભુની કૃપા થાય છે અને પોતાનું ઘર પ્રાપ્ત કરી શકે છે.
विश्वव्यापिनमस्तुभ्यं त्र्यम्बकं हंसवाहनं
सर्वक्षेतनिवासख्यं विश्वकर्मनमोनमः ।
શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ અનુસાર વર્તમાન સમયમાં શ્રી વિશ્વકર્મા પ્રભુ નું નામ સર્વને પવિત્ર કરે છે. પ્રભુનું અમોધ જ્ઞાન, જે સર્વ મહાન જ્ઞાનીઓ માં શ્રેષ્ઠ છે. મનુષ્યને સર્વ પ્રકારના સુખો આપનાર છે.
' સ્તંભ પુરાણ ' માં કહ્યું છે કે , પરમ કૃપાળુ વિરાટ વિશ્વકર્મા સમગ્ર જગત ના સ્વામી છે. તે જગતને માટે પૂજા કરવાનો યોગ્ય છે. જગતની અંદર રહેલી સર્વ તેજસ્વી પદાર્થો માં રહ્યા છે. તે તેજપણા થી પ્રભુ નું ' તેજ ' પણ કલા છે. કલાનો અંશ છે. સમગ્ર જગતે પ્રભુ શ્રી વિશ્વકર્મા અંગેનું સર્વ જ્ઞાન પ્રાપ્ત કરવું તથા તેનું ઉપાસના કરવી જોઈએ.
વિશ્વકર્મા પ્રભુ નાં કાર્યનું પ્રમાણ આથી સુષ્ટિ માં જાણવા અને જોવા મળે છે. આ સૃષ્ટિમાં ભારતની સંસ્કૃતિનો નાશ કરવા વાળ ઘણા જનમ્યાં, અને નાશ પણ થયો છે પરંતુ પ્રભુના હાથે નિર્માણ થયું તેનો નાશ n થયો. એવા એ પ્રભુ ની સેવા, પૂજા , કથા કરવા તે દરેક મનુષ્યને લાભદાયક તતઃ પૂણ્ય આપનાર છે. તેમાં વિશ્વકર્મા વંશજો તન , મન અને ભક્તિ થી પ્રભુને ભજશે તો તેના પર પ્રભુની કૃપા ઉતરશે. જે મનુષ્ય નિરંતર પૂજન કરે , ભક્તિ માં તન્મય રહે , તેને પ્રભુ ઈચ્છાઓના સુખ આપે છે. મનુષ્ય ભવસાગર નાં સઘળાં બંધનોમાંથી મુક્ત થઈ મોક્ષ ની ગતિ મેળવે છે.
વર્તમાન સમયમાં દાદા ઉપાસના કરવાનું મહત્વ એ છે કે, દાદા ના આઠ અક્ષર વાળા મંત્ર ( "ૐ નમો વિશ્વકમૅણે ") થી બ્રહ્મવર્ચસ્વ પામે છે. તથા ધન , ધાન્ય નો અધિપતિ બને છે. જે મનુષ્ય પ્રભુના આ મંત્રની સાધના કરે છે તે અમર તત્વ પ્રાપ્ત કરે છે અને જન્મ - મરણ વગેરે નાં બંધનો થી છૂટી જાય છે.
જે મનુષ્ય પ્રભુના પવિત્ર ઉપનિષદ નો પાઠ કરે તો તે સર્વ પાપોથી મુક્ત થાય છે તથા સુખોને પ્રાપ્ત કરી પરમ ગતિ મેળવે છે.
વિદ્વાનો એ આત્મા , વાણી, પ્રાણ, આદિત્ય, ત્વષ્ટા તથા પ્રજાપતિ વગેરે ને પણ વિશ્વકર્મા સમજ્યા છે. વિશ્વકર્મા ની ખ્યાતિ નું કારણ એ છે કે તેમને લલિતકલા ની દિશા માં નૂતન વૈજ્ઞાનિક આવિષ્કારો અને નવી લોકપ્રિય પદ્ધતિ ઓનો પ્રચાર કર્યો. જેના પરિણામે વર્તમાન સમયમાં લોકો અત્યંત શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ અને પૂર્ણ નિષ્ઠાથી વિશ્વકર્મા પ્રભુ ને તેમના ગુરુ અને ભગવાન માને છે, તથા બધા વર્ગના શિલ્પી, જ્ઞાની , વૈજ્ઞાનિક, કલા સાધક તેમની પૂજા - અર્ચના કરે છે.
न भूमिं न जलं चैव न तेजो न च वायव: ।
न आकाशो न चित्तम च न बुद्धिध्राणगोचरा।।
न च ब्रह्मा न विष्णुश्व न च रुद्रश्व तारक: ।
सर्व शून्य निरालंब स्वयंभू विश्वकर्मण।।
અર્થાત્
જે સમયે પૃથ્વી, જળ , તેજ ,વાયુ, આકાશ, ચિત્ત, ઇન્દ્રિઓ, બુદ્ધિ ન હતા. બ્રમ્હા, વિષ્ણુ, મહેશ , તારા વગેરે કઈ જ ન હતું . ત્યારે માત્ર શૂન્ય હતું એટલે કે અંધકાર હતો તે સમયે આપોઆપ ઉત્પન્ન થનારા નિરાલંબ સ્વયંભૂ પ્રભુ વિરાટ વિશ્વકર્મા એક જ હતા.
સંપૂર્ણ ભારતમાં ત્રણ જુદી - જુદી માન્યતા પ્રમાણે વિશ્વકર્મા જયંતિ ઉજવવાનું મહત્વ છે.પૂર્વના રાજ્યો બંગાળ, બિહાર , આસામ અને મણિપુર વગેરે રાજ્યોમાં વિશ્વકર્મા જયંતિ 17 સપ્ટેમ્બર એ ઉજવાય છે. ત્યાં દાદા નું ધામ - ધૂમથી પૂજન થાય છે. તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે. પંજાબ , હરિયાણા , કાશ્મીર , ઉત્તરાચલમાં કારતક સુદ એકમ ના દિવસે ઉજવાય છે.
ગુજરાત તથા બાકીના ભારત વર્ષમાં મહા સુદ તેરસના દિવસે વિશ્વકર્મા જયંતિ ઉત્સવ ઉજવાય છે. વિશ્વકર્મા શોભાયાત્રા, વિશ્વકર્મા વંશજો નું સમૂહ ભોજન, પૂજન થાય છે.
રંક થી રાજા સુધી સર્વને જીવન વિશ્વકર્મા દાદાએ આપ્યું, રહેવા માટે કુબા થી લઇ રાજમહેલ સુધી મકાનો , રક્ષણ માટે હથિયાર એ બધું વિશ્વકર્મા દાદા એ નિર્માણ કરી આપ્યું.
લોકો , દેવતાઓ અને ત્રિદેવ સહિતના મનોરથ પૂર્ણ વિશ્વકર્મા દાદા એ કર્યા છે. તેઓને અસ્ત્ર - શસ્ત્ર બનાવી આપ્યા. જેના ડરથી જગતમાં શાંતિ છવાઈ રહે. પોતપોતાનું રક્ષણ કરી શકે, દુષ્ટો નો નાશ કરી શકે. એજ મનોરથ રાખી તેમણે યુદ્ધ શસ્ત્ર બનાવી આપ્યા. તે ખુદ હિંસા ન કરે પરંતુ હિંસા ફેલાવનાર ને મૃત્યુ આપે. આવી વિવેકપૂર્ણતા વિશ્વકર્મા દાદા માં હતી.
શ્રી વિરાટ વિશ્વકર્મા દાદા ની ઉપાસના નું મહત્વ દર્શાવતા, પુરાણો માં લખ્યું છે કે ...
જે જગ્યા પર પુરાણ વંચાયું હોય તે જગ્યા પર વિશ્વકર્મા દાદા વાસ્તુ સાથે પાંચ દિવસ હજાર રહે છે.
શ્રી વિરાટ વિશ્વકર્મા મહાપુરાણ નું વિધિ પૂર્વક શ્રવણ કરવાથી મનુષ્ય ભૂમિ, ધન , આયું , કીર્તિ , યશ , ધર્મ , ઐશ્વર્ય તેમજ સર્વ સંપતિ પ્રાપ્ત થાય છે. પુત્ર ન હોય ત્યાં પુત્ર નો જન્મ થાય છે , વંશ નું વૃદ્ધિ થાય છે. સર્વ કરેલા પાપ નાશ થાય છે ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. તથા પ્રભુમય રહી આખરે પ્રભુ પદ પામે છે. ટૂંકમાં કહીએ તો , વિશ્વકર્મા પ્રભુને ભજવાથી, પુરાણ ના શ્રવણ થી મનુષ્ય પુરુષાર્થ ની પ્રાપ્તિ કરે છે.
सत्य ज्ञान सुख स्वरूपमलं पंचानन पावनम् ।
वेदान्ते प्रतिपाद्यमानं विभवं विश्वेकं निर्मातरम्।।
सर्व प्राणी मनोतरस्त प्रसवं सर्वात्मकं सर्वदा।
वंदे देवमहर्निशं ददिमुद्रा श्रीविश्वकर्मामिहम् ।।
અર્થાત્
સત્ ચિત્, આનંદ સ્વરૂપ એવા પ્રભુ, જેનાં સ્વરૂપ સત્ય, જ્ઞાન તથા સુખમય છે એવા, પવિત્ર પાંચ મુખવાળા, જેના વૈભવનું વર્ણન વેદાન્તથી સિદ્ધ થયું છે એવા, સમસ્ત જગતના એક માત્ર નિર્માણ કર્તા તથા સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેવાવાળા અને જેમાં એ સઘળું જગત ઉત્પન્ન થયું છે એવા એ વિશ્વકર્મા નામના દેવને હંમેશા પ્રસન્નચિત્ત થઈ હું પ્રણામ કરું છું.
જય વિશ્વકર્મા
બાંહેધરીપત્ર
નામ : વિશરોલિયા જીનલ નરેશભાઈ
નિબંધનું શીર્ષક : વર્તમાન સમયમાં વિશ્વકર્મા ભગવાનની ઉપાસનાનું મહત્વ
શબ્દ સંખ્યા : 1000
મોબાઈલ નંબર : 7698826344
ઈમેઈલ એડ્રેસ : jinalvishroliya@gmail.com
આથી હું જીનલ વિશરોલિયા આપને જણાવું છં. કે આપે યોજેલ સ્પર્ધા તમામ નિયમો ને જાણી પ્રમાણીને મે નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો છે. નિબંધ સ્પર્ધા માટે પ્રસ્તુત કરેલ નિબંધ તે મારો મૌલિક નિબંધ છે. અન્ય કોઈપણ માધ્યમ દ્વારા તે પ્રકાશિત થયેલ નથી. તેમ છતાં પણ જો કોઈપણ માધ્યમમાં તે ઉપલબ્ધ હશે તો તેનાં જવાબદાર અમે પોતે ગણાય છં. તેમાં આયોજક શ્રી અને નિર્ણાયક શ્રી ની કોઈપણ જવાબદારી રહેશે નહીં. આયોજક શ્રી અને નિર્ણાયકો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે અમને મંજૂર રહેશે. તેમની સામે અમે કોઈપણ પ્રકારનો વિવાદ કરીશું નહીં. તેની હું જીનલ વિશરોલિયા પોતે આપને બાંહેધરી આપું છં.
આપની
જીનલ નરેશભાઈ વિશરોલિયા
(28)
Comments
Post a Comment