સતી અનસુયા ઉત્પત્તિ અને ભગવાન વિશ્વકર્મા દ્વારા દિવ્ય વસ્ત્રો આભૂષણ ભેટ

સતી અનસુયા ઉત્પત્તિ અને ભગવાન વિશ્વકર્મા દ્વારા દિવ્ય વસ્ત્રો આભૂષણ ભેટ 

સતી અનસુયા પ્રાચીન ભારતીય ઋષિપત્ની અને એક મહાન સતી સ્ત્રી તરીકે જાણીતી છે. તેમના નામનો અર્થ છે – "અનસૂયા", એટલે કે જે કોઈ ઉપર ઈર્ષ્યા ન રાખે એવી સ્ત્રી. અનસુયા ઋષિ અત્રીની પત્ની હતી અને તેમણે પોતાનાં તપ, પવિત્રતા અને સત્યનિષ્ઠા દ્વારા અનેક ચમત્કારો સર્જ્યા હતા. સતી અનસુયાના જીવનમાં ઘણાં પ્રસંગો પવિત્રતાના અને સ્ત્રી શક્તિના પ્રતીકરૂપ છે.

અનસુયા માતાની ઉત્પત્તિની વાત કરતી વખતે પુરાણો મુજબ જણાવાય છે કે તેઓ દેવહૂતિ અને કર્દમ ઋષિના પુત્ર અત્રીમુનિની પત્ની હતાં. અનસુયા તેમના પતિ સાથે તપમાં લીન રહેતા. તેમને સમર્પિત અને આત્મ શક્તિશાળી હતા.માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્‍વર પોતાનાં પત્નીઓ સાથે અનસુયાની પવિત્રતા અને સતીત્વની કસોટી લેવા આવ્યા હતાં. અનસુયાએ તેમનાં નવજાત શિશુરૂપમાં રૂપાંતર કરી એમને દૂધ પાવડાવ્યાં હતાં, જેનાથી તેઓ પ્રસન્ન થયા અને અનસુયાને આશીર્વાદ આપ્યો.

સતી અનસુયાના કાર્યમાં મુખ્યરૂપે તપ, પતિસેવા અને સંસાર માટે આદર્શ સ્ત્રીના મૂલ્યોની સ્થાપના છે. એમનું જીવન સર્વોત્કૃષ્ટ સતીત્વ અને નારીશક્તિનું ઊજળું દ્રષ્ટાંત છે. તેઓએ ભગવાન દત્તાત્રેયને જન્મ આપ્યો, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્‍વરનું સંયુક્ત સ્વરૂપ છે. દત્તાત્રેયના જન્મથી અનસુયાનું સ્થાન ભારતના સાધુ-સંતોમાં અત્યંત શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે. સતી અનસુયા ને ભગવાન શ્રી વિશ્વકર્મા દ્વારા બનાવેલા સુંદર આભુષણ અપાયા હતા. રામ ભગવાન ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ  ગયા ત્યારે સતી અનસુયા ના આશ્રમમાં રોકાયા હતા. ત્યારે અનસુયા માતા એ સીતા માતા ને આશીર્વાદ રૂપે આપ્યા હતા.તે ઉપરાંત માતા સીતા ને વરદાન રૂપે દિવ્ય વસ્ત્ર પણ આપ્યા હતા .તે દિવ્ય વસ્ત્ર શક્તિ હતી કે તે કોઈ દિવસ મલિન ન થાય. આવું આશીર્વાદ રૂપે માતા અનસુયા એ સીતા માતા ને આપ્યા હતા.
આનંદ રામાયણ - વિલાસકાંડ (સર્ગ ૬)
श्लोक १२૫: अनसूया त्वथ प्रादात्सीतायै शुभवाससी। अक्षये च तथा वस्त्रे गन्धांश्चाभरणानि च ॥१२५॥
(આ શ્લોકનો અર્થ: પછી અનસૂયાએ સીતાને શુભ વસ્ત્રો, અક્ષય (ક્યારેય નાશ ન પામે તેવા) વસ્ત્રો, સુગંધિત દ્રવ્યો અને આભૂષણો પ્રદાન કર્યા.)
श्लोक १२६: विश्वकर्मकृते रम्ये नित्यं शुक्लसुगन्धिनी। तपसस्तु प्रभावेण प्राप्ते तेनाद्य देहिना ॥१२६॥
આ શ્લોકનો અર્થ: (આ વસ્ત્રો અને આભૂષણો) વિશ્વકર્મા દ્વારા બનાવેલા, સુંદર, હંમેશાં શ્વેત (નિર્મળ) અને સુગંધિત રહેનારા હતા, જે (અનસૂયા) દેહધારી દ્વારા પોતાના તપના પ્રભાવથી પ્રાપ્ત થયા હતા.)
(આ શ્લોકો સ્પષ્ટપણે દર્શાવે છે કે અનસૂયાએ સીતાજીને જે દિવ્ય વસ્ત્રો અને આભૂષણો આપ્યા હતા, તે વિશ્વકર્મા દ્વારા નિર્મિત હતા અને અનસૂયાએ પોતાના તપના પ્રભાવથી તે પ્રાપ્ત કર્યા હતા.
        આ રીતે સતી અનસુયા નું જીવન સ્ત્રી સમ્માન,પતિ પારાયણ, પતિવ્રતા પવિત્રતા,અને નારી ધર્મ નું પ્રતીક માનવામાં આવે છે.
લેખ સંકલનકર્તા - આરતી પરમાર 

Comments

Popular posts from this blog

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર

महात्मा "अलख" भूरी बाई सुथार

આરતી પરમાર (રુપ)