વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ
*વૈદિક હોળી - એક પ્રાચીન મનોવૈજ્ઞાનિક ઉત્સવ* *લેખક - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)* આપણી ભારતીય સંસ્કૃતિમાં હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે પ્રકૃતિ, વિજ્ઞાન અને અદ્યાત્મનો એક અદભૂત સંગમ છે. આજના આધુનિક યુગમાં જ્યારે પ્રદૂષણ અને રાસાયણિક રંગોએ આ તહેવારનું સ્વરૂપ બદલી નાખ્યું છે, ત્યારે આપણા વેદો અને પુરાણોમાં વર્ણવેલી વૈદિક હોળીના મહત્વને સમજવું અત્યંત અનિવાર્ય છે. ભારતીય સંસ્કૃતિમાં હોળી માત્ર પૌરાણિક કથાનો ઉત્સવ નથી, પણ તે નવસસ્યેષ્ટિ યજ્ઞ છે. વેદકાળમાં જ્યારે નવો પાક તૈયાર થતો, ત્યારે તેનો પ્રથમ અંશ અગ્નિદેવને અર્પણ કરવામાં આવતો. આ પરંપરા આજે પણ હોળીના રૂપમાં જીવંત છે. મહાપર્વ હોળીનો ઉલ્લેખ અત્યંત પ્રાચીન છે. જૈમિની સૂત્ર અને કઠક ગૃહ્ય સૂત્ર જેવા પ્રાચીન ગ્રંથોમાં આ ઉત્સવનું વર્ણન મળે છે. શ્રીમદ્ ભાગવત પુરાણના સાતમા સ્કંધમાં ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા દ્વારા અનિષ્ટ પર ઈષ્ટના વિજયનો પુરાવો મળે છે. આ ઉપરાંત, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ ફાગણી પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી યજ્ઞવિધિનો ઉલ્લેખ છે, જેને હોલાકા તરીકે ઓળખવામાં આવતી હતી. હોલાકાનો અર્થ થાય છે વધારે પકવેલું અ...