Posts

ભગવાન ગણેશ અને ભગવાન વિશ્વકર્માની પુત્રીઓ રિદ્ધિ-સિદ્ધિના વિવાહની કથા

ભગવાન ગણેશ અને ભગવાન વિશ્વકર્માની પુત્રીઓ રિદ્ધિ-સિદ્ધિના વિવાહની કથા આપણાં હિન્દુ ધર્મમાં, ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય દેવ તરીકે માનવામાં આવે છે. તેમની સાથે રિદ્ધિ (સમૃદ્ધિ) અને સિદ્ધિ (સફળતા)ની પૂજા કરવાનો પણ રિવાજ છે. રિદ્ધિ અને સિદ્ધિને તેમની પત્નીઓ માનવામાં આવે છે. આ કથાનું મુખ્ય પ્રમાણ બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગણેશ પુરાણ જેવા ગ્રંથોમાં મળે છે જે પ્રમાણિક છે.  એક કથા અનુસાર, ભગવાન ગણેશ પોતાના નટખટ સ્વભાવને કારણે અન્ય દેવતાઓના લગ્નોમાં વારંવાર અવરોધો ઊભા કરતા હતા. આનાથી પરેશાન થઈને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને આ સમસ્યાનું સમાધાન માગ્યું. ત્યારે બ્રહ્માજી એ ભગવાન વિશ્વકર્માની પુત્રીઓને યાદ કરતા કહ્યું કે. ભગવાન વિશ્વકર્માની આ પુત્રીઓના નામ રિદ્ધિ અને સિદ્ધિ હતા. કેટલાક ગ્રંથોમાં તેમને બ્રહ્માજીની માનસ પુત્રીઓ તરીકે દર્શાવવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક ગ્રંથોમાં તેમને વિશ્વકર્માની પુત્રીઓ તરીકે વર્ણવવામાં આવી છે, જેમણે ગણેશજીને તેમના ગુસ્સાને શાંત કરવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બ્રહ્માજી અને વિશ્વકર્માજીએ ગણેશજીને કહ્યું કે આ બંને કન્યાઓ અત્યંત જ્ઞાની છે ...

વિશ્વકર્મા દૈનિક સાહિત્ય

(1)  વિશ્વકર્મા તંત્રોક્ત મંત્રો ૧. મૂળ મંત્ર ૐ વિશ્વકર્મણે નમઃ ॥ ૨. દીક્ષા મંત્ર ૐ આધાર શક્તિપેઢાય नमः ॥ ૩. બીજ મંત્ર ૐ ઋદં સત્યં પરં બ્રહ્મ પુરુષં કૃષ્ણપિંગલમ્ । ઊર્ધ્વરેતં વિરૂપાક્ષં વિશ્વરૂપાય વૈ નમઃ ॥ ૪. તંત્રોક્ત વિધિથી જપતા વિશેષ મંત્ર ૐ હ્રીં શક્તિને નમઃ । ૐ ક્લીં શિલ્પિને નમઃ । ૐ વિશ્વકર્મણે નમઃ ॥ (2)  🪔 વિશ્વકર્મા પંચમુખી આરતી 🪔 જય વિશ્વકર્મા પ્રભુ, જગતના ઉપકારા । પંચમુખ દર્શન આપો, હરજો દુઃખ ભારા ॥ ૧ ॥ હાથમાં શિલ્પ શાસ્ત્ર પવિત્ર, વેદ પુરાણે ગાતા । સૃષ્ટિના સર્જનહાર, તુંજ માં સર્વ સમાતા ॥ ૨ ॥ ધ્વજ પચરંગી લહેરે તેજસ્વી, ઘંટા નાદ ગુંજે । દીપજ્યોતિ ઝળહળતી, સુગંધ ધૂપ સુગંધે ॥ ૩ ॥ સિદ્ધિ બુદ્ધિ સેવક બને, ભક્તોના દુઃખ હરે । કૃપા કરજો દયામય, આનંદ સદા ભરે ॥ ૪ ॥ સપ્ત ઋષિ નમન કરે, નવગ્રહ શીશ ઝુકાવે । દેવ દાનવ બધા, તારા ગુણ ગાવા આવે ॥ ૫ ॥ વિદ્યા વિવેક તું આપે, કર્મને ફળે કરાવે । ઉદ્યોગ ધંધા વિકાસે, તારા આશીર્વાદે વધાવે ॥ ૬ ॥ સોનું ચાંદી કાંસું લોહ, તારા જ હાથે  ઘડ્યા । યંત્ર મંત્ર અને શિલ્પ, તારી જ કૃપાથી બન્યા ॥ ૭ ॥ કર્મયોગનો તું દાતા, શ્રમને આપે માન । કામયાબી પગલે ચડે,...

સતી અનસુયા ઉત્પત્તિ અને ભગવાન વિશ્વકર્મા દ્વારા દિવ્ય વસ્ત્રો આભૂષણ ભેટ

Image
સતી અનસુયા ઉત્પત્તિ અને ભગવાન વિશ્વકર્મા દ્વારા દિવ્ય વસ્ત્રો આભૂષણ ભેટ   સતી અનસુયા પ્રાચીન ભારતીય ઋષિપત્ની અને એક મહાન સતી સ્ત્રી તરીકે જાણીતી છે. તેમના નામનો અર્થ છે – "અનસૂયા", એટલે કે જે કોઈ ઉપર ઈર્ષ્યા ન રાખે એવી સ્ત્રી. અનસુયા ઋષિ અત્રીની પત્ની હતી અને તેમણે પોતાનાં તપ, પવિત્રતા અને સત્યનિષ્ઠા દ્વારા અનેક ચમત્કારો સર્જ્યા હતા. સતી અનસુયાના જીવનમાં ઘણાં પ્રસંગો પવિત્રતાના અને સ્ત્રી શક્તિના પ્રતીકરૂપ છે. અનસુયા માતાની ઉત્પત્તિની વાત કરતી વખતે પુરાણો મુજબ જણાવાય છે કે તેઓ દેવહૂતિ અને કર્દમ ઋષિના પુત્ર અત્રીમુનિની પત્ની હતાં. અનસુયા તેમના પતિ સાથે તપમાં લીન રહેતા. તેમને સમર્પિત અને આત્મ શક્તિશાળી હતા.માન્યતા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્‍વર પોતાનાં પત્નીઓ સાથે અનસુયાની પવિત્રતા અને સતીત્વની કસોટી લેવા આવ્યા હતાં. અનસુયાએ તેમનાં નવજાત શિશુરૂપમાં રૂપાંતર કરી એમને દૂધ પાવડાવ્યાં હતાં, જેનાથી તેઓ પ્રસન્ન થયા અને અનસુયાને આશીર્વાદ આપ્યો. સતી અનસુયાના કાર્યમાં મુખ્યરૂપે તપ, પતિસેવા અને સંસાર માટે આદર્શ સ્ત્રીના મૂલ્યોની સ્થાપના છે. એમનું જીવન સર્વોત્કૃષ્ટ સતીત્વ અ...

આરતી પરમાર (રુપ)

Image
આરતી પરમાર (રુપ) કલેક્શન આરતીબેન રૂપેશભાઈ પરમાર  (1)  "વિશ્વકર્મા સમાજ અને મહિલા સશક્તિકરણ"       આપણે સૌ પ્રથમ પહેલા ભગવાન વિશ્વકર્મા દાદા ને ઓળખે !          વિશ્વકર્મા દાદા દુનિયાના સૌથી પહેલા મોટા આર્કિટેક છે વિશ્વકર્મા દાદાએ ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા ,  રાવણ ની શ્રીલંકા , ભગવાન કૃષ્ણનું સુદર્શન ચક્ર તેમજ ઘણા મંદિરોનું નિર્માણ કર્યું છે.            આપણે ધન્યતા અનુભવે છે કે આપણે ભગવાન વિશ્વકર્મા ના વંશજો છે એટલે જ તો કહેવાયું છે કે આપણા લોહીમાં , સંસ્કારમાં શિલ્પકલા , ચિત્રકળા અન્ય કલાઓનો ભંડાર સમાયેલો છે . હસ્તકલા હોય કે શિલ્પકલા કે પછી કાપડમાં કલાકારી હોય કે માટીમાં કંડારી કલાકારી લાકડું હોય કે લોખંડ અદ્ભુત કલા કરી આપણે વિશ્વકર્મા સમાજની આગવી ઓળખાણ થાય છે.            પહેલાના સમય માં સ્ત્રીઓને તુચ્છ અને અબળા માનવામાં આવતી હતી. અત્યારે આધુનિક સમયમાં એવું રહ્યું નથી. અત્યારે એક સ્ત્રી પણ પુરુષ સમોવડી બની આપણા સમાજનું નામ રોશન કરે છે .પહેલાના સમય માં પણ ભરતગુંથણ , મોતી વર્...