ભગવાન ગણેશ અને ભગવાન વિશ્વકર્માની પુત્રીઓ રિદ્ધિ-સિદ્ધિના વિવાહની કથા
ભગવાન ગણેશ અને ભગવાન વિશ્વકર્માની પુત્રીઓ રિદ્ધિ-સિદ્ધિના વિવાહની કથા આપણાં હિન્દુ ધર્મમાં, ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને પ્રથમ પૂજનીય દેવ તરીકે માનવામાં આવે છે. તેમની સાથે રિદ્ધિ (સમૃદ્ધિ) અને સિદ્ધિ (સફળતા)ની પૂજા કરવાનો પણ રિવાજ છે. રિદ્ધિ અને સિદ્ધિને તેમની પત્નીઓ માનવામાં આવે છે. આ કથાનું મુખ્ય પ્રમાણ બ્રહ્મવૈવર્ત પુરાણ અને ગણેશ પુરાણ જેવા ગ્રંથોમાં મળે છે જે પ્રમાણિક છે. એક કથા અનુસાર, ભગવાન ગણેશ પોતાના નટખટ સ્વભાવને કારણે અન્ય દેવતાઓના લગ્નોમાં વારંવાર અવરોધો ઊભા કરતા હતા. આનાથી પરેશાન થઈને બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને આ સમસ્યાનું સમાધાન માગ્યું. ત્યારે બ્રહ્માજી એ ભગવાન વિશ્વકર્માની પુત્રીઓને યાદ કરતા કહ્યું કે. ભગવાન વિશ્વકર્માની આ પુત્રીઓના નામ રિદ્ધિ અને સિદ્ધિ હતા. કેટલાક ગ્રંથોમાં તેમને બ્રહ્માજીની માનસ પુત્રીઓ તરીકે દર્શાવવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાક ગ્રંથોમાં તેમને વિશ્વકર્માની પુત્રીઓ તરીકે વર્ણવવામાં આવી છે, જેમણે ગણેશજીને તેમના ગુસ્સાને શાંત કરવા માટે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બ્રહ્માજી અને વિશ્વકર્માજીએ ગણેશજીને કહ્યું કે આ બંને કન્યાઓ અત્યંત જ્ઞાની છે ...