Posts

Showing posts from March, 2024

હું અને આપણી પ્રતિભા

Image
હું અને આપણી પ્રતિભા જો તમારે વર્તમાન યુગમાં તમારી વિશેષતા દર્શાવવી હોય તો તમારે તમારી પ્રતિભાને શ્રેષ્ઠ બનાવવી પડશે. રાજાઓ, મહારાજાઓ અને સંબંધીઓએ પણ રાવણના ડરથી શ્રી રામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ રીંછ અને વાનર જાતિઓમાં પણ, આવા નલ જેવા જ્ઞાની લોકો ઉભરી આવ્યા જે અત્યારના ત્રેતા થી કળિયુગ સુધી ઉભેલા અડીખમ રામસેતુ જેવું નિર્માણ અને અનેક પ્રકારના તકનીકી કાર્યો આદર્શોના રક્ષણ માટે ભારે જોખમ લેવા તૈયાર થયા હતા. નબળા લોકો પણ શુદ્ધ પ્રતિભાના સહારે મહાન બને છે, જ્યારે સક્ષમ લોકો ભાગી જાય છે. મહારાણા પ્રતાપની સેનાને મોટાભાગે આપણો વિશ્વકર્મા સમુદાય દ્વારા શસ્ત્રો અને રથો બનાવી મોટી સહાયતા કરતો હતો. આપણો જ વિશ્વકર્મા સમાજ જ્યારે જ્યારે રાજ્ય અને દેશ માટે યુદ્ધના મેદાનમાં બહાદુર સૈનિકોની જેમ ઊભો રહ્યો હતો. કૌશલ સાહસિકોએ સામાન્ય થી અસામાન્ય લોકોની પ્રતિભાનો ઉપયોગ કરીને મહાન કાર્યો કર્યા હતા. ધર્મના માર્ગ પર અડીખમ ઉભેલા આપણાં સંત મહાત્મા મુળદાસ બાપા અને સંત દેવતણખી દાદા તેમની પ્રતિભા વર્ણવી ગયા છે. આજની ટેકનોલોજી અને મશીન યુગ નું નિર્માણ બુધ્ધિ પણ આપણાં સ